બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / સ્પોર્ટસ / indian cricketer mayank agarwal files police complaint after hospitalisation indigo flight
Manisha Jogi
Last Updated: 11:43 AM, 31 January 2024
ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલ ફ્લાઈટમાં બિમાર પડતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જેથી મયંક અગ્રવાલે પોલીસ ફરિયાદ કરી છે. મયંક અગ્રવાલ છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાંથી બહાર છે અને રણજી ટ્રોફી રમી રહ્યા છે. મયંક અગ્રવાલ કર્ણાટકની કેપ્ટનશીપ કરી રહ્યા છે અને ત્રિપુરા સામેની મેચમાં 51 અને 17 રન કર્યા છે. ત્યારપછી મયંક અગ્રવાલ આગામી મેચ માટે દિલ્હી થઈને સુરત જવા માટે ઈન્ડિગો ફ્લાઈટમાં બેઠા હતા. 32 વર્ષીય. મયંક અગ્રવાલે ષડયંત્રનો આરોપ લગાવીને પોલીસ ફરિયાદ કરી છે. પોલિસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ‘મયંક અગ્રવાલે વિમાનમાં તેમની સીટ પર જે લિક્વિડ પાઉચ રાખ્યું હતું, તે પીધુ હતું. જે પીધા પછી તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી.’ મયંક અગ્રવાલની તબિયત પહેલા કરતા સારી છે.
🏏🏏 #RanjiTrophy #Karnataka pic.twitter.com/2tZVEjiscs
— Mayank Agarwal (@mayankcricket) January 21, 2024
મયંક અગ્રવાલ વિરુદ્ધ ષડયંત્ર
મયંક અગ્રવાલ 2 ફેબ્રુઆરીના રોજ સુરતમાં રેલવેની સામે આગામી રણજી ટ્રોફીમાં નહીં રમે. મયંક અગ્રવાલે ભારતીય ટીમ માટે 21 ટેસ્ટ મેચ રમી છે. સોમવારે ત્રિપુરા અને કર્ણાટક વચ્ચે મેચ રમવામાં આવી હતી, જેમાં મયંક અગ્રવાલ કર્ણાટકની ટીમનું નેતૃત્ત્વ કરી રહ્યા હતા. આ મેચમાં કર્ણાટકની 29 રનથી જીત થઈ છે. પશ્ચિમ ત્રિપુરાના SP કિરણ કુમારે જણાવ્યું થે, ‘આ મામલે તપાસ કરવા માટે NCCPSમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સીટ પર એક લિક્વિડ રાખવામાં આવ્યું હતું. જે પીધા પછી મયંક અગ્રવાલને બળતરા થવા લાગી અને તેઓ કંઈ બોલી શકતા નહોતા. તેમને ILS હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેમના મોઢામાં સોજો અને છાલા હતા, હાલમાં તેમની હાલત સ્થિર છે.’
ઉલ્ટીઓ થવા લાગી
કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘના એક અધિકારી આ મામલે જણાવ્યું છે કે, ‘મયંક અગ્રવાલની હાલત સ્થિર છે અને અગરતલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડોકટર પાસેથી અપડેટ મળ્યા પછી તેમને બેંગ્લોર લઈ જવામાં આવશે. જે પણ અફવા ફેલાવવામાં આવી રહી છે, તે તદ્દન ખોટી છે, હાલમાં તેમની હાલત સ્થિર છે.’ નિકિન જોસ આગામી મેચમાં કર્ણાટકની ટીમની કેપ્ટનશીપ કરી શકે છે.
શું ડ્રિંકમાં કઈ નાખવામાં આવ્યું હતું?
મીડિયા રિપોર્ટ અનુસાર ‘ટીમ વિમાનમાં હતી અને મયંકને બેચેની થઈ રહી હતી અને તેમને વિમાનમાં વારંવાર ઉલ્ટીઓ થઈ રહી હતી. ત્યારપછી વિમાનમાંથી ઉતરી ગયા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.’ કહેવામાં આવી રહ્યું છે કે, મયંક અગ્રવાલે કોઈ પારદર્શી લિક્વિડ પાણી સમજીને પી લીધુ હશે, ત્યારપછી તેમને બેચેને થવા લાગી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime