કેટલાક લોકો એવા હોય છે નાની અમથી સમસ્યાઓમાં પણ ડોક્ટર પાસે દોડી જાય છે અને દવાઓ ખાઈને કામચલાઉ સ્વાસ્થ્ય સુધારી લે છે. પણ આપણાં ઘરમાં અને રસોડામાં ઘણાં એવા નુસખાઓ હોય છે જેને અપનાવીને નાની-નાની સમસ્યાઓને દવાઓ વિના જ ઠીક કરી શકાય છે. જેથી આવા જ કેટલાક અક્સિર અને કામના નુસખાઓ વિશે અમે આજે તમને જણાવીશું.
નાની-નાની સમસ્યાઓ માટે અક્સિર નુસખાઓ
રોજ દિવસમાં 2વાર બીટનો રસ પીવાથી લો બીપીની પ્રોબ્લેમ કંટ્રોલમાં રહે છે.
કડવા લીમડાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. રોજ લીમડાનો રસ પીવાથી બ્લડ શુગર લેવલ કન્ટ્રોલમાં રહેશે.
એસિડિટીની સમસ્યાથી બચવા ખાવાનું હંમેશા ચાવીને ખાઓ અને જરૂરિયાત કરતા ઓછું ખાઓ. હંમેશા મરચાં-મસાલાવાળું અને વધારે તળેલું ભોજન લેવાનું ટાળો.
ચંદનના પાવડરને નારિયેળ તેલ અને બદામના તેલ સાથે મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને અડધા કલાક સુધી ચહેરા પર લગાવેલી રાખો અને બાદમાં ઠંડા પાણીથી ધોઇ લો. આનાથી ટેનિંગનો પ્રોબ્લેમ દૂર થશે.
જો દાંતમાં સખત દુખાવો થતો હોય તો એલચી, લવિંગ અને જાયફળના તેલને મેળવીને તે તેલને રૂ થી દુ:ખતા દાંત પર લગાવવાથી દર્દ મટે છે.
તુલસીનો રસ અને લીંબુના રસનું મિશ્રણ પણ દાદર પર ઉપયોગી છે. બંનેનો રસ સમાન ભાગે લઈને અસરગ્રસ્ત ભાગ પર લગાવો.
પેટ ફુલવાની સમસ્યા રહેતી હોય તો રોજ સવારે 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 લીંબુનો રસ મિક્સ કરીને પીવો. અથવા બ્રેકફાસ્ટ કરીને ગ્રીન ટીમાં લીંબુ નાંખીને પણ પી શકો છો.
રોજ રાત્રે અડધી ચમચી મધ, થોડાં લીંબુના રસના ટીપાં, 1 ચમચી ગ્લિસરીન અને અડધી ચમચી ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ જેવું બનાવીને સ્કિન પર લગાવવાથી સ્કિન સુંવાળી બને છે.
1-1 ચમચી મધ અને હળદરના પાઉડરને મિક્સ કરીને રેગ્યૂલર લેવાથી નબળાઇમાં ઝડપથી રાહત મળે છે.
ભેંસના દૂધમાં સાકર અને એલચી મેળવી ગરમ દૂધ પીવાથી અનિદ્રામાં લાભ થાય છે.