બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / વિશ્વ / History and Timeline of Brexit event, how it is going to impact India

Brexit / સંપૂર્ણ બ્રેક્ઝિટ વિવાદ, જાણો સરળ ભાષામાં; ભારત માટે ફાયદાકારક કે નુકસાનકારક

Published By: Shalin

Last Updated: 12:50 PM, 13 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટને યુરોપિયન યુનિયન સાથે છેડો ફાડવાનું નક્કી કર્યા બાદ બ્રિટનના રાજકારણમાં અફરાતફરી મચી ગઈ છે. આ ઘટનામાં અત્યાર સુધી ૨ વડાપ્રધાનો હોમાઈ ગયા છે અને ત્રીજા વડાપ્રધાન પોતાની બહુમતી ગુમાવી ચુક્યા છે. તો આવો જાણીએ કે આ બ્રેક્ઝિટ શું છે, આ વિવાદની શરૂઆત ક્યાંથી થઇ, અંત કેવો હશે અને ભારત પર તેની કેવી અસરો આવશે.

 

બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સન બ્રિટનની સામાન્ય ચૂંટણી  ૧૫ ઓક્ટોબરે જ યોજાઈ જાય તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે પરંતુ સંસદમાં એમને મચક નથી મળી રહી. બોરીસ ૩૧ ઓક્ટોબરે જ EU સાથે ડીલ થાય કે ન થાય તેની પરવા કાર્ય વગર  બ્રેક્ઝિટ કરવા ઉતાવળા થયા છે.

તો આ ઘટનાઓ સમજતા પહેલા આપણે આ વિવાદ સરળ શબ્દોમાં સમજી લઈએ.

બ્રેક્ઝિટ શું છે?

બ્રેક્ઝિટ બ્રિટન એક્ઝીટ પરથી આવેલો શબ્દ છે. જેનો અર્થ છે બ્રિટન દેશનું યુરોપિયન યુનિયન જૂથમાંથી બહાર નીકળવું.

                                                                                                      Source : Brilliant Maps


બ્રિટન, યુનાઈટેડ કિન્ગ્ડમ, અને ઇંગ્લેન્ડ વચ્ચે શું ભેદ છે?

આપેલ મેપમાં જોઈ શકાય છે તે મુજબ ઇંગ્લેન્ડ, સ્કોટલેંડ અને વેલ્સ આ ત્રણ દેશો ભેગા મળીને ગ્રેટ બ્રિટન બનાવે છે. જયારે આ ત્રણેય દેશો અને આયર્લેન્ડનો ઉત્તરી ભાગ (નોર્ધન આયર્લેન્ડ) આ ૪ ક્ષેત્રો ભેગા થઇને UK બનાવે છે. 

યુરોપિયન યુનિયન શું છે?

યુરોપિયન યુનિયન એ ૨૮ યુરોપના દેશોનો બનેલો સમૂહ છે. આ જુથે પોતાના દેશોના આર્થિક, સામાજિક અને રાજકીય વિકાસ માટે યુરોપિયન યુનિયન જૂથને એક મોટા દેશ તરીકેનો દરજ્જો મળ્યો હોય તેવી વ્યવસ્થા ગોઠવી છે. યુરોપિયન યુનિયનના કોઈ પણ દેશમાં રહેતો વ્યક્તિ યુરોપિયન યુનિયનનાં બીજા કોઈ પણ દેશમાં વસવાટ કરી શકે છે, ધંધો કરી શકે છે અને પાસપોર્ટ વિઝા વગર ટ્રાવેલ કરી શકે છે. તમામ ૨૮ દેશોએ એકબીજા સાથેના વ્યાપાર, બીજા દેશો સાથેના વ્યાપાર, ઉત્પાદનની આયાત, નિકાસ વગેરેની એવી ગોઠવણ કરવાનો પ્રયત્ન કર્યો છે જેથી તમામ સભ્યોને લાભ મળી રહે. આ જુથ સભ્યદેશો પાસેથી સભ્યપદ અને તેમને મળતા આર્થિક લાભોના બદલામાં મેમ્બરશીપ ફીઝ વસુલ કરે છે.


બ્રિટનનાના EU સાથેના સંબંધો

બ્રિટનનની જનતાએ ૧૯૭૫માં એક જનમતમાં ૬૮%ની બહુમતી સાથે યુરોપિયન યુનિયનમાં જોડાવાની તરફેણ કરી. બ્રિટનમાં UKIP એટલે કે યુનાઈટેડ કીન્ગ્ડમ ઈન્ડીપેનડંસ પાર્ટી વર્ષોથી યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનને આઝાદ કરવાની ચળવળમાં અગ્રેસર હતી. આ પાર્ટીને યુરોપિયન યુનિયનની ૨૦૧૪ની ચુંટણીમાં ૨૫% સીટો મળી હતી. આમ બ્રિટનમાં યુરોપિયન યુનિયન છોડવાનો વિચાર પ્રબળ બની રહ્યો હતો.

EU છોડવાની માંગણી કેમ પ્રબળ બની છે​?

  1. EU બ્રિટન પાસેથી અબજો પાઉન્ડ મેમ્બરશીપ ફીઝ લે છે. આટલી ફીઝ કોઈ દેશ પાસેથી લેવાતી નથી. આ ફીઝ જેટલો આર્થીક ફાયદો બ્રિટનને મળી શકતો નથી.
  2. બ્રિટને કોઈ ધંધાકીય સોદો કરતા પહેલા EUની મંજુરી લેવી પડે છે. આ કારણે તેની સ્વતંત્રતા રહેતી નથી.
  3. EU બ્રિટનના કાયદા કાનુન બનાવવા અને બદલવાની પ્રક્રિયામાં પણ અત્યંત દખલઅંદાજી કરી રહ્યું છે.
  4. EU બ્રિટનને સીરીયા, આફ્રિકાના રાજકીય તણાવવાળા દેશોમાંથી આવતા શરણાર્થીઓને રહેઠાણ અને નાગરિકતા આપવા માટે આગ્રહ કરે છે. અત્યારની ઈમિગ્રેશન પોલીસી હેઠળ વર્ષે ૩,૩૦,૦૦૦ લોકો બ્રિટનના નાગરિક બને છે જયારે બ્રિટને આ આંકડો ઘટાડીને ૧,૦૦,૦૦૦ સુધી લાવી દેવાની ઈચ્છા છે.

EUની તરફેણ કરનારાઓની શું દલીલ હતી?

  1. બ્રિટનમાં પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરૂન સહીત અનેક નેતાઓ બ્રિટન EUનો ભાગ બની રહે તેની તરફેણમાં હતા. તેઓ મતે EUના કારણે નિકાસ થતી વસ્તુઓ વેચવામાં સરળતા રહે છે.
  2. મોટાભાગના ઇમીગ્રંટસ યુવા વયના હોય છે જે ઓછા દરે કામ કરવા તૈયાર હોય છે, આ ઇમીગ્રંટસ લેબર તરીકે કામ કરીને દેશમાં ધંધા રોજગારનો વિકાસ વધારે છે.
  3. ૨૮ દેશના સમુહમાં રહેવાથી રાજકીય, આર્થીક અને ભૌગોલિક સુરક્ષા વધે છે.
  4. કોઈ પણ દેશમાં જઈને ધંધા અને વસવાટની છૂટછાટ હોવાથી મિલકત અને લોકોને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડવામાં સરળતા રહે છે.

૨૦૧૬નો જનમત

૨૦૧૫માં બ્રિટનનાં વડાપ્રધાન ડેવિડ કેમરૂને પ્રજાને વચન આપ્યું કે તેઓ આ મુદ્દે ફરી જનમત લેશે. કેમરૂનને ખાતરી હતી કે પ્રજા EUમાં રહેવાની તરફેણમાં છે. આશ્ચર્યજનક રીતે ૨૦૧૬માં કુલ વસ્તીના ૭૨%ના ઐતિહાસિક મતદાનમાં ૫૨% લોકો એ EU છોડવા માટે અને ૪૮% લોકોએ EUમાં રહેવા માટે વોટ આપ્યો.

ભુરા રંગના પ્રદેશના લોકો EU સાથે જોડાઈ રહેવામાં જયારે લાલ રંગમાં EU માંથી નીકળી જવાની તરફેણમાં મત આપ્યો. (Source : StudyIQ)

ઉપરના મેપ પરથી જોઈ શકાય છે કે ભૌગોલિક રીતે લંડન અને સ્કોટલેંડ સિવાય મોટાભાગના તમામ પ્રદેશના લોકો EU છોડવાની ઈચ્છા રાખતા હતા. લંડનમાં ભણેલી ગણેલી પ્રજા અને બીઝનેસ કરતા લોકો EU સાથે જોડાઈ રહેવાય એવી ઈચ્છા ધરાવતા હતા.

આના પગલે ડેવિડ કેમરૂને વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું અને બ્રિટનના ગૃહમંત્રી ટેરેસા મેને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. શેરબજારમાં આની વરવી અસરો દેખાઈ જેમાં દુનિયાભરના બજારોમાં કડાકો બોલાઈ ગયો. બ્રિટનના ચલણી નાણા પાઉન્ડની કિંમતમાં ભારે ઘટાડો થયો.

ભારત માટે ફાયદાકારક કે નુકશાનકારક​

ભારતમાં બ્રેક્ઝિટ લાંબા ગાળે નુકસાનકારક નીવડશે તેવો એક મત સધાઈ રહ્યો છે જેના અમુક ચોક્કસ કારણો માનવામાં આવી રહ્યાં છે.

  1. બ્રિટને હંમેશા EUમાં ભારતની તરફેણ કરી છે. બ્રિટનની ગેરહાજરીમાં ભારત EUમાંથી તેનું મહત્વનું સાથી ગુમાવશે.
  2. ભારત EU સાથે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ કરવા માટે વર્ષોથી પ્રયત્ન કરી રહ્યું છે. બ્રિટનની ગેરહાજરીમાં આ ડીલ થવી હવે અઘરી બની જશે.
  3. ભારતથી EUમાં પોતાનો બીઝનેસ શિફ્ટ કરતી અથવા એક્સ્પાન્ડ કરતી મોટાભાગની ભારતીય કંપનીઓ બ્રિટનને પોતાનું હેડ કવાટર રાખતી હતી કારણકે અંગ્રેજી ભાષા બંને દેશોની એક મહત્વની સમાનતા છે જે બીઝનેસના વિકાસમાં ઉપયોગી છે. આ ઉપરાંત ભારત બ્રિટનની કોલોની રહી ચુક્યું હોવાથી કલ્ચરમાં પણ સમાનતા જોવા મળે છે. 

ભારતની ફાયદાકારક અસર તરીકે એ ગણી શકાય કે EUથી છુટા પડ્યા બાદ બ્રિટને વ્યાપાર માટે એક મજબુત માર્કેટની જરૂર પડશે. આ માર્કેટ તરીકે ભારત સાથે તેનો વ્યાપાર વધી શકે છે. આ ઉપરાંત પાઉન્ડની કિંમત ઘટવાથી પાઉન્ડ સામે રૂપિયો મજબુત થશે. આમ છતાં મોટાભાગના ભારતનાં ઉદ્યોગો ઉપર આ નિર્ણયની લાંબા ગાળે અવળી અસર પડશે તેવું માનવામાં આવી રહ્યું છે.

૨૦૧૯ની અપડેટ્સ

બ્રિટનના નવા વડાપ્રધાન ટેરેસા મે પણ બ્રેક્ઝિટ ન કરવાની તરફેણમાં હતા. આમ છતાં તેઓએ બ્રેક્ઝિટ ધીરે ધીરે થાય અને એક જ ઝાટકે ન થાય(સોફ્ટ બ્રેક્ઝિટ)  તેનો પ્રયત્ન કર્યો જેથી બ્રિટનને એક સાથે નુકશાન ન થાય. જોકે તેમના પ્લાન્સ તેઓ બ્રિટીશ સંસદમાં સફળતાપૂર્વક પસાર ન કરી શક્યા અને તેઓએ રાજીનામું આપવું પડ્યું.

બ્રિટનના નવા વડાપ્રધાન બોરીસ જોહ્સન આક્રમક રીતે બ્રેક્ઝિટના સમર્થક છે. તેમણે ૩૧ ઓક્ટોબરની ડેડ લાઈન આપીને જણાવ્યું કે તેઓ EU સાથે બિન શરતી બ્રેક્ઝિટ કરવાનું નક્કી કરી ચુક્યા છે.  આ યોજના પર સંસદમાં ભારે હોબાળો થતા તેમણે ઇંગ્લેન્ડના રાણી એલીઝાબેથ ૨ની મદદથી સંસદનું સત્ર બરખાસ્ત કરી દીધું. ઘણા લોકો આ પગલાને ગેરબંધારણીય ગણાવે છે. 

હવે શું?​

૩૧ ઓક્ટોબરની ડેડ લાઈન તર્ક વગરની છે તેમ જાણકારોનું કહેવું છે. બ્રિટને જો EUથી છુટા પડવું હશે તો સારી પૂર્વ તૈયારીઓ કરવી પડશે. આમ છતાં જો ૩૧ ઓક્ટોબરે બિનશરતી બ્રેક્ઝિટ થઇ જાય છે તો બ્રિટન અને તેની પ્રજા ખુબ મુશ્કેલીમાં મુકાય તેવી સંભાવના છે.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Boris Johnson Brexit European Union બોરીસ જોહ્ન્સન બ્રેક્ઝિટ યુરોપિયન યુનિયન Brexit

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ