ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં કોઈ મોટો આતંકી હુમલો થઈ શકે છે. રાજ્યના ગુપ્તચર વિભાગે હુમલો થવાની સંભાવના વિશે મહારાષ્ટ્ર સરકારને માહિતી આપી છે. હુમલો માટે ડ્રોન અથવા મિસાઇલોનો ઉપયોગ કરી શકાય છે.
મુંબઇમાં મોટા આતંકી હુમલાની આશંકા
રાજ્યના જાસૂસી વિભાગે આપી ચેતવણી
રાજ્યમાં ફ્લાઇંગની ચીજો પર પ્રતિબંધ મૂકાયો
રાજ્યના ગુપ્તચર વિભાગના પત્ર બાદ મુંબઇ પોલીસે એલર્ટ જારી કર્યું છે. સમગ્ર શહેરમાં ડ્રોન અને ફ્લાઈંગની અન્ય ચીજો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આદેશમાં જણાવાયું છે કે આતંકવાદીઓ અને દેશદ્રોહી લોકો ડ્રોન, રિમોટ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, એરિયલ મિસાઇલો અથવા પેરા-ગ્લાઈડર દ્વારા પણ હુમલો કરી શકે છે.
શું હોય શકે છે આતંકીઓના ઉદ્દેશ ?
શહેરમાં ભીડભાડ વાળી જગ્યાઓ આતંકવાદીઓનું નિશાન બની શકે છે. આ સિવાય VVIP લોકો પણ આતંકીઓ માટે સોફ્ટ ટાર્ગેટ પુરવાર થઈ શકે છે. એવી આશંકા વ્યકત કરવામાં આવી છે કે સાર્વજનિક સંપત્તિઓની સાથે જ શહેરમાં અરાજકતા ફેલાવવી તે પણ એક ઉદ્દેશ્ય હોય શકે છે.
Mumbai Police has issued an order under section 144 of CrPC banning drones, remote-controlled micro-light aircraft, aerial missiles and paragliders in the area under the jurisdiction of Brihanmumbai Police Commissionerate from 30th October to 28th November. pic.twitter.com/AAYRtf3ykN
ગુપ્તચર વિભાગના ઇનપુટ્સને ધ્યાનમાં રાખીને, મુંબઇ પોલીસે CRPC ની કલમ 144 હેઠળ ડ્રોન, રિમોટ કંટ્રોલ્ડ માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, એર મિસાઇલો અને પેરાગ્લાઇડર્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ અપાયો છે. આ આદેશ 30 ઓક્ટોબરથી ચાલુ થઈ 28 નવેમ્બર સુધી લાગૂ રહેશે.