સોનાના ઘરેણા પહેરવામાં જેટલા સુંદર લાગે છે, તેનાથી અનેક ગણું વધારે તમારા સ્વાસ્થ્ય માટે લાભકારક છે.
સોનાનો આર્યુવેદની ઘણી દવાઓમાં ઉપયોગ કરવામાં આવે છે. ઘણી મીઠાઇઓ પર સોનાનો વરખ ઉપયોગમાં લેવાય છે. આર્યુવેદમાં સોનાની ભસ્મ ખાવાનો ઉલ્લેખ છે. સોનામાં ઘણા ગુણ છે. તે રસાયણ અને બળ વર્ધક ઔષધી છે. હોમિયોપેથીમાં પણ ઓરોમેટિકમ નામની દવા બનાવવામાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. તે ડિપ્રેશન, બ્લડ સરક્યુલેશનને સુધારવા સાથે સાથે આર્થરાઈટિસમાં પણ ફાયદારૂપ પુરવાર થાય છે. સોનામાંથી બનેલી દવા ઈમોશનલ એનર્જી, બોડી સ્ટ્રેન્થ, મેમરી ઈમ્પ્રુવ કરવા માટે ઉપયોગી છે. સોનાથી પોઝિટિવ એનર્જી રહે છે અને સાથે સાથે ભાવનાત્મક રૂપે પણ સોનું ઉત્તમ છે.
- આર્યુવેદમાં સોનું સ્કિન પ્રોબ્લેમ, હૃદય, લોહી શુદ્ધ કરવા, માનસિક સ્વાસ્થ્ય, શરીરનું તાપમાન અને બ્લડ ફ્લો માટે લાભકારી માનવામાં આવે છે.
- સોનાની ભસ્મ શરીરના બધા જ અંગોનો સ્વસ્થ રાખે છે અને તેની ક્ષમતા વધારવામાં મદદ કરે છે.
- સોનાની ભસ્મનો ઉપયોગ જૂની બીમારી ઠીક કરવા માટે પણ કરાય છે.
- માનસિક રોગોની સારવારમાં સુવર્ણ ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે.
- સોનું હૃદય સ્વાસ્થ્ય માટે સારું છે, તેનાથી હૃદયના રોગો દૂર થાય છે અને હૃદય સ્વસ્થ રહે છે.
- બ્લડ પ્રેશર કાબુમાં રાખવામાં પણ સ્વર્ણ ભસ્મ ફાયદાકારક છે.
- સોનામાં મોજૂદ તત્વો ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.