વરસાદની ઋતુ પોતાની સાથે ઘણી બીમારીઓ લઇને આવે છે. એવામાં મોનસૂનની સીઝનમાં ખાનપાનનું પૂર્ણ ધ્યાન રાખવું જોઇએ. વરસાદમાં નાશપતીને પોતાની ડાઇટમાં જરૂર સામેલ કરવું જોઇએ. કેમકે તે ટેસ્ટી હોવાની સાથે ઘણું સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે.
નાશપતીમાં વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ, ફાઇબર્સ જેવા ઘણા ગુણો હોય છે. તે શરીર માટે ઘણા લાભકારક હોય છે. અહીં જાણીએ કે નાશપતી ખાવાથી કયા કયા ફાયદા મળે છે.
ડાયાબિટીઝમાં ફાયદાકારક
જો આપને ડાયાબિટીઝ એટલે કે શુગર છે તો નાશપતી આપના માટે ઘણું ફાયદાકારક થઇ શકે છે.
વજન કરે છે નિયંત્રિત
નાશપતીમાં કેલરી ઘણી ઓછી હોય છે. તેમા હાજર ફાઇબરથી પેટ ભરેલુ અનુભવે છે. તેથી વજન નિયંત્રિત રાખવામાં મદદ મળે છે.
હાડકા કરે છે મજબુત
જો તમને હાડકા સાથે જોડાયેલી કોઇ સમસ્યા છે તો નાશપતી ખાવું ફાયદાકારક રહેશે. એમા બોરોન નામક રાસાયણિક તત્વ હોય છે. જે કેલ્શિયમ લેવલ બનાવી રાખવામાં મદદ કરે છે.
હીમોગ્લોબિન વધારે છે
નાશપતીમાં આયર્ન મોટી માત્રામાં મળી આવે છે. જે હીમોગ્લોબિનના સ્તરને વધારે છે. એનીમિયા પીડિત લોકોએ નાશપતીનું સેવન કરવું જોઇએ.