બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Gujaratis thugs Bihar's Tejashwi Yadav insulted millions of Gujaratis Mehul Choksi bjp Gujarat
Last Updated: 02:05 PM, 22 March 2023
ADVERTISEMENT
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ગુજરાતની જનતાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેઓ PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી પાસેથી રેડ ક્રોસ નોટિસ (RCN) પાછી ખેંચી લેવા અંગે વાત કરી રહ્યા હતા. જેમાં તેજસ્વીએ ગુજરાતીઓ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે - "ગુજરાતીઓ જ ઠગ બની શકે છે."

ADVERTISEMENT
CBI અને EDની કાર્યવાહી અંગે પણ નિવેદન આપ્યું
તેજસ્વી યાદવનું આ નિવેદન વાયરલ થયું છે. જેમાં તે મેહુલ ચોક્સીને આપવામાં આવેલી રાહત અંગેના સવાલ પર કહી રહ્યા છે. મેહુલ ચોક્સી ઉપરાંત તેજસ્વીએ તેમની અને તેમના પરિવાર વિરુદ્ધ CBI અને EDની કાર્યવાહી અંગે પણ નિવેદન આપ્યું હતું. જ્યારે એક પત્રકારે તેમને કહ્યું કે બીજેપીના લોકો કહે છે કે તેજસ્વીને જેલમાં જવું પડશે. ત્યારે તેમણે કહ્યું, ભાજપ જે ઈચ્છે છે તે થશે ? સરમુખત્યારશાહી શું છે ? એટલા માટે અમે કહી રહ્યા છીએ કે લોકશાહી અને બંધારણ ખતરામાં છે. આ લોકો દરેક વસ્તુ પર નિયંત્રણ રાખવા માંગે છે. સીબીઆઈએ બે વખત તપાસ કરી છે. તે કાનૂની બાબત છે, તેથી અમે કાનૂની મોરચો કરીશું. પરંતુ એ જાણવું જરૂરી છે કે આની પાછળ સ્ક્રિપ્ટ રાઈટર કોણ છે ?
ADVERTISEMENT

ભાજપે આપી પ્રતિક્રિયા
ADVERTISEMENT
તેજસ્વી યાદવના નિવેદન પર હંગામો શરૂ થઈ ગયો છે. બિહાર ભાજપ તરફથી આ અંગે પ્રતિક્રિયા આવી છે. પાર્ટીના રાજ્ય સોશિયલ મીડિયા મેનેજમેન્ટ વિભાગના વડા રંજન કુમાર ગૌતમે તેજસ્વીને ટોણો મારતા ટ્વીટ કર્યું હતું. આ ટ્વિટમાં તેમણે કહ્યું કે, તેજશ્વી યાદવે તમામ ગુજરાતીઓને ઠગ કહ્યા... ચારા ચોરવીરના લાલ તેજસ્વી યાદવનું નિવેદન હંમેશા યાદ રાખજો ગુજરાતીઓ... જ્યારે તેમે ગુજરાતમાં આવે ત્યારે તેમને દાંડિયા રમવાનું અને પશુઓને ચારો ખવડાવવાનું ભૂલતા નહીં.

ADVERTISEMENT
મેહુલ ચોકસીને ઈન્ટરપોલ તરફથી મોટી રાહત મળી
તાજેતરમાં પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોકસીને ઈન્ટરપોલ તરફથી મોટી રાહત મળી છે. ગુના નિયંત્રણ અને પોલીસ સહયોગથી સંબંધિત આ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચોક્સી પર લાદવામાં આવેલી રેડ ક્રોસ નોટિસને હટાવી દીધી છે. મેહુલ ચોક્સી 13,500 કરોડ રૂપિયાના PNB કૌભાંડના મુખ્ય આરોપીઓમાંનો એક છે. કૌભાંડ સામે આવ્યાના થોડા સમય પહેલા જ જાન્યુઆરી 2018માં તે ભારતથી ભાગી ગયો હતો. સીબીઆઈ લાંબા સમયથી તેને ભારત લાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ તેના પ્રયાસોને ઈન્ટરપોલે ઝટકો આપ્યો છે. 2022માં જ ચોક્સી અંગે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. તેની સામે ભાગેડુ વેપારીએ અરજી કરી હતી. એક વર્ષની અંદર જ તેમાંથી RCN દૂર કરવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.