બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવસારી બાદ હવે વિરમગામના લોકમેળામાં રાઇડ તૂટી, તંત્ર પર ઉઠ્યાં અનેક સવાલ
Last Updated: 12:50 PM, 19 August 2025
Viramgam Ride Accident : નવસારી બાદ હવે વિરમગામમાં લોકમેળામાં રાઈડ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં વિરમગામના એમ.જે. હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલા લોકમેળામાં મંગળવારે દુર્ઘટનાની ઘટના સામે આવી છે. મેળામાં લગાવવામાં આવેલી એક મોજમસ્તી રાઈડ "સેલંબો" અચાનક તૂટી પડતાં વિનીત રાવલ નામના યુવકને ઈજા પહોંચી હતી.
ADVERTISEMENT
દુર્ઘટનાના પગલે યુવકને તરત જ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે ઇજાગ્રસ્ત યુવકની હાલત ગંભીર ન હોવાનું જાણવા મળે છે, પરંતુ આ ઘટના બાદ લોકમેળાની વ્યવસ્થા અને સુરક્ષા અંગે અનેક સવાલો ઉભા થયા છે. આ અગાઉ નવસારીમાં પણ આવા પ્રકારની દુર્ઘટના થઈ હતી. ત્યારબાદ ફરીથી વિરમગામમાં આવી ઘટના બનવી એ તંત્ર માટે ચિંતા અને શરમજનક બાબત ગણી શકાય.
વિરમગામના એમ.જે. હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલા લોકમેળામાં બનેલ દુર્ઘટનામાં એક યુવક ઇજાગ્રસ્ત બન્યો છે. મહત્વનું છે કે, મેળા જેવી ભીડવાળી જગ્યાઓએ લાગતી રાઈડ્સ માટે તંત્ર દ્વારા તકેદારી અને ચકાસણી એ જરૂરી પગલું છે.
ADVERTISEMENT

જોકે આ ઘટના બાદ હવે હવે પ્રશ્ન એ છે કે, તંત્રે આ રાઈડને મંજૂરી આપવા પૂર્વે યોગ્ય ઇન્સ્પેક્શન કર્યું હતું કે નહીં? જો તપાસ કરવામાં આવી હતી તો આ તૂટવાની ઘટના કેમ બની? મેળા શરૂ થવાને પહેલા સુરક્ષા સાધનોની ગુણવત્તા અને તેમની સ્થિતિ તપાસવી એ તંત્રની મુખ્ય જવાબદારી હોય છે. છતાં આવી ગંભીર ખામી સાબિત કરે છે કે કોઈ ને કોઈ સ્થરે કચાશ રહી છે. આવા બનાવો માત્ર યુવકના ઇજાગ્રસ્ત થવાથી જ નહીં પણ અનેક નિર્દોષો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
VTVના સળગતા સવાલ
ADVERTISEMENT
આ પણ વાંચો : સરસ્વતી નદીમાં ઘોડાપૂર, માધવરાયજી મંદિર જળમગ્ન, ગીર સોમનાથમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
નવસારીમાં પણ બની હતી આવી જ દુર્ઘટના
ADVERTISEMENT
નવસારીના બીલીમોરામાં સોમનાથ મેળો ભરાયો હતો. મેળાની તેમજ રાઈડની મજા માણવા અનેક લોકો મેળામાં આવતા હોય છે. બીલીમોરામાં ભરાયેલ મેળામાં અચાનક એક રાઈડ તૂટી પડતા નાસભાગ મચી જવા પામી હતી. આ બાબતની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરતા ફાયર વિભાગ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી.
હવે નવસારીના લોકમેળામાં થઇ 'કાંકરિયાવાળી'! રાઈડ તૂટ્યાના ખૌફનાક દ્રશ્યો કેમેરામાં કેદ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 18, 2025
(નવસારી જિલ્લામાં બીલીમોરા શહેરમાં લાગેલા લોકમેળામાં દુર્ઘટના થતા 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.. બીલીમોરામાં આવેલા ઐતિહાસિક સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં લોકમેળો આયોજિત કરાયો. જ્યાં ગત રાત્રીએ જ… pic.twitter.com/AI2z2ZPQOA
ADVERTISEMENT
ગણદેવીનાં સોમનાથ મેળામાં રાઈડ તૂટી પડતા નાસભાગ મચી જવા પામી હતી. તેમજ રાઈડ તૂટતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. રાઈડ ચાલુ હતી તે દરમ્યાન અચાનક તૂટી પડતા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં 2 બાળકો, મહિલા અને રાઈડ ઓપરેટરને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈ તપાસ શરૂ કરી છે. તેમજ બીલીમોરા પોલીસે દુર્ઘટનાને પગલે હાલ તમામ રાઈડ બંધ કરાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.