બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સાતમ-આઠમના મેળા દરમ્યાન રાઇડ તૂટતા બાળકો સહિત 5 ઇજાગ્રસ્ત, કેમેરામાં કેદ ખૌફનાક Live દ્રશ્યો
Last Updated: 10:31 AM, 18 August 2025
શ્રાવણ મહિનામાં અલગ અલગ જિલ્લાઓમાં મેળો ભરાતો હોય છે. નવસારીના બીલીમોરામાં સોમનાથ મેળો ભરાયો હતો. મેળાની તેમજ રાઈડની મજા માણવા અનેક લોકો મેળામાં આવતા હોય છે. બીલીમોરામાં ભરાયેલ મેળામાં અચાનક એક રાઈડ તૂટી પડતા નાસભાગ મચી જવા પામી હતી. આ બાબતની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરતા ફાયર વિભાગ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી.
ADVERTISEMENT
પોલીસે દુર્ઘટનાને લઈ તમામ રાઈડ બંધ કરાવી
ADVERTISEMENT
ગણદેવીનાં સોમનાથ મેળામાં રાઈડ તૂટી પડતા નાસભાગ મચી જવા પામી હતી. તેમજ રાઈડ તૂટતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યોહતો. રાઈડ ચાલુ હતી તે દરમ્યાન અચાનક તૂટી પડતા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં 2 બાળકો, મહિલા અને રાઈડ ઓપરેટરને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈ તપાસ શરૂ કરી છે. તેમજ બીલીમોરા પોલીસે દુર્ઘટનાને પગલે હાલ તમામ રાઈડ બંધ કરાવી છે.
હવે નવસારીના લોકમેળામાં થઇ 'કાંકરિયાવાળી'! રાઈડ તૂટ્યાના ખૌફનાક દ્રશ્યો કેમેરામાં કેદ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 18, 2025
(નવસારી જિલ્લામાં બીલીમોરા શહેરમાં લાગેલા લોકમેળામાં દુર્ઘટના થતા 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.. બીલીમોરામાં આવેલા ઐતિહાસિક સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં લોકમેળો આયોજિત કરાયો. જ્યાં ગત રાત્રીએ જ… pic.twitter.com/AI2z2ZPQOA
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી રેડ-ઓરેન્જ અને યલો એલર્ટ, છેક કચ્છથી લઇને વલસાડ સુધી કરશે મેઘમહેર
બીલિમોરા ખાતે સોમનાથના મેળામાં રાઈડ તૂટી
ADVERTISEMENT
નવસારીના બીલિમોરા ખાતે સોમનાથ મેળામાં કોર્પોરેશન દ્વારા રાઈડની એસઓપીનું પાલન કરવા સહિતની મંજૂરી આપવામાં આવતી હોય છે. ઘણી વખત રાઈડની તપાસ પણ તંત્ર દ્વારા કરવામાં ન આવતા દુર્ઘટના સર્જાય છે. જેમાં રાઈડ તૂટી જતા લોકો જીવ ગુમાવે છે અથવા તો ઈજાગ્રસ્ત થતા હોય છે. મેળા સંચાલકો પણ રૂપિયા કમાવવાની લ્હાયમાં રાઈડ સંચાલકોને મંજૂરીઆપી દેતા હોય છે. રાઈડ સંચાલકો પણ રાઈડનું મેઈન્ટેનન્સ પણ કરતા હોતા નથી. જેથી મોટી દુર્ઘટના સર્જાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.