ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં અનાજ ATM અને ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો, મશીનમાંથી મળશે અનાજ

અમદાવાદ / ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં અનાજ ATM અને ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો, મશીનમાંથી મળશે અનાજ

Published By: Vidhata Gothi

Last Updated: 01:46 PM, 15 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: આજથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અનાજ ATM અને ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો. અમદાવાદના 3 સ્થળે પાયલોટ પ્રોજેક્ટને અમલમાં મૂકવામાં આવ્યો. આનાથી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર પર લગામ લાગશે.

ADVERTISEMENT

Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજથી અનાજ ATM અને ડિજિટલ કાર્ડ સિસ્ટમની નવી યોજનાનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. અમદાવાદના રાણીપ, ચાંદલોડિયા અને નારણપુરામાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ નવી સિસ્ટમથી અનાજ વિતરણમાં થતી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર પર લગામ લાગશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું - ગરીબ, અન્નદાતા, મહિલા શક્તિ પર પાયો રચ્યો છે. વડાપ્રધાન કાર્યાલયને PMO નહીં પણ સેવાલય તરીકે ઓળખ આપી. કેન્દ્ર સરકારે લોકોના હિતને ધ્યાનમાં લઈને બજેટ પસાર કર્યું છે. લોકોને શંકા હતા ડિજિટલ પેમેન્ટ કઈ રીતે સફળ થશે? આજે શાકભાજી વેચનારા પણ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે. ગરીબોને આહાર વ્યવસ્થામાં ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવશે. પશુપાલકો, દૂધ ઉત્પાદકોને AIથી જોડીને મોટી ભેટ આપી છે. પૈસા ઉપાડવા બેંકના ATM ઘણા જોયા પણ હવે અનાજના ATM જોવા મળશે. 35 સેકન્ડ્સમાં 25 કિલો અનાજ ATMમાંથી મળશે.

કેવી રીતે કામ કરશે સિસ્ટમ

નવી સિસ્ટમ હેઠળ લાભાર્થીઓને અનાજ ATM મશીન દ્વારા અનાજ વિતરણ કરવામાં આવશે. લાભાર્થી પોતાનું ડિજિટલ રેશન કાર્ડ સ્કેન કરશે અને લોકોને મશીનમાંથી 1 કિલોના પેકિંગમાં સીધું અનાજ મળશે. લાભાર્થીને હક મુજબનું પૂર્ણ વજનનું અનાજ મશીનથી મળશે. આ સિસ્ટમમાં કોઈ માનવી હસ્તક્ષેપ નહીં હોવાથી તોલમાં ગેરરીતિ કે કાપકૂપ થવાની શક્યતા નહીં રહે.

ગેરરીતિ અને ભ્રષ્ટાચાર પર લગામ

અત્યાર સુધી અનાજની દુકાનો પર તોલમાં ગેરરીતિ, કાપકૂપ અને ભ્રષ્ટાચારની ફરિયાદો સતત આવતી હતી. લાભાર્થીઓને પૂરું વજન ન મળવું, અનાજની ગુણવત્તામાં સમસ્યા અને અન્ય ગેરરીતિઓ થતી હતી. ત્યારે હવે આ નવી સિસ્ટમથી તમામ સમસ્યાઓ પર અંકુશ આવશે. મશીન દ્વારા સ્વચાલિત વિતરણ થવાથી કોઈ પ્રકારની ગેરરીતિ થઈ શકશે નહીં.

vtv app promotion

બોગસ રેશનકાર્ડ પર રોક

સાથે જ ડિજિટલ કાર્ડ સિસ્ટમથી બોગસ રેશનકાર્ડ અને ડુપ્લિકેશન પર પણ રોક લાગશે. દરેક કાર્ડની ડિજિટલ એન્ટ્રી હોવાથી એક જ કાર્ડથી બે વખત અનાજ લેવાનો પ્રયાસ થશે તો સિસ્ટમ તેને તાત્કાલિક શોધી કાઢશે. આથી સરકારી અનાજ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચશે.

આ પણ વાંચો: પહેલાં વિદ્યાર્થીનું નામ, વચ્ચે પિતાનું નામ અને અંતમાં અટક, બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીના નામ એક જ ફોર્મેટમાં રહેશે

પાયલોટ પ્રોજેક્ટ

હાલ અમદાવાદના રાણીપ, ચાંદલોડિયા અને નારણપુરામાં આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા પછી આ યોજનાને ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં લાગૂ કરવામાં આવશે. આ યોજના અનાજ વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવશે અને લાભાર્થીઓને તેમનો હક મળવાની ખાતરી થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Union Home Minister Amit Shah Grain ATM Digital Card System

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ