બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Travel / gujarat government gift a plane for sardar sarovar statue of unity

કેવડિયા કોલોની / દિવાળી ગીફ્ટ- સ્ટેચ્યુ ઓફ યુનીટીના સી પ્લેનથી થશે આકાશી દર્શન

Published By: Gayatri

Last Updated: 02:44 PM, 12 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દર્શન કરી થઈ શકાશે. સી પ્લેન માટેના કામની તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. કેવડિયા કોલોનીમાં તળાવ નંબર 3 અને 2 વચ્ચે જાળી મુકીને ત્યાના રૂટનું સમારકામ શરુ થઈ ગયુ છે. રૂટ ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે. અને આવનારા એક મહિના સુધી આ રૂટ બંધ રહેશે

  1. મગરને રોકવા બે તળાવ વચ્ચે જાળી મુકવાનું કામ શરૂ
  2. 1 મહિનામાં પ્રવાસીઓ માટે સી પ્લેન શરૂ કરાશે
  3. કેવડિયા તળાવના રૂટ ડાયવર્ટ કરાયા

આ દિવાળી પ્રવાસીઓને એક મહત્વની ભેટ મળવાની છે હાલમાં કેવડિયા કોલોનીમાં તળાવ નંબર 3 અને 2 વચ્ચે જાળી મુકીને ત્યાના રૂટનું સમારકામ શરુ થઈ ગયુ છે. રૂટ ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે. આ જાળી મહીસાગરમાંથી મગરને આવતા રોકવા માટે મુકાઈ રહી છે. 

તળાવ નં. 2થી 3 તરફ જવાનો રસ્તો બંધ
તળાવ નં-૨ થી તળાવ નં-૩ તરફ જવા અંગેનો રૂટ 21 મી સપ્ટેમ્બર19  સુધી સંપૂર્ણ બંધ રહેશે.  આ સી-પ્લેન ની સુવિધા પ્રવાસીઓ માટે 1 મહિનામાં શરૂ કરવામાં આવશે જે સીપ્લેન તળાવ નંબર 3 ખાતે ઉતરણ કરશે. સી પ્લેન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ નો પ્રવાસીઓ ને નજારો બતાવવા આવશે.

image by google
Image By google

સી- પ્લેન માટે જોઈતુ પાણી સાબરમતીમાં છે?
સી-પ્લેન માટે કેવડિયા પરફેક્ટ છે પણ શું સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કાયમી સી પ્લેન ઉડ્ડયન કરી શકશે? એ એક પ્રશ્ન છે. કારણ કે, સાબરમતીમાં પાણી હોતુ નથી અને જે પાણી હોય છે તે અનિયમિત હોય છે અથવા તો નર્મદામાંથી જ ઠલવાયેલું હોય છે. 

સી- પ્લેનની ટીકીટ શું હશે?
સી- પ્લેન માટે સરકાર કરોડો રૂ. ખર્ચી રહી છે ત્યારે લોકોમાં એ પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે . સી- પ્લેનની ટીકીટ શું રાખવામાં આવશે. ટીકીટના દર 1000ની આસપાસના હોવાનું કહેવાઈ રહ્યુ છે. જો કે, પ્લાન સફળ રીતે પાર પડે પછી જ ખબર પડશે કે, સી- પ્લેનની ટીકીટ કેટલી છે. 

સાબરમતી, અમદાવાદ, ગુજરાત

કઈ કઈ જગ્યાએ સી પ્લેન શરૂ કરવાના હતા પ્લાન
ગુજરાત અને અન્ય રાજ્યના શહેરની કનેક્ટિવિટી માટેના બીજા 13 રૂટ પર ફ્લાઈટ શરૂ કરવાની કામગીરી પણ આકાર લઈ રહી છે. 
ભૂતકાળમાં રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે, અમદાવાદથી ઓઝાર(નાસિક)ની ફ્લાઈટ 13 ફેબ્રુઆરીથી શરૂ થશે. જે અંતર્ગત સી પ્લેન સહિત વિવિધ 13 રૂટ પર ફ્લાઈટ શરૂ કરવા માટે તારીખ 28 જાન્યુઆરી સુધીમાં ટેન્ડર સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવાનું પણ નક્કી કરવાની વાત હતી. અમદાવાદથી શિરડી, શનિ-શિંગણાપુર, ત્રંબકેશ્વર જેવા ધાર્મિક સ્થળો પર જવા માટે અમદાવાદથી ઓઝાર(નાસિક) જવા માટે 70 મુસાફરની ક્ષમતાવાળી ફ્લાઈટ તારીખ 13 ફેબ્રુઆરીથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ ફ્લાઈટમાં કેન્દ્ર સરકારની રિજનલ એર કનેક્ટિવિટી યોજના હેઠળ ટીકિટના દર રૂપિયા 2060 રહેશે તેવી પણ જાહેરાત હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

C plane Diwali Kevadiya Colony gujarat statue of unity ગુજરાતી ન્યૂઝ Kevadiya colony

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ