બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:33 PM, 27 May 2026
અમદાવાદ શહેરમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. શહેરના નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણી બસ સ્ટેન્ડ પાછળ આવેલા વિસ્તારમાં જમીન વિવાદને લઈને થયેલા ફાયરિંગથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતા જ સેટેલાઈટ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રાથમિક માહિતી મુજબ નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણ દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે જમીન સંબંધિત જૂના વિવાદને લઈને બંને પક્ષ વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યા હતા. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ મામલો એટલો બગડ્યો કે નિવૃત્ત પોલીસ અધિકારીએ રિવોલ્વરમાંથી એક પછી એક પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નથી. જોકે અચાનક થયેલા ફાયરિંગના અવાજોથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આસપાસના લોકો ભયભીત થઈ પોતાના ઘર અને દુકાનો તરફ દોડી ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઘટનાના સમયે વિસ્તારમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT
સેટેલાઈટ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ
ફાયરિંગની ઘટના બાદ સેટેલાઈટ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના CCTV ફૂટેજ એકત્ર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. સાથે જ ઘટનાસ્થળ પરથી પુરાવાઓ પણ એકત્ર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ફાયરિંગ પાછળના ચોક્કસ કારણો અને જમીન વિવાદની હકીકતો જાણવા માટે બંને પક્ષોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં નિવૃત્ત DySPનું નામ સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે. પોલીસ વિભાગના ભૂતપૂર્વ અધિકારી દ્વારા જાહેરમાં ફાયરિંગ થવાની ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની છે. હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વિગતવાર તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.