બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / PM મોદીએ વર્ષો જૂની પરંપરા જાળવી રાખી, દિલ્હીથી જગન્નાથ મંદિરમાં મોકલ્યો પ્રસાદ
Last Updated: 06:59 PM, 26 June 2025
Rath Yatra 2025 : અમદાવાદમાં આવતીકાલે એટલે 26 જૂન અને શુક્રવારના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળશે. રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આ બધાની વચ્ચે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલ્યો છે. મહત્વનું છે કે, PM મોદી દર વર્ષે અમદાવાદના જગન્નાથ મંદિરે પ્રસાદ મોકલે છે. આ તરફ આ વર્ષે પણ તેમણે પરંપરા જાળવી રાખી છે. આજે પરિંદુ ભગત આ પ્રસાદ લઈને જગન્નાથ મંદિરમાં પહોંચ્યા હતા.
ADVERTISEMENT
PM મોદીએ જગન્નાથ મંદિરમાં મોકલ્યો પ્રસાદ
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવી રાખી છે અને આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન માટે પ્રસાદ મોકલ્યો છે. PM મોદી દ્વારા ડ્રાયફ્રૂટ, ફ્રૂટ, મગ અને ચોકલેટ સહિતનો પ્રસાદ મોકલવામાં આવ્યો છે. આજે બપોરના સમયે પરિંદુ ભગત આ પ્રસાદ લઈને જગન્નાથ મંદિરમાં આવ્યા હતા. મહત્વનું છે કે, આવતીકાલની રથયાત્રાને લઈ તમામ તૈયારીઑ પૂર્ણ થઈ ચૂકી છે.
અમદાવાદ: ભગવાન જગન્નાથજી માટે PM મોદીએ મોકલ્યો પ્રસાદ, ડ્રાયફ્રૂટ, મગ અને ચોકલેટ સામેલ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 26, 2025
((અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળશે. ત્યારે હાલમાં જગન્નાથ મંદિર દ્વારા અને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ રથયાત્રાને લઈને કરી દેવામાં આવી છે. તેની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર… pic.twitter.com/wo7jh8BmYW
ADVERTISEMENT
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે હવે ગણતરીના કલાકો જ બાકી છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી પોતાના ભવ્ય રથમાં નિજમંદિર પર પહોંચ્યા છે. રથયાત્રા પૂર્વે ભક્તો નિજમંદિરે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
આ પણ વાંચો : ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ, ગુહરાજ્યમંત્રીએ આરતી ઉતારી, પહેલી વખત AI વપરાશે
ADVERTISEMENT
ભક્તિ અને ઉલ્લાસથી ભરેલી વાતાવરણમાં મંદિરના મહંતે પરંપરાગત ગજપૂજન વિધિ પણ કરી હતી. 18 હાથીઓને રંગબેરંગી રંગોથી શણગારવામાં આવ્યા છે અને તેમને પાલખીઓથી સુસજ્જ કરવામાં આવ્યા છે. આ હાથીઓ રથયાત્રાની આગેવાની આપતી ગજયાત્રામાં ભાગ લેશે.

ADVERTISEMENT
આ પણ વાંચો : રથયાત્રા પર મેઘરાજાને વધાવવા તૈયાર રહેજો, અંબાલાલની ભારેથી 'અતિભારે' આગાહી
અંબાલાલ પટેલ દ્વારા રથયાત્રાને લઇને મોટી આગાહી
ADVERTISEMENT
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રથયાત્રાને લઇને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસો દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 26 થી 30 જૂન દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં પણ વાવાઝોડા સહિત વરસાદની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.