ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાજપ MLAના નિધનને લઈ PM મોદીથી લઈ દિગ્ગજ નેતાઓએ વ્યક્ત કર્યો શોક
Last Updated: 09:23 AM, 7 March 2026
ADVERTISEMENT
MLA Govindbhai Parmar passes away : આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા ક્ષેત્રના લોકપ્રિય ધારાસભ્ય વિંદભાઈ પરમારનું ગઇકાલે એટલે કે, 6 માર્ચ 2026ના રોજ હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. મળતી માહિતી મુજબ વહેલી સવારે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે આણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનના સમાચાર મળતા જ ઉમરેઠ વિસ્તાર તેમજ સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ તરફ હવે PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલે પણ તેમના નિધનને લઈ શોક વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ગોવિંદભાઈ પરમાર પોતાની સાદગી, સરળ સ્વભાવ અને લોકો માટે હંમેશા ઉપલબ્ધ રહેતા નેતા તરીકે ઓળખાતા હતા. સામાન્ય પરિવારમાંથી રાજકારણમાં પ્રવેશ કરીને તેમણે સતત જનસેવા કરી અને લોકોના પ્રશ્નોને ઉકેલવા માટે પ્રયત્નશીલ રહ્યા હતા. તેમના અવસાનથી ઉમરેઠ વિસ્તારના લોકોમાં ઊંડી ખોટ અનુભવી રહી છે.
આણંદના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 6, 2026
વહેલી સવારે હૃદયરોગનો હુમલો આવતા સારવાર અર્થે ખસેડાયા બાદ આણંદમાં સારવાર દરમિયાન અવસાન#Gujarat #Anand #GovindParmar #UmrethMLA #GujaratBJP #SadDemise #GujaratPolitics #BJPNews #RestInPeace #VTVDigital pic.twitter.com/GpHIZd7fnM
ADVERTISEMENT
વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિત નેતાઓએ વ્યક્ત કર્યો શોક
ગોવિંદભાઈ પરમારના અવસાન પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો છે. બંને નેતાઓએ તેમના જીવનમાં કરેલી જનસેવા અને રાજકીય યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગોવિંદભાઈનું અવસાન પક્ષ અને વિસ્તાર માટે મોટી ખોટ છે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના અવસાનના સમાચારથી દુઃખ થયું. સમાજલક્ષી કાર્યો પ્રત્યે તેઓ હંમેશાં તત્પર અને સમર્પિત રહ્યા હતા.
— Narendra Modi (@narendramodi) March 7, 2026
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને હાર્દિક સાંત્વના…
ૐ શાંતિ…!!
ADVERTISEMENT
ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન અત્યંત દુઃખદ છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 6, 2026
જમીન સાથે જોડાયેલા રહીને તેમણે જનસેવાનો પુરુષાર્થ આદર્યો હતો. સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા તેમણે જનસમૂહમાં આગવી લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી.
પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર તથા…
ADVERTISEMENT
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી હૃદય દ્રવી ઉઠ્યું.
— Jagdish Vishwakarma (@iJagdishBJP) March 6, 2026
પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ. 🙏
ADVERTISEMENT
ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. આ દુ:ખદ ઘડીમાં પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. પ્રભુ સદ્દગત આત્માને શાંતિ અર્પે. ૐ શાંતિ 🙏🏻
— Shankar Chaudhary (@ChaudhryShankar) March 7, 2026
સમાજના સમાન્ય લોકો માટે હંમેશા અવાજ ઉઠાવનાર ઉમરેઠ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર ના અચાનક મૃત્યુના સમાચાર ખૂબ જ દુખદ છે.
— Amit Chavda (@AmitChavdaINC) March 6, 2026
જાહેર જીવનમાં તેમણે લોકો માટે આપેલી સેવાઓ યાદગાર રહેશે.
દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનો અને સમર્થકો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરું… pic.twitter.com/zyMZ8jOMHs
બે ટર્મ સુધી ઉમરેઠનું પ્રતિનિધિત્વ
ગોવિંદભાઈ પરમાર ભાજપના નિષ્ઠાવાન કાર્યકર હતા અને છેલ્લા બે ટર્મથી ઉમરેઠ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા. વર્ષ 2017 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ પ્રથમ વખત ભાજપની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2022 ની ચૂંટણીમાં પણ પક્ષે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમણે 95,639 મત મેળવીને ભવ્ય જીત નોંધાવી હતી. તેઓ હંમેશા વિસ્તારમાં વિકાસ કાર્યો અને લોકહિતના પ્રશ્નો માટે સક્રિય રહેતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ઉમરેઠ વિસ્તારમાં અનેક વિકાસ કાર્યોને ગતિ મળી હતી.

કોંગ્રેસથી શરૂ કરી ભાજપ સુધીની રાજકીય સફર
ગોવિંદભાઈ પરમારની રાજકીય સફર લાંબી અને રસપ્રદ રહી છે. તેઓ પ્રથમ વખત વર્ષ 2002 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં Indian National Congress ની ટિકિટ પર ઉમરેઠ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ રાજકીય પરિસ્થિતિ બદલાતા તેઓ પછીથી ભાજપ સાથે જોડાયા અને વર્ષ 2017 તથા 2022 ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવી. આ રીતે તેમણે વિવિધ સમયગાળામાં ઉમરેઠ વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના અવસાનથી હાલ ગુજરાત વિધાનસભાની 15મી વિધાનસભામાં એક બેઠક ખાલી થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ