ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા NCPને જોરદાર ઝાટકો લાગ્યો છે. એનસીપીના 3 અને કોંગ્રેસના 1 ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું છે. અને હવે આ ધારાભસ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. આ તમામ ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે. આ તમામ 4 ધારાસભ્યો 31 જુલાઈએ ભાજપમાં જોડાઈ શકે છે.
ADVERTISEMENT

મુંબઈના CCI ક્લબમાં એક ભવ્ય સમારોહનું આયોજન કરાયું છે, જ્યાં મુખ્યમંત્રી ફડણવીસની આગેવાનીમાં આ 4 ધારાસભ્યો ભાજપનો ખેસ ધારણ કરશે. મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજને દાવો કર્યો હતો કે, કોંગ્રેસ અને NCPના 50 કરતાં વધુ ધારાસભ્યો ટૂંકમાં જ ભાજપમાં જોડાશે.
ADVERTISEMENT
આ દાવાના બે દિવસ બાદ જ કોંગ્રેસ અને NCPની મળીને 4 વિકેટ પડી છે. આ ધારાસભ્યોમાં NCPના સંદીપ નાઈક, વૈભવ પિચડ, શિવેન્દ્રરાવ ભોસલે જયારે કોંગ્રેસના કાલિદાસ કોલમ્બકરનો સમાવેશ થાય છે.
બે દિવસ પહેલા જ NCPના નેતા શરદ પવારે ભાજપ પર આરોપ નાંખ્યો હતો. ભાજપ સરકાર વિપક્ષોના ધારાસભ્યોને તોડવાનું કામ કરી રહ્યું છે. આ આક્ષેપ બાદ ભાજપના પ્રવક્તાએ શરદ પવારના નિવેદનને નકારી કાઢયું હતું. પરંતુ હાલ મળતી માહિતી પ્રમાણે 4 ધારાસભ્યો ભાજપમાં જોડાયાના સમાચાર મળ્યા છે.
ADVERTISEMENT

પવારે કહ્યું હતું કે, ભાજપ તેમની પાર્ટીને તોડી રહી છે, જે લોકશાહી માટે ઉચિત નથી. જે નેતા તેમની પાર્ટી છોડીને જાય છે તે બીજી વખત જીતી શક્તો નથી. આ મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશે જવાબ આપ્યો હતો અને કહ્યુ હતુ કે વિપક્ષો સરકારના કામથી અંજાઈને કમળને સાથ આપી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો