હિટલરના દેશ જર્મનીએ હવે કાશ્મીર વિશે પાકિસ્તાનની સાઈડ લેવાની શરુ કરી દીધી છે. જર્મન વિદેશમંત્રી બેયરબોકે કહ્યું કે તેમનો દેશ કાશ્મીર મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકાની માંગ કરે છે. તેમણે આ વાત ફાળો માંગવા પહોંચેલા પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવન ભુટ્ટો જરદરી સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં કહી. બેયરબોકે કહ્યું કે તેમનું માનવું છે કે સંઘર્ષોને સમાપ્ત કરવા માટે અને સુનિશ્ચિત કરવાની કે આપણે એક શાંતિપૂર્ણ દુનિયામાં રહીએ, એ દુનિયાનાં દરેક દેશની ભૂમિકા અને જવાબદારી છે. આ દરમિયાન બિલાવલ ભુટ્ટો જરદરીએ પણ કાશ્મીરમાં માનવાધિકારનાં ઉલ્લંઘનની એક જૂની વાતો ફરી શરુ કરી દીધી. તેમણે ભારત પર કાશ્મીરી નાગરીકો પર અત્યાચાર કરવા અને સેનાના દમ પર નાગરિકોના અવાજને દબાવવાનો ખોટો આરોપ પણ લગાવ્યો.
બિલાવલ ભુટ્ટો જરદરીએ કાશ્મીર પર કહી આ વાત
બિલાવલ ભુટ્ટો જરદરીએ કહ્યું કે UNના પ્રસ્તાવો અનુસાર અને કાશ્મીરી લોકોની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખતા જમ્મૂ અને કાશ્મીર મુદ્દાનાં શાંતિપૂર્ણ સમાધાન વગર દક્ષીણ એશિયાની અંદર શાંતિ સંભવ નથી. તેમણે ભારત પર કાશ્મીરમાં અત્યાચાર કરવાના અને માનવાધિકારનું હનન કરવાના આરોપ લગાવ્યા છે. બિલાવલ ભુટ્ટો જરદરીએ 10 મિલિયન યૂરોનો ફંડ મળ્યા બાદ જર્મનીનાં વિદેશ મંત્રીને પાકિસ્તાન આવવાનું આમંત્રણ પણ આપ્યું. બિલાવલે કહ્યું કે પાકિસ્તાન અને જર્મની પરસ્પરનાં સહયોગને મજબૂત કરવા માટે તૈયાર છે. આ દરમિયાન જર્મન વિદેશ મંત્રીએ પાકિસ્તાનમાં રોકાણ કરવાની પણ વાત કરી.
All serious & conscientious members of global community have a role and responsibility to call out international terrorism...Jammu & Kashmir has borne the brunt of such a terrorist campaign for decades...: MEA on comments on J&K at pc of foreign min of Germany and Pakistan (1/2) pic.twitter.com/N0iQvrZrai
ભારતે આપ્યો જર્મનીને જડબાતોડ જવાબ
જર્મન વિદેશ મંત્રીના કાશ્મીર પર નિવેદન બાદ ભારતે પણ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અરિંગમ બાગચીએ સ્પષ્ટ રીતે પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે જમ્મૂ અને કાશ્મીર દશકાઓથી આતંકવાદ ભોગવી રહ્યું છે અને હજુ સુધી આ સિલસિલો ચાલી રહ્યો છે. બાગચીએ કહ્યું કે વૈશ્વિક સમુદાયનાં બધા જ ગંભીર અને કર્તવ્યનિષ્ઠ સદસ્યોની આંતરરાષ્ટ્રીય આતંકવાદ, વિશેષ રૂપથી સીમા પાર પ્રકૃતિનાં આતંકવાદને સમાપ્ત કરવાની ભૂમિકા અને જવાબદારી છે. ભારતીય કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મૂ અને કાશ્મીરે દશકાઓથી આ પ્રકારના આતંકવાદનો સામનો કર્યો છે અને હજુ કરી રહ્યા છે.
This continues till now. Foreign nationals have been victims there...When states do not recognise such dangers, either because of self-interest or indifference, they undermine the cause of peace, not promote it. They also do grave injustice to the victims of terrorism: MEA (2/2) pic.twitter.com/u6Tyx7E3TC
ભારતે ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો
બાગચીએ કહ્યું કે વિદેશી નારિક ત્યાં અને ભારતનાં અન્ય હિસ્સાઓમાં પણ આતંકવાદથી પીડિત છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને એફએટીએફ અત્યારે પણ 26/11નાં ભીષણ હુમલાઓમાં સામેલ પાકિસ્તાની આતંકવાદીઓની પાછળ લાગ્યા છે. બાગચીએ જણાવ્યું કે જ્યારે દેશ આવા ખતરાઓને સ્વીકાર નથી કરતો, તો સ્વાર્થ અથવા ઉદાસીને કારણે, તે શાંતિ અને ઉદ્દેશ્યને નબળા પાડે છે અને તેને પ્રોત્સાહન નથી આપતો. આ આતંકવાદ પીડિતો સાથે ગંભીર અન્યાય છે.