કોરોના મહામારીને રોકવા માટેની વેક્સિનની શોધ હાલ દુનિયાભરમાં ચાલી રહી છે ત્યારે કોરોના સંકટ વચ્ચે ગુજરાત માટે એક આશાનું કિરણ જાગ્યું છે. કોરોનાને નાથવા ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરને મહત્વની કડી મળી છે.
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, GBRCને કોવિડ-19 વાયરસના જનીન સિકવન્સ મળી આવ્યાં છે. કોરોનાના 100 જેટલા જનીન સિકવન્સ મળતા એક આશાનું કિરણ જાગ્યું છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુદ ટ્વીટ કરીને માહિતી આપી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું ટ્વીટ
રાજ્યના મુખ્યમંત્રીએ ટ્વીટમાં લખ્યું છે કે જિનોમ સિકવન્સિંગથી કોરોનાની દવા કે રસી શોધવામાં મદદ મળી શકે છે. આ સાથે જ રૂપાણીએ કહ્યું ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર પર ગર્વ છે.
I feel proud to share that scientists at Gujarat Biotechnology Research Centre (GBRC) have completed more than 100 Covid 19 genome sequencing which will be helpful in tracking origin of drug targets, vaccine & association with virulence.#GujaratFightsCovid19#IndiaFightsCorona
કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો છે. ત્યારે ગુજરાતને કોરોના સામે મોટી સફળતા મળી છે. ગુજરાત સરકારની બાયો ટેકનોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનું વંશસુત્ર શોધી લીધું છે. અને તેનું જીનોમ સિકવન્સ શોધી લેવાયું છે. કોરોનાના રંગસૂત્ર એટલે કે જીનોમ સિકવન્સથી કોરોના વાયરસની દવા, રસી અને આડ અસર સહિતની બાબતો શોધળી સરળ બની રહેશે.
ભારતીય કંપનીઓ કરી રહી છે પરીક્ષણ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના જણાવ્યા અનુસાર 70 વેકસીનનું પ્રિ-ક્લીનિકલ પરીક્ષણ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે અને ઓછામાં ઓછી ત્રણ પ્રયોગશાળામાં સફળ થવા પર માનવીય ચિકિત્સકીય પરીક્ષણની મંજૂરી મળી ચૂકી છે.
ભારતમાં ઝાયડસ કેડીલા બે વેક્સિન પર, સીરમ ઇન્સ્ટીટયૂટ, બાયોલોજિકલ ઇ. ભારત બાયોટેક, ઇંડિયન ઇમ્યુનોલૉજિકલ્સ અને માઇનવેક્સ એક-એક વેકસીનના પરીક્ષણ પર કામ કરી રહી છે. પરંતુ WHO એ પોતાની યાદીમાં માત્ર ઝાયડસ કેડિલા અને સીરમ ઇન્સ્ટીટયૂટને જ સામેલ કરી છે.
બાયોટેક્નોલોજી ફિલ્ડમાં રિસર્ચ અને ડેવલોપમેન્ટને પ્રમોટ કરવાનું કામ GBRC કરે છે.
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા 24 ઓગસ્ટ 2017ના રોજ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર( GBRC )ની સ્થાપના કરવામાં આવી હતી. બાયોટેક્નોલોજી ફિલ્ડમાં રિસર્ચ અને ડેવલોપમેન્ટને પ્રમોટ કરવાનું કામ GBRC કરે છે.