ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / free ration scheme pmgkay may extend after 30 september 2022 central government will declare soon

GOOD NEWS / 80 કરોડ લોકો માટે આવી ખુશખબર: સપ્ટેમ્બર પછી પણ મળશે ફ્રી રાશનનો લાભ, સરકાર બનાવી રહી છે ખાસ પ્લાન

Published By: Pravin

Last Updated: 03:58 PM, 20 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના કરોડો રાશનકાર્ડ હોલ્ડર્સ માટે મોટી ખુશખબર સામે આવી છે. જો આપ પણ ફ્રી રાશનનો ફાયદો લઈ રહ્યા છો, તો કેન્દ્ર સરકાર ખાસ પ્લાન બનાવી રહી છે.

ADVERTISEMENT

  • દેશના કરોડો રાશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર
  • સપ્ટેમ્બર પછી પણ મળી શકે છે ફ્રી રાશનનો લાભ
  • કેન્દ્ર સરકાર બનાવી રહી છે ખાસ પ્લાન

દેશના કરોડો રાશનકાર્ડ હોલ્ડર્સ માટે મોટી ખુશખબર સામે આવી છે. જો આપ પણ ફ્રી રાશનનો ફાયદો લઈ રહ્યા છો, તો કેન્દ્ર સરકાર ખાસ પ્લાન બનાવી રહી છે. સરકાર ગરીબોને ફ્રી રાશન આપવાની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 30 સપ્ટેમ્બરથી આગળ વધારવા પર ટૂંક સમયમાં નિર્ણય લેશે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેયે આ વાતની જાણકારી આપી છે. જો કે, તેમણે એ નથી જણાવ્યું કે, આ અંગે નિર્ણય ક્યારે લેવામાં આશે.

આપને જણાવી દઈએ કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત માર્ચ 2020થી ફ્રી રાશન આપવાનું અભિયાન ચલાવી રહ્યા હતા. આ સ્કીમ અંતર્ગત દેશભરના 80 કરોડ લાભાર્થીઓને ફ્રી રાશન આપવામાં આવે છે. સરકાર તરફથી લોકોને દર મહિને 5 કિલો ફ્રી રાશન આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે કોરોના કાળમાં ફ્રી રાશનની સુવિધા શરુ કરી હતી. તેમાંથી ગરીબ પરિવારનો કોવિડ 19 મહામારીના કારણે લાગૂ થયેલા લોકડાઉન દરમિયાન ઘણી મદદ મળી હતી. હાલમાં સરકાર તરફથી આ યોજનાને કેટલીય વાર લંબાવી દેવામાં આવી છે. હાલમાં આ યોજના 30 સપ્ટેમ્બર સુધી લાગૂ છે. 

3.40 લાખ કરોડ રૂપિયાના ખર્ચનો અનુમાન

કેન્દ્રની આ યોજનાનો લાભ અત્યાર સુધીમાં કરોડો લોકો લઈ ચુક્યા છે. સરકારે 26 માર્ચે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ છ મહિના એટલે કે, 30 સપ્ટેમ્બર 2022 સુધી લંબાવી દીધી હતી. માર્ચ સુધી આ યોજના પર લગભગ 2.60 લાખ કરોડ રૂપિયા ખર્ચ થયો છે. સપ્ટેમ્બર 2022 સુધી અને 80,000 કરોડ ખર્ચ થશે. આવી રીતે આ યોજના અંતર્ગત કુલ 3.40 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જશે. 

ઘઉંનો પુરતો સ્ટોક, જમાખોરો પર થશે કાર્યવાહી

ખાદ્ય સચિવે કહ્યું કે, દેશમાં ઘઉંનો 2.4 કરોડ ટનનો પુરતો ભંડાર છે. જમાખોર વિરુદ્ધ કાર્યવાહી થશે. જેથી ઘરેલૂ સપ્લાઈ વધી શકે. સરકાર વેપારીઓને ઘઉંના ભંડારનો ખુલાસો કરવા અને ઘરેલૂ ઉપલબ્ધતા વધારવા માટે સ્ટોકની મર્યાદા લગાવવા જેવા પગલા ઉઠાવવા પર વિચાર કરી શકે છે. તેમણે કહ્યું કે, સટ્ટાબાજના કારણે ઘઉંની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Central Government PMGKAY Scheme free ration scheme free ration scheme

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ