પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ વિરાટ ક્હોલીની કેપ્ટનશીપ વીશે ટ્વીટર પર ટ્વીટ કર્યું. જેમા તેમણે એવું કહ્યું છે કે થોડોક સમય રહીને લોકો વિરાટ કહોલીને મિસ કરશે.
કોહલીની કેપ્ટનશીપ પર પૂર્વ ક્રિકેટરનું મોટું નિવેદન
પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ કહ્યું લોકો કહોલીને મીસ કરશે
ટ્વીટર પર આકાશ ચોપડાએ ટ્વીટ કરી
I have a feeling that in a few years time we will miss Kohli-the captain. All those who are criticising his leadership skills now will appreciate and admire his tactical genius…
આજે આઈપીએલમાં આજે રોય ચેલેન્જ બેંગલોર માટેની મેચ ઘણી કાસ રહેશે. કારણકે જો બેંગલોરની ટીમ આજે નહી જીતે તો વિરાટ ક્હોલીની કેપ્ટશીપનો આજે છેલ્લો દિવસ રહેશે. જોકે આ મેચને લઈને ભારતના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાઓ મોટું નિવેદન આપ્યું છે.
થોડોક સમય લોકો કહોલીને મીસ કરશે
આકાશ ચોપડાએ તેના ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કર્યું છે કે થોડાક સમય માટે અમે વિરાટ ક્હોલીને મીસ કરીશું. સાથેજ આકાશ ચોપડાએ એવું પણ કીધું કે જે લોકો વિરાટ ક્હોલીની લીડરશીપ પર સવાલો ઉઠાવી રહ્યા છે. તે લોકો પણ તેની કેપ્ટનશીપ અને તેની રણનીતીના વખાણ કરશે.
યુઝર્સે કોમેન્ટમાં આપ્યો જવાબ
આકાશ ચોપડાના આ ટ્વીટ પર યુઝર્સે ભારે પ્રતિક્રિયા આપી છે. જેમા યુઝર્સે કોમેન્ટ કરીને જણાવ્યું છે કે તેઓ ટેસ્ટ મેચમાં વિરાટ કહોલીની કેપ્ટનશીપને મીસ કરશે. પરંતુ વન ડે મેચમા અને 2-20માં એવું નહી થાય. સાથેજ યુઝર્સે એવું પણ કહ્યું છે તેઓ વિરાટ કહોલીના અગ્રેશનને મિસ કરશે. જે લોકોએ તેનું આક્રમક વલણ જોયું છે તે લોકોને જરૂર મીસ કરશે.
ટી-2- વર્લ્ડકપ પછી કહોલીનું રાજીનામું
આપને જણાવી દઈએ કે આઈપીએલ 2021ની શરૂઆત થઈ ત્યારેજ વિરાટ ક્હોલીએ કહ્યું હતું તે તેની કેપ્ટનશીપમાં આ છેલ્લી સિઝન છે. જોકે બેંગલોરની ટીમ સાથે જોડાયેલા રહેશે. જોકે તેઓ માત્ર આઈપીએલમાંથીજ નહી પરંતુ ટી-20 વર્લ્ડ કપમાંથી પણ રાજીનામું આપવાના છે. ટી-20માં વિરાટ કોહલીની અંતિમ કેપ્ટનશીપ રહેશે.
વિશ્વના બેસ્ટ ક્રિકેટરોમાં કહોલી પણ શામેલ
ઉલ્લેખનીય છે કે કોહલીની ગણતરી વિશ્વના સૌથી બેસ્ટ બેટ્સમેનોમાં થાય છે. પરંતુ તેમની કેપ્ટનશીપ પર ઘમી વખત નિશાન સાધવામાં આવ્યું છે. જોકે ટેસ્ટ મેચમાં તેમને સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે.