બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'બે સિંહોને પકડવામાં આવ્યાં' રાજુલામાં સિંહણના હુમલામાં યુવકના મોત બાદ વન વિભાગ એક્શનમાં
Last Updated: 04:37 PM, 16 June 2026
અમરેલી જિલ્લાના રાજુલા વિસ્તારમાં સિંહણના હુમલામાં એક યુવકનું દુઃખદ મોત થતાં વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું છે. ઘટનાના અનુસંધાને વન વિભાગે બે સિંહોને પકડી લીધા છે, જ્યારે એક સિંહબાળનું પણ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આવી ઘટના ફરી ન બને તે માટે પગલાં લેવાશે
ઘટનાને લઈને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે વન વિભાગ સંપૂર્ણ સાવચેતી સાથે કામગીરી કરી રહ્યું છે અને આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.
ADVERTISEMENT
મંત્રીએ જણાવ્યું કે રાજુલા સહિત આસપાસના વિસ્તારોમાં વન વિભાગ દ્વારા ટ્રેકરોની સંખ્યામાં વધારો કરવામાં આવશે, જેથી સિંહોની હિલચાલ પર વધુ અસરકારક રીતે નજર રાખી શકાય અને સ્થાનિક લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.
ADVERTISEMENT
સિંહણે હુમલો કર્યો
પ્રાપ્ત માહિતી મુજબ, મૃત્યુ પામનાર યુવક રાજુલાની એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. તે પોતાના વતન જવા માટે નીકળ્યો હતો ત્યારે રસ્તામાં સિંહણે તેના પર હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ADVERTISEMENT
ઘટના બાદ સ્થાનિકોમાં ચિંતાનો માહોલ
ઘટના બાદ સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ, મોનિટરિંગ અને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ લોકોને સાવચેતી રાખવા અને જંગલ વિસ્તાર અથવા સિંહોની અવરજવરવાળા વિસ્તારોમાં એકલા ન જવાની અપીલ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદમાં ઘર ખરીદનારાઓને ઝટકો, 1 જુલાઈથી મકાનના ભાવમાં 10% સુધીનો વધારો
વન વિભાગે ખાતરી આપી છે કે માનવ-વન્યજીવ સંઘર્ષની આવી ઘટનાઓને રોકવા માટે આગામી સમયમાં વધુ કડક અને અસરકારક પગલાં અમલમાં મૂકવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.