બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / માતાજી પાસે જે માંગશો તે મળશે! નવરાત્રિના નવ દિવસ આ 9 નિયમોનું કરો પાલન

Navratri 2025 / માતાજી પાસે જે માંગશો તે મળશે! નવરાત્રિના નવ દિવસ આ 9 નિયમોનું કરો પાલન

Nirav Kumar

Last Updated: 01:46 AM, 23 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે આ નવરાત્રિમાં માતા દુર્ગાની ઉપાસના કરો છો તો તમારે અમુક બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો માતા દુર્ગા તમારી અમુક ભૂલના કારણે તમારા ઉપર કોપાયમાન પણ થઈ શકે છે.

શારદીય નવરાત્રિની શરૂઆત આજથી એટલે કે, 22 સપ્ટેમ્બર, 2025 થી થઈ ગઈ છે. આ દરમિયાન ગરબા રમવાની સાથે ભક્તો નવ દિવસ માતા દુર્ગાની ઉપાસના પણ કરશે.  આ દરમિયાન નવ દિવસ દુર્ગા માતાની પૂજા કરવાથી સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત થાય છે. આ દરમિયાન પૂજા કરનારા ભક્તોની દરેક ઇચ્છાઓ પણ પૂર્ણ થાય છે. પરંતુ આ દરમિયાન અમુક કાર્યને વર્જિત પણ માનવામાં આવે છે. જો આ વર્જિત કાર્ય કરવામાં આવે તો દુર્ગા માતા તમારા ઉપર કોપાયમાન પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ નવરાત્રી દરમિયાન કઈ ભૂલો ના કરવી જોઈએ.

  • નવરાત્રિના નિયમો
  1. નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવી
  2. દરરોજ દુર્ગા માતાના સ્વરૂપ અનુસાર મંત્રનો જાપ કરવા
  3. નવરાત્રિના નવ દિવસો દરમિયાન ભક્તોએ તન અને મનથી શુદ્ધ રહેવું જોઈએ અને નિશ્ચિત સમયે માતાનું ધ્યાન કરવું જોઈએ.
  4. આ દરમિયાન સાત્વિક ખોરાક જ લેવો  જોઈએ અને બ્રહ્મચર્યનો નિયમ પાળવો.
  5. નવરાત્રિ દરમિયાન તમારા વાળ કે નખ કાપવા નહીં અને નક્કી કરેલી વિધિઓ મુજબ પૂજા કરવી.
  6. દરરોજ એક કન્યાની પૂજા કરવી જો આ શક્ય ન હોય તો અષ્ટમી કે નવમી પર એકસાથે નવ કન્યાઓની પૂજા કરવી.
  7. જો તમે તમારા ઘરમાં કળશની સ્થાપના કરી હોય તો ઘર ખાલી ન છોડો.
  8. દરરોજ દુર્ગા માતાને તેમના દિવસ પ્રમાણે કપડાં અને ફૂલો અર્પણ કરવું.
  9. દુર્ગા માતાને તેમના દિવસ પ્રમાણે ભોજન અર્પણ કરવું.

વધુ વાંચો : નવરાત્રિના બીજા દિવસે માં બ્રહ્મચારિણીની આ કથાનો કરો પાઠ, મળશે દરેક કાર્યોમાં સફળતા

  • નવરાત્રિ દરમિયાન  કઈ ભૂલો નાં કરવી
  1. નવરાત્રિ દરમિયાન જૂઠું બોલવું કે કોઈની સાથે દુર્વ્યવહાર કરવાને અશુભ મનાય છે.
  2. સ્ત્રીઓએ ખુલ્લા વાળ રાખી પૂજા ન કરવી. પુરુષો અને સ્ત્રીઓ બંનેએ માથું ઢાંકીને પૂજા માટે બેસવું.
  3. નવરાત્રિના નવ દિવસો દરમિયાન અનુશાસનનું પાલન કરવું અને ઉપવાસ ન તોડવો.
  4. નવરાત્રિમાં કન્યા પૂજન સૌથી મહત્વનું કાર્ય છે. કોઈપણ કન્યાને કષ્ટ આપવું એ ગંભીર પાપ મનાય છે.
  5. કન્યાઓની પૂજા કર્યા બાદ તેમને દક્ષિણા અને સન્માન આપ્યા વગર વિદાય ન કરો.
  6. હંમેશા યોગ્ય દિશામાં મુખ કરીને દુર્ગા માતાની પૂજા કરવી.
  7. નવરાત્રી દરમિયાન માંસ, દારૂ કે કોઈપણ તામસિક પદાર્થનું સેવન ન કરવું.
  8. નવરાત્રી દરમિયાન કાળા કપડાં પહેરવા વર્જિત મનાય છે.
  9. અશુદ્ધ હાથે દુર્ગા માતાના સ્થાનને સ્પર્શ ન કરવો.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Durga Mata Rules of Navratri Navratri 2025
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ