કરવાચોથનો વ્રત આ વખતે 13 ઑક્ટોબરના દિવસે રાખવામાં આવશે. આ વ્રતમાં મહિલાઓ આખો દિવસ અન્ન-જળનો ત્યાગ કરીને નિર્જળા ઉપવાસ કરે છે. કરવાચોથ વ્રતમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ સાથે આ વ્રતમાં ગણપતિજીની સાથે ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે.
કરવાચોથ 2022ની તારીખ 13 ઑક્ટોબર
માત્ર વિવાહિત સ્ત્રીઓ માટેનો તહેવાર
જાણો શું છે શુભ મૂહુર્ત
કરવાચોથ 2022 :
વિવાહિત સ્ત્રીઓ દરવર્ષે આ વ્રત રાખે છે. અને આ વર્ષે આ વ્રત 13 ઑક્ટોબરનાં રોજ ઉજવવામાં આવશે. આ દિવસે તમામ વિવાહિત સ્ત્રીઓ પોતાના પતિની મંગલકામના માટે નિર્જળા ઉપવાસ કરે છે. કરવાચોથનો વ્રત દરવર્ષે કાર્તિકમાસનાં કૃષ્ણપક્ષની ચતુર્થીને દિવસે રાખવામાં આવે છે. પતિની લાંબી ઉંમર માટે આ વ્રત રાખવામાં આવે છે. કરવાચોથના દિવસે સુહાગણ રાત્રીના સમયે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને ઉપવાસ તોડે છે.
આ વખતે બન્યો છે શુભ સંયોગ
આ વર્ષે 12 ઑક્ટોબરનાં રાત્રે 2 વાગ્યાંથી ચતુર્થીની શરૂઆત થાય છે અને 13 ઑક્ટોબરના રાત્રે 3:09 વાગ્યે સમાપ્ત થાય છે. આ દિવસે સાંજનાં 6 : 41 મીનિટ સુધી કૃતિકા નક્ષત્ર રહેશે. ત્યારબાદ રોહિણી નક્ષત્રની શરૂઈઆત થશે. કરવાચોથ વ્રતના દિવસે ચંદ્ર વૃષ રાશીમાં સંચાર કરશે. તેના પર રોહિણી નક્ષત્રનો સંયોગ મળી જવાથી કરવાચોથનો વ્રત સુહાગણો માટે અતિ શુભ છે.
પતિ-પત્નીનો સંબંધ મજબૂત થાય છે
ધાર્મિક માન્યતાઓ અનુસાર, કરવાચોથનું વ્રત કરવાથી વિવાહિત મહિલાઓને અખંડ સૌભાગ્યવતીનાં આશીર્વાદ મળે છે. કરવાચોથના દિવસે મહિલાઓ ભગવાન શિવ, માતા પાર્વતીની સાથે ગણેશ અને કાર્તિકની પૂજા પણ સંપૂર્ણ વિધિથી કરે છે. જેનાથી પતિ-પત્નીનો સંબંધ ગાઢ થાય છે.
કરવાચોથ 2022 ના શુભ મૂહુર્ત
13 ઓક્ટોબરે સાંજે 5:54 થી 7.09 વાગ્યા સુધી, કરવાચોથ પૂજા માટે શુભ સમય રહેશે.
કરવાચોથ વ્રત 13 ઓક્ટોબરના સવારે 06:20 વાગ્યાથી શરૂ થશે અને રાત્રે 08:09 વાગ્યા સુધી ચાલશે.
કરવાચોથના દિવસે ચંદ્રદર્શનનો સમય રાત્રે 8:9 કલાકે રહેશે.