બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Father Chotu Vasava upset with Mahesh Vasava who is going to join BJP
Last Updated: 09:03 AM, 7 March 2024
મહેશ વસાવાનાં ભાજપમાં જવાનાં સંકેત વચ્ચે મહેશ વસાવાનાં પિતા છોટુ વસાવાએ મોટુ નિવેદન આપ્યું છે. મહેશ વસાવાથી નારાજ થઈ છોટુ વસાવાએ નિવેદન આપતા રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવી જવા પામ્યો હતો. આ બાબતે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, સમાજ છોડીને કેમ જાય છે. તે મહેશ વસાવાને પૂછો. કોઈ તો કારણ હશે ને તે જવાબ આપશે. તેમજ મહેશ વસાવાની ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે છોટુ વસાવાએ નારાજગી વ્યક્ત કરી હતી. મહેશ વસાવાની ભાજપમાં જોડાવાની જાહેરાત બાદ બંને પિતા-પુત્ર વચ્ચે ઘમાસાણ મચ્યું છે.
ADVERTISEMENT
ગત રોજ મહેશ વસાવાએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને btp ના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સાથે બેઠક થઈ હતી ત્યારે બુધવારે મહેશ વસાવાએ ભાજપ જોડાવાનું નક્કી કર્યું છે અને vtv સાથેની વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે 11 માર્ચના રોજ તેઓ કમલમ ખાતે ભાજપમાં કેસરિયો ધારણ કરશે અને ત્યારબાદ મતવિસ્તારમાં શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે.
.jpg)
ADVERTISEMENT
ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખે BTP અધ્યક્ષ સાથે બેઠક યોજી હતી
ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ મહેશ વસાવા સાથે બેઠક કરી હતી. ત્યારે આ બેઠકમાં ભરૂચ લોકસભા સીટનાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પણ બેઠકમાં જોડાયા હતા. આ બેઠકમાં આગામી દિવસોમાં થનાર કાર્યક્રમો અંગે ચર્ચા થઈ હતી. BTP ના અધ્યક્ષ મહેશ વસાવા જેઓ છોટુ વસાવાનાં પુત્ર છે.
ADVERTISEMENT
ભરૂચ બેઠક પર રાજકીય સમીકરણ
લોકસભાની ચૂંટણી લઈ ભાજપએ ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય ચોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જેનો માસ્ટર સ્ટોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય. અત્રે જણાવીએ કે, ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે. ત્યારે એક ડેડિપાડા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં ભેળવી દેવાશે.
ADVERTISEMENT
ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આપનું ગઠબંધન
કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની બે લોકસભા સીટ પર ગઠબંધન કર્યું છે. જેમાં ભરૂચ લોકસભા સીટ પર આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાની ટિકીટ આપવામાં આવી છે. જ્યારે ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટીકિટ આપવામાં આવી છે. ત્યારે બંને આદિવાસી નેતાઓ દ્વારા પુરજોશમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. હવે કોણ વિજયી બનશે તે આગામી સમયમાં જ ખબર પડશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.