બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Vishal Khamar
Last Updated: 09:58 AM, 7 March 2024
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પરિસરમાં બાંકડા પર મહિલા તબીબે હાથ પર ઈંજેક્શન મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે તબીબ મહિલાએ કરેલ આત્મહત્યાને લઈ અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે. આ બાબતે ગાયકવાડ હવેલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તબીબ યુવતીનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો. તેમજ પેનલ ર્ડાક્ટર મારફતે મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું હતું.
ક્રાઈમ બ્રાંચ પરિસરમાં ર્ડાક્ટર યુવતીનો મૃતદેહ મળી આવ્યો
ખેડા જીલ્લાનાં બાલાસિનોરનાં વતની અને અમદાવાદ ખાતે શિવરંજની વિસ્તારમાં રહેતા પીજીમાં રહેતા વૈશાલી જોશીએ જેઓ અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. ગત રોજ બુધવારે 4 વાગ્યા આસપાસ વૈશાલીબેનનો મૃતદેહ ક્રાઈમ બ્રાંચની ઓફીસમાં ઈઓડબ્લ્યુની ઓફીસ બહાર બાંકડા પરથી મળી આવ્યો હતો. તેમજ વૈશાલીબેનનાં હાથમાં વીંગો હતી. તેમજ આજુબાજુમાંથી ઈંજેક્શન પણ મળી આવ્યા હતા. જેથી તેમણે આત્મહત્યા કરી હોવાની પોલીસને શંકા ગઈ હતી. ત્યારે આ બાબતની જાણ ગાયકવાડ હવેલી પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી યુવતીનાં મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.
મૃતક ર્ડાક્ટરનાં માતા-પિતાને જણ કરતા તેઓ અમદાવાદ આવી પહોચ્યા હતા
આ બાબતે ક્રાઈમ બ્રાન્ચનાં અધિક પોલીસ કમિશ્નર નીરજ બડગુજરે જણાવ્યું હતું કે,વૈશાલીબેન શા માટે ક્રાઈમ બ્રાંચમાં આવ્યા હતા. તે જાણી શકાયું નથી. તેમજ આ ઘટનાં બાબતે વૈશાલીબેનનાં માતા-પિતાને જાણ કરવામાં આવતા તેઓ મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેમજ આ સમગ્ર ઘટના બાબતે તેઓની પૂછપરછ કરવામાં આવશે.
વધુ વાંચોઃ ઓપરેશન લોટસની અંદરની વાત, વાયા દિલ્લી કનેક્શનથી અંબરીષ ડેરના કેસરિયા થયા, પી.કે બસ નામ જ કાફી છે
PI ખાચરથી કંટાળી યુવતીએ જીવન ટૂંકાવ્યું હોવાનો સ્યુસાઈડ નોટમાં આક્ષેપ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ પરિસરમાં ર્ડાક્ટર વૈશાલી જોશીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મૃતક ર્ડાક્ટરનાં પર્સમાંથી 15 પેજની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ બી.કે.ખાચર વિરૂદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમજ પીઆઈ ખાચરથી કંટાળી યુવતીએ જીવન ટૂંકાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા પીઆઈ તેમજ મૃતક વચ્ચે પ્રેમ સબંધ હોવાનું જાણવા મળી રહ્યું છે. વૈશાલીબેનની મુલાકાત અને આપઘાત બાબતને લઈ પોલીસ દ્વારા મૌન સેવવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ બાદ આપઘાતનું સાચુ કારણ જાણવા મળી શકે છે. ત્યારે હાલ તો ગાયકવાડ હવેલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime