બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Food and Recipe / Fast Science And Research Says Fasting Has Health Benefits
પરંતુ શું તમે જાણો છો કે ઉપવાસ કે વ્રત ફકત આસ્થાના કારણે જ રાખવામાં આવે તેવુ નથી. આ વ્રત અને ઉપવાસના ફાયદા પણ છે અને તેના વૈજ્ઞાનિક આધાર માટે અનેક રિસર્ચ પણ થયા છે. તો જર્મનીની 2 સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી સંયુક્ત શોધમાં ઉપવાસ સંબંધિત અનેક માહિતીઓ સામે છે.
ADVERTISEMENT
વ્રત રાખવાથી કે પછી જમવા વચ્ચે લાંબો સમય ખાલી પેટ રાખવાથી અનેકગણા ફાયદા થાય છે. તો આપણે એક દિવસ ઉપવાસ રાખીએ અને ફક્ત પાણી પીને રહીએ છીએ તો આપણુ જીવન બીજાના કરતા 5% વધારે હોઇ શકે છે. જે લોકો નિયમિત રૂપે ભોજન લે છે, તેમની ઉંમર વધતા ચાલ ધીમી પડી જાય છે. જ્યારે ઉપવાસ કરતા લોકોમાં વૃદ્ઘાવસ્થામાં પણ સતર્કતા વધી જતી હોય છે. વૈજ્ઞાનિકોએ આ માટે વૃદ્ધાવસ્થા સાથે જોડાયેલ 200 જેટલી સમસ્યાઓ પર પણ ધ્યાન આપ્યુ હતુ.

ADVERTISEMENT
શોધમાં સામે આવ્યુ છે કે, જે લોકો ઓછું ખાય છે તેમનુ શરીર લાંબા સમય સુધી ફિટ રહે છે, તો બીજી તરફ જે લોકોનો ખોરાક વધુ હોય છે તેમનું શરીર જલ્દીથી જવાબ આપી દેતું હોય છે. શરૂઆતમાં ઉપવાસ કરવામાં સમસ્યા ઉભી થઇ શકે છે. પરંતુ સમય સાથે શરીરને ભૂખ્યા રહેવાની આદત પડી જાય છે. જે લોકો સતત 12 કલાક સુધી કંઇ જ નથી ખાતા તેમના શરીરમાં ઓટોફાગી માની સફાઇ પ્રક્રિયા શરૂ થઇ જાય છે. ભૂખ અને ઉપવાસ શરીરમાં નવી કોશિકાઓનુ નિર્માણ માટે ફાયદારૂપ છે. ઓટોફાગીની શોધ માટે 2016માં જાપાની વૈજ્ઞાનિક યોશિનોરી ઓસુમીને નોબલ પુરસ્કાર મળ્યો હતો.
હાલના દિવસોમાં કેન્સરના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. પરંતુ જણાવી દઇએ કે, સાત્વિક ભોજન અને ઉપવાસનો ફરાળ કરવાથી, તેમજ કાંદા-લસણ, માંસાહાર અને તળેલા પદાર્થોથી દૂર રહીને ફકત ફળ સાથે ઉપવાસ કરવાથી આરોગ્ય તો સુધરશે સાથે જ કેન્સર થવાની શક્યતા પણ ઘટી જશે. આ સાથે જ વ્રત કરવાવાળાને શરીર પણ ખૂબ જ હળવુ અનુભવાય છે.
ADVERTISEMENT

વ્રત રાખવાથી શરીરમાં એવા હોર્મોન્સ નીકળે છે. જે ફેટી ટિશ્યૂઝને મદદ કરે છે. એટલે કે તમારું વજન ઓછુ થઇ શકે છે. રિસર્ચમાં સામે આવ્યુ છે કે, શોર્ટ ટમ ફાસ્ટિંગ એટલે કે થોડા સમય સુધીની ઉપવાસથી શરીરનું મેટાબોલિઝમ ઝડપી થઇ જાય છે, જેથી શરીર ઉતારવામાં મદદરૂપ થાય છે.
ADVERTISEMENT
વ્રત કરવાથી શરીર શુદ્ઘ થાય છે. શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર નીકળે છે. પરંતુ શરત એટલી છે કે આ વ્રત દરમિયાન તમારે ફક્ત ફળ અને શાકભાજીનું સેવન કરવાનું હોય છે. આર્યુવેદ અનુસાર, વ્રત રાખવાથી શરીરમાં જઠરાગ્રિ વધે છે. તેનાથી પાચન ખૂબ સારી રીતે થાય છે અને ગેસની સમસ્યા પણ દૂર થાય છે.
વ્રત આપણા શરીરને હળવુ કરવામાં મદદ કરે છે અને સાથે સાથે મગજને પણ વધુ ફ્રેશ રાખે છે. વ્રતની સકારાત્મક અસર આરોગ્ય પર પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.