બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / Farmers protest march was stopped by police in Noida

દિલ્હી / ખેડૂતોએ ફરી ચડાવી બાંયો: ટોળેટોળાં સંસદ જવા નીકળ્યા, નોઇડામાં ચક્કાજામ

Vaidehi

Last Updated: 06:36 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફરી એકવાર પોતાની અલગ-અલગ માંગોને લઈને ખેડૂતો લડતમાં ઊતરી ગયાં છે. ખેડૂતોની આ મહાકૂચને લીધે દિલ્હી-નોઈડા બોર્ડર પર સંગ્રામ જેવી સ્થિતિ થઈ ગઈ હતી. દિલ્હી- નોઈડા, ચિલ્લા બોર્ડર પર સુરક્ષા બમણી કરી દેવાઈ હતી.

  • ખેડૂતોની કૂચની નોઈડામાં પોલીસ દ્વારા અટકાયત
  • અટકાયતને લીધે વિસ્તારમાં ખેડૂતોનો ચક્કાજામ 
  • ચિલ્લા બોર્ડર પર સિક્યોરિટી વધારી દેવામાં આવી

ઉત્તરપ્રદેશથી દિલ્હી કૂચ કરી રહેલાં ખેડૂતોની પોલીસે નોઈડામાં અટકાયત કરી હતી જ્યારે તેઓ ચિલ્લા બોર્ડર તરફ આગળ વધી ગયાં હતાં. આજે થોડીવાર પહેલાં મહામાયા ફ્લાઈઓવરની પાસે નોઈડાનાં દલિત પ્રેરણા સ્થળની પાસે આ ખેડૂતોની અટકાયત કરવામાં આવી. જેના લીધે આ સ્થળે ખેડૂતોનો ચક્કાજામ થઈ ગયો હતો.

રૂટ્સને ડાયવર્ટ કરી દેવામાં આવ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે અહીંનાં રૂટ્સને પહેલા જ ડાયવર્ટ કરી દીધું હતું. ક્રેન, બુલડોઝર, વ્રજ વાહન અને ડ્રોન કેમેરાથી દેખરેખ પણ કરવામાં આવી હતી. ખેડૂતોનાં વિરોધ પ્રદર્શનને જોતાં દિલ્હી-નોઈડા બોર્ડર પર લાંબા સમય સુધી જામ લાગેલો હતો. અનેક રૂટ્સને ડાયવર્ટ કરી દેવામાં આવ્યું જેથી લોકોને થોડી ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. દિલ્હી -નોઈડા ચિલ્લા બોર્ડર પર સિક્યોરિટી પણ વધારી દેવામાં આવી છે. પોલીસ સતત ખેડૂતોની સાથે વાત કરી રહી છે જેથી તેઓ પોતાનું પ્રદર્શન રોકી દે.

શા માટે ખેડૂતો કરી રહ્યાં છે પ્રદર્શન?
કિસાન સંગઠન ડિસેમ્બર 2023થી નોઈડા અને ગ્રેટર નોઈડા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંપાદિત કરવામાં આવેલી તેમની જમીનના બદલામાં વળતર અને પ્લોટની માંગને લઈને વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ પોતાની માંગોને લઈને રાજ્ય સરકાર અને સ્થાનીક પ્રશાસન પર દબાણ વધારવા માટે 7 ફેબ્રુઆરીનાં ખેડૂત મહાપંચાયત પણ બોલાવી હતી. 8નાં રાજધાની દિલ્હીમાં સંસદ સુધી વિરોધ માર્ટ નિકાળવાનું એલાન કર્યું હતું.

ગૌતમબુદ્ધ નગરમાં કલમ 144 લાગૂ
ગૌતમબુદ્ધ નગરનાં SP શિવહરિ મીનાએ મીડિયાને જણાવ્યું કે નોઈડા અને ગ્રેટર નોઈડામાં સેક્શન 144 લાગૂ કરવામાં આવ્યું છે જ્યારે તમામ બોર્ડરોને 24 કલાક માટે સીલ પણ કરી દેવામાં આવી છે. કોઈપણ પ્રકારની અપ્રિય ઘટનાને રોકવા માટે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેઓ સતત ખેડૂતો સાથે વાત કરી રહ્યાં છે અને નોઈડામાં આવનારી તમામ ગાડીઓની ચેકિંગ પણ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો: લોકસભામાં શ્વેતપત્ર લાવી મોદી સરકાર: UPAના સમયમાં ઈકોનોમી સંભાળવામાં થયેલી ભૂલો પર થશે ચર્ચા

ખેડૂતોનું કહેવું છે કે" સત્તાધીશો દ્વારા ખેડૂતોની સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યું." કિસાન સભાનાં જિલ્લા અધ્યક્ષ રૂપેશ વર્માએ કહ્યું કે," ગૌતમ બુદ્ધ નગરમાં ત્રણેય સત્તાધીશોમાં ખેડૂતોની પરેશાનીઓનાં મુદા એક જેવા છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ