બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Video: બ્લૂ શર્ટ, આંખો પર ગોગલ્સ, RSSના કાર્યક્રમમાં સલમાન ખાનની દબંગ એન્ટ્રી

મુંબઈ / Video: બ્લૂ શર્ટ, આંખો પર ગોગલ્સ, RSSના કાર્યક્રમમાં સલમાન ખાનની દબંગ એન્ટ્રી

Ajitsinh Jadeja

Last Updated: 06:15 PM, 7 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RSS Vyakhanmala: સંઘના આ કાર્યક્રમમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન અયોધ્યાની મુલાકાત લેનારા અગ્રણી વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

RSS Vyakhanmala: સંઘના આ કાર્યક્રમમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન અયોધ્યાની મુલાકાત લેનારા અગ્રણી વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. કુલ 1,208 લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે, જેમાંથી 850 થી વધુ મહાનુભાવોએ હાજરી આપી છે.

મુંબઈમાં યોજાઈ રહેલી આરએસએસ વ્યાખ્યાનમાળા કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પહોંચ્યા છે. આ કાર્યક્રમ આરએસએસની ભવ્ય 100 વર્ષની યાત્રા વિશે છે. સલમાનની સાથે શાહરૂખ ખાન અને આમિર ખાનને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. હજુ સુધી સ્પષ્ટ નથી કે બંને કલાકારો હાજરી આપશે કે નહીં. જોકે સલમાન ખાન આ કાર્યક્રમમાં પહોંચ્યા છે. તેમની એન્ટ્રી શાનદાર હતી. સલમાનના આગમનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ ઘેરા વાદળી શર્ટ અને ચશ્મા પહેરેલા જોવા મળે છે. નોંધનીય છે કે આરએસએસના વડા ડૉ. મોહન ભાગવત પણ આ કાર્યક્રમને સંબોધિત કરશે, જેમાં તેઓ આરએસએસની 100 વર્ષની યાત્રા વિશે વાત કરશે.

અમિતાભ બચ્ચન અને અનુપમ ખેરને પણ આમંત્રિત કરવામાં આવ્યા

એ નોંધવું જોઈએ કે રામ મંદિર પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન અયોધ્યાની મુલાકાત લેનારા અગ્રણી વ્યક્તિઓને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. ગાયિકા આશા ભોંસલે, ફિલ્મ નિર્માતા બોની કપૂર, ચિરાગ શેટ્ટી અને ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકરનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. અભિનેતા અમિતાભ બચ્ચન અને અનુપમ ખેરને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ આ કાર્યક્રમમાં તેઓ સામેલ થશે કે નહી તે હતુ કન્ફર્મ થયુ નથી.

1208 લોકોને આમંત્રણ, જેમાં 850 થી વધુ મહેમાનો સામેલ

બિઝનેસ વર્લ્ડમાંથી કુમાર મંગલમ બિરલા અને અંબાણી પરિવારને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, જ્યારે બોલિવૂડના ત્રણ ખાન, શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. ક્રિકેટ જગતમાંથી રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમની વર્લ્ડ કપ કમિટમેંટને કારણે તેઓ હાજરી આપી શકશે નહીં. આરએસએસ કાર્યક્રમમાં કુલ 1208 લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે, જેમાં 850 થી વધુ મહાનુભાવો હાજર રહ્યા છે.

vtv app promotion

આ પણ વાંચોઃ કોણ છે રિતુ તાવડે? જેઓ બનશે મુંબઈના નવા Bigg Boss, જુઓ રાજનૈતિક બેકગ્રાઉન્ડ

મુંબઈના નેહરુ સેન્ટર ઓડિટોરિયમ ખાતે આરએસએસ કાર્યક્રમ

આરએસએસ વડા ડૉ. મોહન ભાગવત 7 અને 8 ફેબ્રુઆરીએ મુંબઈના નેહરુ સેન્ટર ઓડિટોરિયમ ખાતે "નએ ક્ષિતિજ" નામની બે દિવસીય વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરી રહ્યા છે. આ કાર્યક્રમ આરએસએસના શતાબ્દી ઉજવણીના ભાગ રૂપે સંગઠનની 100મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કરવામાં આવી રહ્યો છે. પ્રથમ દિવસે ડૉ. મોહન ભાગવત આમંત્રિત મહેમાનોને સંબોધિત કરશે, જેમાં આરએસએસની યાત્રા, વિચારધારા અને ભવિષ્ય માટેના દ્રષ્ટિકોણની રૂપરેખા આપશે.

આરએસએસ કાર્યક્રમનો હેતુ જાણો

બીજા દિવસે એક ઇન્ટરેક્ટિવ સત્ર હશે જેમાં આરએસએસ વડા વિવિધ ક્ષેત્રોના અગ્રણી વ્યક્તિઓના પ્રશ્નોના જવાબ આપશે. આ વ્યાખ્યાન શ્રૃંખલાનો ઉદ્દેશ્ય સામાજિક પરિવર્તન, રાષ્ટ્રીય મૂલ્યો અને ભારતની વિકસતી ભૂમિકા પર ચર્ચાને પ્રોત્સાહન આપવાનો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai RSS Program RSS Vyakaranmala Mumbai
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ