બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:15 PM, 7 February 2026
મુંબઈની રાજનીતિમાં એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. દેશની સૌથી સમૃદ્ધ અને શક્તિશાળી મહાનગરપાલિકા ગણાતી BMCને તેના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની મેયર મળી રહી છે. આ જવાબદારી BJPની સિનિયર કોર્પોરેટર રિતુ તાવડેને સોંપવામાં આવી છે. વર્ષો સુધી શિવસેનાનો મજબૂત ગઢ ગણાતી BMCમાં ભાજપની આ જીતને રાજકીય દૃષ્ટિએ એક મોટો ટર્નિંગ પોઇન્ટ માનવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT

રિતુ તાવડેના નામની જાહેરાત થતાં જ મુંબઈના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોણ છે રિતુ તાવડે, કેવી રીતે તેમણે આ મુકામ હાંસલ કર્યો અને આગળ BMCની કાર્યશૈલી પર તેમનો કેટલો પ્રભાવ પડશે, તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે. આ સાથે જ શિવસેનાએ ઉપમેયર પદ માટે સંજય શંકર ઘાડીનું નામ આગળ કરીને સત્તાસંતુલન જાળવવાની રણનીતિ અપનાવી છે. આવનારા સમયમાં આ બંને પક્ષોની ભૂમિકા BMCના નિર્ણયો અને વિકાસ નીતિઓને નવી દિશા આપશે તેવું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT

BMCમાં મેયર પદ પર ભાજપની આ પહેલી જીતને પાર્ટી માટે સંગઠનાત્મક સફળતા તરીકે જોવામાં આવી રહી છે. મુંબઈ જેવા મહાનગરમાં જ્યાં સ્થાનિક મુદ્દાઓ, વિકાસ, માળખાકીય સુવિધાઓ અને રાજકીય સમીકરણો અત્યંત જટિલ છે, ત્યાં ભાજપે આ સ્થાન હાંસલ કરવું એ તેના વિસ્તરતા પ્રભાવનું પ્રતિક છે. રિતુ તાવડેની પસંદગી માત્ર એક ચહેરા તરીકે નહીં પરંતુ એક રાજકીય સંદેશ તરીકે પણ જોવામાં આવી રહી છે.
ADVERTISEMENT
રિતુ તાવડેનો રાજકીય સફર જમીન પરથી શરૂ થયો છે. વર્ષ 2012માં તેમણે પહેલી વખત વોર્ડ નંબર 127માંથી BMCની ચૂંટણી જીતી અને મહાનગરપાલિકાની રાજનીતિમાં પગ મૂક્યો. ત્યારબાદ 2017માં તેઓ ઘાટકોપર વિસ્તારના વોર્ડ નંબર 121માંથી ચૂંટાઈ આવ્યા અને 2025ની ચૂંટણીમાં વોર્ડ નંબર 132માંથી ફરી એકવાર જીત નોંધાવી. સતત ત્રણ વખત પાર્ષદ તરીકે ચૂંટાવું એ તેમની લોકપ્રિયતા અને સંગઠન પરની મજબૂત પકડ દર્શાવે છે.

ADVERTISEMENT
તેમના કાર્યકાળ દરમિયાન રિતુ તાવડે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની શિક્ષણ સમિતિના અધ્યક્ષ પદે પણ રહી ચૂક્યા છે. આ ભૂમિકામાં તેમણે શાળાઓ, શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓ માટેની સુવિધાઓને લઈને સક્રિય કામગીરી કરી હતી. નાગરિક મુદ્દાઓ પર સતત હાજરી અને લોકો સાથે સીધો સંવાદ રાખવાની તેમની શૈલીને કારણે તેઓ વિસ્તારના લોકોમાં વિશ્વસનીય નેતા તરીકે ઓળખાય છે.
મીડિયા સાથે વાતચીત દરમિયાન રિતુ તાવડેે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મુંબઈનો અસલી રંગ ભગવો છે. તેમના આ નિવેદનને રાજકીય રીતે ખૂબ મહત્વનું માનવામાં આવ્યું છે. સાથે જ તેમણે બાંગ્લાદેશી ઘૂસણખોરોના મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. તેમનું કહેવું છે કે ગેરકાયદે બાંગ્લાદેશીઓના કારણે મુંબઈકરોના હક છીનવાઈ રહ્યા છે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જરૂરી છે.
ADVERTISEMENT
રિતુ તાવડેે કહ્યું કે હવે તેમની જવાબદારી અનેકગણી વધી ગઈ છે અને મુંબઈકરોને તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તેમણે મહિલાઓની ભૂમિકા પર ભાર મૂકતા કહ્યું કે મહિલા 365 દિવસ પરિવાર અને સમાજની જવાબદારી સંભાળે છે અને દેશના વડાપ્રધાન પણ સતત મહિલાઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા આવ્યા છે. મેયર પદ માટે નામની જાહેરાત બાદ ‘માતોશ્રી’ સહિત સમગ્ર રાજકીય માહોલમાં હલચલ વધી છે, જે આવનારા દિવસોમાં વધુ રાજકીય ફેરફારોનું સંકેત આપી રહી છે.
રાજકીય પૃષ્ઠભૂમિની વાત કરીએ તો રિતુ તાવડે હાલ મહારાષ્ટ્ર પ્રદેશ મહિલા મોરચાની ઉપાધ્યક્ષ તરીકે પણ સક્રિય છે. તેઓ મરાઠા સમાજમાંથી આવે છે, છતાં ગુજરાતીઓની બહુલતા ધરાવતા વોર્ડમાં પણ તેમની મજબૂત પકડ રહી છે. સ્થાનિક સમસ્યાઓને જમીન સ્તરે ઉકેલવાની ક્ષમતા અને સંગઠનમાં તેમની સમજદારીને કારણે જ તેઓ મેયર પદ સુધી પહોંચી હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે. નોંધનીય છે કે તેમણે 2012માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાણ કર્યું હતું, અને ત્યારબાદ સતત પાર્ટીમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું.
ADVERTISEMENT
આ પણ વાંચો: ઠંડા પવનોને કારણે વધશે ઠંડી, દક્ષિણ રાજ્યોમાં વરસાદની સંભાવના, પહાડો પર હિમવર્ષાની આગાહી
રિતુ તાવડેની મેયર તરીકેની નિમણૂક સાથે BMCના ઈતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. હવે સૌની નજર તેમના નેતૃત્વ પર છે કે તેઓ વિકાસ, શાસન અને રાજકીય સંતુલન વચ્ચે કેવી રીતે માર્ગ કાઢે છે. મુંબઈની નાગરિક રાજનીતિમાં આ ફેરફાર લાંબા ગાળે શું અસર કરશે, તે આવનારો સમય જ બતાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.