બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Due to this Vastu Dosh Lakshmi does not reside in the house know the remedies associated with it
Last Updated: 07:08 PM, 28 October 2022
ADVERTISEMENT
હિંદુ ધર્મ અનુસાર માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. તેમને ખુશ કરવા ખૂબ જ સરળ છે. જરૂરી નથી કે સફળતા માટે તમારે દરેક વખતે સખત મહેનત કરવી પડે. ધન પ્રાપ્તિમાં માત્ર પૂજા જ નહીં, પરંતુ વાસ્તુશાસ્ત્ર પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરનું વાસ્તુ સાચું હોય તો માતા લક્ષ્મી તેનાથી પ્રસન્ન થાય છે અને તમારા પર પોતાની વિશેષ કૃપા જાળવી રાખે છે.
ADVERTISEMENT
વાસ્તુ દોષથી બગડે છે તમારા કામ
વાસ્તુ અનુસાર નવું ઘર બનાવતી વખતે અથવા તેમાં વસ્તુઓ મુકતી વખતે આપણે દરેક દિશાને લગતા નિયમોનું પાલન કરવું જોઈએ. ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુમાં એક એનર્જી હોય છે. જે વ્યક્તિ પર સકારાત્મક અને નકારાત્મક બંને રીતે અસર કરે છે. એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો તમારા દ્વારા કરવામાં આવતા કામ પણ બગડવા લાગે છે. ચાલો જાણીએ વાસ્તુ સંબંધિત કેટલાક નિયમો વિશે.
અંદરની તરફ ખુલવા જોઈએ ઘરના દ્વાર
વાસ્તુ અનુસાર ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ તેનો મુખ્ય દરવાજો છે. ઘરની સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે પ્રયાસ કરો કે ઘરના તમામ દરવાજા અંદરની તરફ ખુલવા જોઈએ. ખાસ કરીને ઘરનો મુખ્ય દરવાજો. જો તમે નવું ઘર બનાવી રહ્યા છો, તો પ્રયાસ કરો કે ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર દિશા તરફ હોવો જોઈએ. સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય માટે તમારા મુખ્ય દરવાજાને હંમેશા સાફ રાખો.
આ દિશામાં રાખો ફર્નીચર
ઘરમાં ફર્નીચર રાખતી વખતે ધ્યાન રાખો કે તેને હંમેશા સાચી દિશામાં રાખવામાં આવે. હલકું ફર્નિચર ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવું અને ભારે ફર્નિચર દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે. આજના સમયમાં પ્લાસ્ટિકનું ફર્નિચર લેવાનું ચલણ ઘણું વધી ગયું છે, પરંતુ વાસ્તુ અનુસાર તેનાથી ઘરની નકારાત્મકતા વધે છે. હંમેશા લાકડાનું ફર્નિચર ખરીદવાનો પ્રયાસ કરો.
પાણીની ટાંકી આ દિશામાં રાખો
વાસ્તુ અનુસાર છત પર મૂકેલી પાણીની ટાંકી હંમેશા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ઘરની દરેક વ્યક્તિને કોઈને કોઈ રીતે ફાયદો થાય છે.
આ દિશામાં બનાવો ઘરમાં મંદિર
ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે પૂજા સ્થળ કે મંદિરને ઈશાન ખુણામાં એટલે કે ઉત્તર-પૂર્વમાં બનાવવાનો પ્રયાસ કરો. ધ્યાન રાખો કે જ્યારે તમે પૂજા કરી રહ્યા હોવ ત્યારે તમારું મુખ ઉત્તર-પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. વાસ્તુ અનુસાર તમારા પૂજા સ્થાન પર તમારા પૂર્વજોનો ફોટો ક્યારેય ન લગાવો.
આ દિશામાં રાખો રસોડુ
રસોડું હંમેશા ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં બનાવવું જોઈએ. રસોઈ બનાવતી વખતે, તમારા ચહેરાને ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવાનો પ્રયાસ કરો. તમે રસોડામાં જે પણ કચરો ભેગો કરો છો, તેને રસોઈ કર્યા પછી તરત જ ફેંકી દો. આમ કરવાથી ઘરમાં ગરીબી નહીં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.