બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પ્રેગ્નન્સીમાં નાળિયેર પાણી પીવાથી ગોરા ચિટ્ટા બાળકો પેદા થાય? જાણો સચ્ચાઈ

હેલ્થ / પ્રેગ્નન્સીમાં નાળિયેર પાણી પીવાથી ગોરા ચિટ્ટા બાળકો પેદા થાય? જાણો સચ્ચાઈ

Nirav Kumar

Last Updated: 08:00 PM, 15 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગર્ભાવસ્થા દરમિયાન ઘણી સ્ત્રીઓ અમુક માન્યતાઓને ફોલો કરે છે, એ જાણ્યા સમજ્યા વગર કે, આ બાબત સાયન્ટિફિક રીતે પ્રુવ થઇ છે કે, નહીં. આવી જ એક માન્યતા છે કે, ગર્ભાવસ્થા દરમિયાન નાળિયેર પાણી પીવાથી બાળક ગોરું પેદા થાય છે.

ગર્ભાવસ્થા એ દરેક સ્ત્રી માટે ખાસ સમય મનાય છે. ગર્ભાવસ્થા દરમિયાન આહાર અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પણ આ સમય દરમિયાન સ્ત્રીઓ ઘણીવાર અમુક માન્યતાઓમાં વિશ્વાસ કરે છે. આવી જ એક માન્યતા છે કે ગર્ભાવસ્થા દરમિયાન નાળિયેર પાણી પીવાથી બાળક ગોરું પેદા થાય છે. આથી ઘણી સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન વધુ નાળિયેર પાણી પીવાનું શરૂ કરે છે તે જાણ્યા વગર કે આ દાવો સાચો છે ખોટો? તો ચાલો જાણીએ કે શું દરરોજ નાળિયેર પાણી પીવાથી ખરેખર બાળક ગોરું પેદા થાય છે અને આ દાવામાં કેટલી સચ્ચાઈ છે.

  • નાળિયેર પાણી પીવાથી બાળક આવે છે ગોરું ?
    હેલ્થ એક્સપર્ટ અનુસાર, બાળકની ત્વચાનો રંગ સંપૂર્ણ રીતે માતાપિતાના આનુવંશિક લક્ષણો એટલે કે જનીનો પર આધાર રાખે છે. શરીરમાં મેલેનિનનું પ્રમાણ નક્કી કરે છે કે બાળકની ત્વચા ગોરી રહેશે કે કાળી. જો શરીરમાં મેલેનિન વધુ હોય તો બાળક કાળી ત્વચાવાળું જન્મે છે, જો મેલાનિન ઓછું હોય તો બાળકનો રંગ થોડો જ ગોરો કે ઘઉંવર્ણું હોય છે. આથી ગર્ભાવસ્થા દરમિયાન નાળિયેર પાણી પીવું, નાળિયેર ખાવું, કે કેસર દૂધ પીવાથી બાળકના રંગ પર અસર થતી નથી. કોઈપણ ખોરાક કે પીણાથી ત્વચાના રંગ પર અસર થતી હોવાનું સાયન્ટિફિક રીતે સાબિત થયું નથી.

vtv app promotion
  • ડૉક્ટરના મંતવ્યો શું છે?

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં દાવો કરવામાં આવે છે કે નાળિયેર પાણી પીવાથી બાળક ગોરી ત્વચાવાળું જન્મે છે. આ વીડિયોમાં એવો પણ દાવો હોય છે કે ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિના દરમિયાન નાળિયેર પાણી પીવામાં આવે તો બાળક ગોરી ત્વચાવાળું જન્મે છે. પણ ઘણા ડૉક્ટરએ આ દાવાઓને સંપૂર્ણ રીતે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. ડૉક્ટરો માને છે કે નાળિયેર પાણીનો બાળકના રંગ સાથે કોઈ સંબંધ નથી. ડૉક્ટરો મુજબ, એવા કોઈ મેડિકલ પુરાવા નથી કે કોઈ પોષક તત્વો બાળકની ત્વચાનો રંગ બદલી શકે છે.

વધુ વાંચો : શરીરમાં આ સંકેતો દેખાય તો સમજો તમે બની ગયા ડાયાબિટીસના શિકાર

  • ગર્ભાવસ્થા દરમિયાન નાળિયેર પાણી

નાળિયેર પાણી પીવાથી આવનારા બાળકનો રંગ બદલાતો નથી તે વાત સાચી છે પણ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. નાળિયેર પાણીમાં કેલ્શિયમ, પોટેશિયમ અને ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરને હાઇડ્રેટ કરવામાં, ઉર્જા આપવામાં અને પાચન સુધારવામાં મદદ કરે છે. નાળિયેર પાણી ગરમી, ઉલટી અને ડિહાઇડ્રેશનમાં પણ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર ધરાવતી સગર્ભા સ્ત્રીઓએ ડૉક્ટરની સલાહ લીધા બાદ જ નાળિયેર પાણી પીવું જોઈએ. નાળિયેર પાણીમાં નેચરલ સુગર અને પોટેશિયમ હોય છે, જે સગર્ભા સ્ત્રીઓમાં ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારી શકે છે.

(DISCLAIMER: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Skin Color Pregnancy Coconut water
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ