બ્રેકિંગ ન્યુઝ
ઘણા લોકોની આદત હોય છે કે ખાતી વખતે વચ્ચે વચ્ચે પાણી પણ પીતા રહે છે ઘણા લોકોનું માનવું છે કે આ આદત તેમના હેલ્થ માટે જીવલેણ છે. જ્યારે એવા પણ લોકો છે, જે આ વાતને માત્ર અફવા માને છે.
ADVERTISEMENT
જમતી વખતે પાણી પીવાથી ખોરાક પચાવતા એન્ઝાઇમ અને ઍસિડ પાણી સાથે મિશ્રિત થઈ જાય છે, જેનાથી ખોરાક પચવામાં વધુ સમય અને એનર્જી લાગે છે. જો કે આ વાતનો સ્પષ્ટ પુરાવો નથી
આ સંદર્ભમાં, એક સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં 12 અઠવાડિયા માટે લોકોના ખોરાક પર નજર રાખવામાં આવી હતી. તેમાં એ જાણવા મળ્યું કે જે લોકોએ ખાતા પહેલાં પાણી પીધું હતું, તેઓ અન્યની તુલનામાં આશરે 2 કિલો વજન ઘટાડવામાં સફળ થયા હતા.
ADVERTISEMENT
તેમાં એ પણ ખુલાસો થયો કે ભોજન દરમિયાન પાણી પીવાથી ચયાપચયના દરને પણ અસર થાય છે. આપને જણાવી દઈએ કે આહારમાં ખાંડ ધરાવતી ચીજ ખાવાથી કેલરીમાં 8 થી 15 ટકા જેટલો વધારો થાય છે. જો તમે gastroesophageal reflux disease થી પીડાતા હોવ તો, ખાવાના સમયે પ્રવાહીનો ઉપયોગ તમારા માટે નુકસાનકારક છે.
જો જમતી વખતે આલ્કોહોલનું સેવન કરવામાં આવે તો, તેનાથી મોંમાં લાળ બનાવવાની પ્રક્રિયા પર અસર થાય છે. જેથી પાચનતંત્ર પર અસર થાય છે અને ખોરાક યોગ્ય રીતે નથી પચી શકતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.