બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
શું તમને સવારના સમયે ચક્કર આવે છે?
સવારે-સવારે ચક્કર આવવાના ઘણા કારણ હોઇ શકે છે, જેમકે ડિહાઈડ્રેશન અને પોષક તત્વોની કમી વગેરે. સવારના સમયે ચક્કર આવવાના અનેક લક્ષણો હોય છે, તેથી એવામાં જરૂરી છે કે જો તમારે આ સમસ્યાનો સામનો વધુ કરવો પડી રહ્યો છે તો તમે ડૉક્ટર સાથે સંપર્ક કરો અને પોતાની આ સમસ્યા અંગે જણાવો.
ADVERTISEMENT
એનીમિયા- એનીમિયાની સમસ્યાનો સામનો ત્યારે કરવો પડે છે, જ્યારે તમારા શરીરમાં લાલ રક્ત કોશિકાઓ ઑક્સિજનને શરીરમાં સારી રીતે પહોંચવા દેતી નથી. જ્યારે યોગ્ય માત્રામાં ઑક્સિજન તમારા મગજમાં પહોંચતો નથી તો તેનાથી ચક્કર આવવા લાગે છે. હેલ્થ એક્સપર્ટસનુ કહેવુ છે કે મનને સારી રીતે કામ કરવા માટે ભરપૂર માત્રામાં ઑક્સિજનની જરૂર હોય છે.

ADVERTISEMENT
એનીમિયાના અન્ય લક્ષણોમાં સામેલ છે
શ્વાસ લેવામાં મુશ્કેલી
હાથ-પગ ઠંડા પડવા
ઉઠવા અથવા બેસવામાં વધુ થાક લાગવો
નબળાઈ
સ્કિનને પીળી પાડવી
માથાનો દુ:ખાવો
ADVERTISEMENT
ડિહાઈડ્રેશન- શરીરને સારી રીતે કામ કરવા માટે ભરપૂર માત્રામાં પાણી અને બાકી ફ્લૂઈડ્સની જરૂર હોય છે. જ્યારે શરીરમાં પાણી અને ફ્લૂઈડની માત્રા ઓછી હોય છે તો મગજ સુધી ઑક્સિજનનો સપ્લાય થતો નથી. જેના કારણે ચક્કર આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
ડિહાઈડ્રેશનના અન્ય લક્ષણોમાં સામેલ છે
ADVERTISEMENT
ભ્રમ થવો
થાક
ઉઠતી-બેસતી વખતે ચક્કર આવવા
નબળાઈ
ગરમી બર્દાશ્ત ના થવી

ADVERTISEMENT
વ્યક્તિએ એક દિવસમાં 8 ગ્લાસ પાણીનુ સેવન કરવુ
જો તમને ડિહાઈડ્રેશનના કારણે ચક્કર આવવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો જરૂરી છે કે તમે પાણી અને બાકી લિક્વિડ વસ્તુઓનુ સેવન વધુમાં વધુ માત્રામાં કરો તેથી શરીરના બધા અંગોને પૂરતી માત્રામાં ઓક્સિજન મળી શકે. વ્યક્તિને એક દિવસમાં લગભગ 8 ગ્લાસ પાણીનુ સેવન અવશ્ય કરવુ જોઈએ. પરંતુ ઉંમર, વજન અને તમે કયા લેવલની ફિઝીકલ એક્ટિવિટી કરો છો તેના આધારે તમારે ફ્લૂઈડ્સની જરૂરીયાત વધુ હોઇ શકે છે.
બિનાઈન પેરોક્સીમલ પોઝિશનલ વર્ટિગો (બીપીપીવી)- જો તમે ફરવા અથવા પડખુ લેવામાં થોડા-થોડા સમય માટે વારંવાર ચક્કર આવે છે તો આ કાન સંબંધિત સમસ્યા હોઇ શકે છે, જેનાથી બિનાઈન પેરોક્સીમલ પોઝિશનલ વર્ટિગો કહે છે. પેરોક્સીમલનો અર્થ અચાનકથી ચક્કર આવવાનો છે, જેની અસર થોડા સમય માટે રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.