બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / dizziness causes warning sign of these problems

સ્વાસ્થ્ય / સવારમાં ઉઠતાવેંત ચક્કર આવવા લાગે તો સાવધાન, નહીં તો સપડાઇ જશો આ ગંભીર બીમારીઓમાં!

Premal

Last Updated: 01:10 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવા ઘણા લોકો છે, જેનુ સવારે ઉઠ્યા બાદ માથુ ફરે છે અથવા ચક્કર આવે છે. સવારે ઉઠતા જ ચક્કર આવવા ઘણી બિમારીઓ તરફ ઈશારો કરે છે. એવામાં અમે તમને અમુક એવા કારણો અંગે જણાવી રહ્યાં છે, જેને પગલે ચક્કર આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

  • સવારે ઉઠ્યા બાદ માથુ ફરે છે અથવા ચક્કર આવે છે?
  • અનેક બિમારીઓ તરફ કરે છે ઈશારો
  • આ સમસ્યા વધુ રહેતી હોય તો તાત્કાલિક ડૉકટરનો સંપર્ક કરો

શું તમને સવારના સમયે ચક્કર આવે છે? 

સવારે-સવારે ચક્કર આવવાના ઘણા કારણ હોઇ શકે છે, જેમકે ડિહાઈડ્રેશન અને પોષક તત્વોની કમી વગેરે. સવારના સમયે ચક્કર આવવાના અનેક લક્ષણો હોય છે, તેથી એવામાં જરૂરી છે કે જો તમારે આ સમસ્યાનો સામનો વધુ કરવો પડી રહ્યો છે તો તમે ડૉક્ટર સાથે સંપર્ક કરો અને પોતાની આ સમસ્યા અંગે જણાવો. 

એનીમિયા- એનીમિયાની સમસ્યાનો સામનો ત્યારે કરવો પડે છે, જ્યારે તમારા શરીરમાં લાલ રક્ત કોશિકાઓ ઑક્સિજનને શરીરમાં સારી રીતે પહોંચવા દેતી નથી. જ્યારે યોગ્ય માત્રામાં ઑક્સિજન તમારા મગજમાં પહોંચતો નથી તો તેનાથી ચક્કર આવવા લાગે છે. હેલ્થ એક્સપર્ટસનુ કહેવુ છે કે મનને સારી રીતે કામ કરવા માટે ભરપૂર માત્રામાં ઑક્સિજનની જરૂર હોય છે. 

એનીમિયાના અન્ય લક્ષણોમાં સામેલ છે

શ્વાસ લેવામાં મુશ્કેલી
હાથ-પગ ઠંડા પડવા
ઉઠવા અથવા બેસવામાં વધુ થાક લાગવો
નબળાઈ
સ્કિનને પીળી પાડવી
માથાનો દુ:ખાવો 

ડિહાઈડ્રેશન- શરીરને સારી રીતે કામ કરવા માટે ભરપૂર માત્રામાં પાણી અને બાકી ફ્લૂઈડ્સની જરૂર હોય છે. જ્યારે શરીરમાં પાણી અને ફ્લૂઈડની માત્રા ઓછી હોય છે તો મગજ સુધી ઑક્સિજનનો સપ્લાય થતો નથી. જેના કારણે ચક્કર આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. 

ડિહાઈડ્રેશનના અન્ય લક્ષણોમાં સામેલ છે

ભ્રમ થવો
થાક
ઉઠતી-બેસતી વખતે ચક્કર આવવા
નબળાઈ
ગરમી બર્દાશ્ત ના થવી 

વ્યક્તિએ એક દિવસમાં 8 ગ્લાસ પાણીનુ સેવન કરવુ 

જો તમને ડિહાઈડ્રેશનના કારણે ચક્કર આવવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો જરૂરી છે કે તમે પાણી અને બાકી લિક્વિડ વસ્તુઓનુ સેવન વધુમાં વધુ માત્રામાં કરો તેથી શરીરના બધા અંગોને પૂરતી માત્રામાં ઓક્સિજન મળી શકે. વ્યક્તિને એક દિવસમાં લગભગ 8 ગ્લાસ પાણીનુ સેવન અવશ્ય કરવુ જોઈએ. પરંતુ ઉંમર, વજન અને તમે કયા લેવલની ફિઝીકલ એક્ટિવિટી કરો છો તેના આધારે તમારે ફ્લૂઈડ્સની જરૂરીયાત વધુ હોઇ શકે છે. 

બિનાઈન પેરોક્સીમલ પોઝિશનલ વર્ટિગો (બીપીપીવી)- જો તમે ફરવા અથવા પડખુ લેવામાં થોડા-થોડા સમય માટે વારંવાર ચક્કર આવે છે તો આ કાન સંબંધિત સમસ્યા હોઇ શકે છે, જેનાથી બિનાઈન પેરોક્સીમલ પોઝિશનલ વર્ટિગો કહે છે. પેરોક્સીમલનો અર્થ અચાનકથી ચક્કર આવવાનો છે, જેની અસર થોડા સમય માટે રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Dizziness Migraine headache માથાનો દુ:ખાવો Dizziness Causes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ