બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
VTV / ભારત / 'Didn't Get Parole For My Mother's Last Rites During Emergency': Rajnath Singh Hits Back At 'Tanashahi' Charge
Hiralal
Last Updated: 05:43 PM, 11 April 2024
વિપક્ષ મોદી સરકાર પર સતત તાનાશાહીનો આરોપ લગાવી રહ્યો છે. વિપક્ષના તાનાશાહીના આરોપ પર હવે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે 1975ની ઈમરજન્સીની ઘટનાનો ઉલ્લેખ કરીને પલટવાર કર્યો હતો. રાજનાથ સિંહે કહ્યું કે ઇમરજન્સી દ્વારા દેશ પર તાનાશાહી થોપનારા અમારા પર આ આરોપ લગાવે છે. તેમણે પોતાની માતાના મોતનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હું ત્યારે જેલમાં હતો અને અંતિમ સંસ્કાર માટે પેરોલ પણ મળ્યાં નહોતા. આ આખી ઘટના વર્ણવતાં રાજનાથ ખૂબ ભાવુક જોવા મળ્યાં હતા.
#WATCH | Slamming Cong over its manifesto promising "restoring of status quo ante" on borders with China, Defence Minister Rajnath Singh says, "I want to assure the countrymen that under PM Modi-led govt, no one can capture even an inch of our land & we won’t cede even an inch of… pic.twitter.com/ue0LySd2jy
— ANI (@ANI) April 11, 2024
રાજનાથે કહ્યું કે હું મારી માતાના અંતિમ દર્શન પણ કરી શક્યો નહોતો.
રાજનાથ સિંહે કહ્યું, 'હું ઇમરજન્સી દરમિયાન જેલમાં હતો. મારી માતા બીમાર હતા અને તેમને વારાણસીની માતા અમૃતાનંદમયી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મારી માતા 27 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યાં બાદ બ્રેઈન હેમરિજને કારણે તેમનું અવસાન થયું હતું. મારી માતાના અંતિમ સંસ્કાર માટે મને પેરોલ પણ આપવામાં આવી ન હતી. જો તમે સ્વસ્થ લોકતંત્રની વાત કરો છો તો એવા લોકો હોવા જોઇએ જે તેના માટે મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવે. જો તમે બધાને જેલમાં નાખો છો, તો તેઓ ક્યાંથી આવશે? આના પર રાજનાથ સિંહે કહ્યું કે તેઓ ભ્રષ્ટાચારના કારણે ગયા છે.
વધુ વાંચો : 'જો પાકિસ્તાન આતંકવાદને ખતમ ન કરી શકે તો અમે મદદ કરવા તૈયાર' રાજનાથ સિંહે આપી ઓફર
Those who call ModiJi a dictator, should listen carefully to @rajnathsingh ji and should know what dictatorship is and who was the real dictator in the India's politics.
— Nishant🇮🇳 (@iNishant4) April 11, 2024
With tearful eyes he presented this truth to the country,
"They call us dictators? I didn't get parole for… pic.twitter.com/bHkuIhK0IW
મોદી ત્રીજી વાર નહીં ચોથી વાર પીએમ બનશે
રાજનાથ સિંહે કહ્યું કે, નરેન્દ્ર મોદી માત્ર ત્રીજી વાર નહીં પરંતુ ચોથી વખત પણ પીએમ બનશે. જ્યાં સુધી તેઓ સ્વસ્થ અને સક્ષમ હશે ત્યાં સુધી તેઓ વડા પ્રધાન રહેશે. એટલું જ નહીં રાજનાથ સિંહે આ દરમિયાન પાકિસ્તાન પર પણ હુમલો કર્યો અને કહ્યું કે આજે તે આતંકવાદનો સામનો પોતાના દમ પર નથી કરી શકતો. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન સક્ષમ નથી તો પાડોશી દેશે ભારતની મદદ લેવી જોઈએ. અમે આતંકવાદનો સામનો કરવામાં મદદ કરીશું. ચીને ભારતની જમીન પર કબજો કર્યો હોવાના આક્ષેપો અંગે તેમણે કહ્યું હતું કે એક ઇંચ જમીન પર કબજો કરવામાં આવ્યો નથી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime