બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / Rajnath Singh says if Pakistan not able to end terrorism, India ready to help

નિવેદન / 'જો પાકિસ્તાન આતંકવાદને ખતમ ન કરી શકે તો અમે મદદ કરવા તૈયાર' રાજનાથ સિંહે આપી ઓફર

Vidhata

Last Updated: 02:44 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને આતંકવાદનો ખાતમો કરવા માટે મદદની ઓફર કરી છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન આતંકવાદને નિયંત્રિત કરવામાં અસમર્થ લાગે છે તો ભારત આતંકવાદને રોકવા માટે તેનો સહયોગ કરવા તૈયાર છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ આ દિવસોમાં પોતાની ચૂંટણી રેલી દરમિયાન ચીન અને પાકિસ્તાન પર જોરદાર નિશાન સાધી રહ્યા છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં રક્ષા મંત્રીએ પાકિસ્તાનને આતંકવાદનો ખાતમો કરવા માટે મદદની ઓફર કરી છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન આતંકવાદને નિયંત્રિત કરવામાં અસમર્થ લાગે છે તો ભારત આતંકવાદને રોકવા માટે તેને સહયોગ કરવા તૈયાર છે.

રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન પાસેથી મારી એ જ અપેક્ષા છે કે જો તે આતંકવાદનો સહારો લઈને ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરશે તો તેનું પરિણામ ભોગવવું પડશે. પાકિસ્તાને આતંકવાદ પર કાબૂ મેળવે. જો પાકિસ્તાનને લાગે છે કે તે આતંકવાદને કાબૂમાં રાખવામાં અસમર્થ છે તો પાડોશી દેશ ભારત પાસેથી સહયોગ માંગી શકે છે. ભારત આતંકવાદને રોકવા માટે તેમને સહકાર આપવા તૈયાર છે.

માતાનો ઉલ્લેખ કરીને ભાવુક થયા

રક્ષા મંત્રી રાજનાથ સિંહ 1975માં લાદવામાં આવેલી ઇમરજન્સી અને કોંગ્રેસ પાર્ટી વિશે વાત કરતા ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું, 'જે લોકોએ તાનાશાહીની કટોકટી લાદી હતી તેઓ હવે અમારા પર તાનાશાહ હોવાનો આરોપ લગાવે છે... મારી માતાને બ્રેઈન હેમરેજ થયું હતું અને કોંગ્રેસ સરકારે મને પેરોલ આપી ન હતી. હું મારી માતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી શક્યો ન હતો... મારી માતા 27 દિવસ સુધી હોસ્પિટલમાં રહી અને મને જેલમાં રાખવામાં આવ્યો અને મને મારી માતાને અંતિમ ક્ષણોમાં જોવાની પણ મંજૂરી ન આપવામાં આવી.'

કોઈ પણ આપણી જમીન પર નહીં કરી શકે કબજો

શું ચીને ભારતની જમીન પર કબજો કર્યો છે? તેના જવાબમાં રાજનાથ સિંહે કહ્યું કે પીએમ મોદીની સરકાર દરમિયાન કોઈ એક ઈંચ પણ જમીન પર કબજો કરી શકતું નથી. અમે ક્યારેય આપણી જમીન જવા દઈશું નહીં. PoKનો ઉલ્લેખ કરતા રાજનાથ સિંહે કહ્યું, 'PoK આપણું હતું, છે અને રહેશે.'

વધુ વાંચો: 'ચીન સાથેના સંબંધો મહત્વના, જલ્દી ઉકેલવો જોઈએ સરહદી વિવાદ', ભારત-ચીન વિવાદ પર શું બોલ્યા PM મોદી

ચીન પર પણ સાધ્યું નિશાન 

બે દિવસ પહેલા જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોના "નામ બદલવા" પર તીખી પ્રતિક્રિયા આપી હતી. રક્ષા મંત્રીએ કહ્યું કે જો ભારત પણ આવા જ પ્રયાસો કરે તો શું તેનો અર્થ એ થશે કે ચીનના તે વિસ્તારો 'આપણા પ્રદેશનો ભાગ' બની ગયા છે. મંગળવારે અરુણાચલ પ્રદેશના નામસાઈ વિસ્તારમાં એક ચૂંટણી રેલીને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે ઉત્તરપૂર્વીય રાજ્યમાં 30 સ્થળોના નામ બદલવાના ચીનના પગલાથી જમીની વાસ્તવિકતા નહીં બદલાય.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ