બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM Modi on India-China dispute said Relations with China are important

પ્રતિક્રિયા / 'ચીન સાથેના સંબંધો મહત્વના, જલ્દી ઉકેલવો જોઈએ સરહદી વિવાદ', ભારત-ચીન વિવાદ પર શું બોલ્યા PM મોદી

Megha

Last Updated: 10:48 AM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન મોદીએ ભારત અને ચીન વિવાદ પર મોટું નિવેદન આપતા કહ્યું કે ભારત અને ચીન વચ્ચેના સ્થિર સંબંધો માત્ર બંને દેશો માટે જ નહીં પરંતુ સમગ્ર ક્ષેત્ર અને વિશ્વ માટે મહત્વપૂર્ણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને ચીન વિવાદ પર મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવા માટે વિવાદિત LAC પર લાંબા સમયથી ચાલી રહેલી સ્થિતિને તાત્કાલિક ઉકેલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

વડાપ્રધાને આ વિશે કહ્યું હતું કે 'ચીન સાથેના સંબંધો ભારત માટે મહત્વપૂર્ણ છે. બંને દેશો વચ્ચેનો સરહદી વિવાદ જલ્દી ઉકેલવો જોઈએ. સાથે જ એમને આશા વ્યક્ત કરી છે કે રાજદ્વારી અને સૈન્ય સ્તરે સકારાત્મક અને રચનાત્મક દ્વિપક્ષીય સંબંધો દ્વારા ભારત-ચીન તેમની સરહદો પર શાંતિ પુનઃસ્થાપિત કરવામાં અને જાળવી રાખવામાં સક્ષમ બનશે.'

એક વાતચીત દરમિયાન પીએમ મોદી કહ્યું, 'મારું માનવું છે કે આપણે આપણી સરહદો પર લાંબા સમયથી ચાલી રહેલી પરિસ્થિતિનો તાકીદે સામનો કરવાની જરૂર છે, જેથી આપણી દ્વિપક્ષીય વાતચીતમાં રહેલી અસામાન્યતાને પાછળ છોડી શકાય. ભારત અને ચીન વચ્ચે સ્થિર અને શાંતિપૂર્ણ સંબંધો માત્ર આપણા બંને દેશો માટે જ નહીં પરંતુ સમગ્ર ક્ષેત્ર અને વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. મને આશા છે અને વિશ્વાસ છે કે રાજદ્વારી સ્તરે સકારાત્મક અને રચનાત્મક વાતચીત દ્વારા આપણે આપણી સરહદો પર શાંતિ પુનઃસ્થાપિત કરવામાં સફળ થઈશું.'

આ દરમિયાન વડાપ્રધાને આગામી લોકસભા ચૂંટણી, પાકિસ્તાન સાથેના સંબંધો, ચતુર્ભુજ, રામ મંદિર અને લોકશાહી સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. જ્યારે પાકિસ્તાન સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે પીએમ મોદીએ કહ્યું કે તેઓ પાકિસ્તાનના વડાપ્રધાનને પદ સંભાળવા પર અભિનંદન પાઠવે છે. અને એ વાત તો આખું વિશ્વ જાણે છે કે ભારતે હંમેશા આતંક અને હિંસાથી મુક્ત વાતાવરણમાં આ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિની હિમાયત કરી છે.'

વધુ વાંચો: PM મોદીને મળવા આવી રહ્યાં છે એલન મસ્ક, રૂ. 4 હજાર કરોડના રોકાણનું લક્ષ્ય, ગુજરાતમાં છે મોટું આયોજન!

જાણીતું છે કે જૂન 2020 માં ગલવાન ખીણમાં અથડામણ પછી લગભગ ચાર વર્ષથી પૂર્વી લદ્દાખમાં કેટલીક જગ્યાએ ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બંને પક્ષો રાજદ્વારી અને ઉચ્ચ સ્તરીય સૈન્ય વાટાઘાટોના અનેક રાઉન્ડમાં રોકાયેલા છે. પરંતુ હજુ સુધી તેને ખાસ સફળતા મળી નથી. જોકે, બંને પક્ષો સરહદ પર શાંતિ જાળવવા માટે સંમત થયા છે. બંને દેશો વચ્ચે માત્ર સૈન્ય સ્તરે જ નહીં પરંતુ રાજદ્વારી સ્તરે પણ વાતચીત થઈ છે, પરંતુ વિવાદનો ઉકેલ આવ્યો નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

India-China border dispute PM Modi on China PM Modi on LAC Tension PM modi news Pm modi interview પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ