બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / એટલે નીમ કરોલી બાબાને લોકો માને છે હનુમાનજીના અવતાર! પરચા વાંચીને ચોંકી જશો

આસ્થા / એટલે નીમ કરોલી બાબાને લોકો માને છે હનુમાનજીના અવતાર! પરચા વાંચીને ચોંકી જશો

Chintan Chavda

Last Updated: 01:46 PM, 18 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Neem Karoli Baba Miracles: ઉત્તરાખંડના કૈંચીધામમાં નીમ કરોલી બાબા દર્શન માટે શ્રદ્ધાળુઓ દૂર-દૂરથી આવે છે. ત્યાંના સ્થાનિક લોકો તેમને હનુમાનજીનો અવતાર માને છે. જાણો બાબાના ત્રણ ચમત્કાર...

ઉત્તરાખંડના નૈનીતાલમાં આવેલા કૈંચીધામમાં દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ નીમ કરોલી બાબા દર્શન કરવા આવે છે. અહીં હનુમાનજીની પણ પૂજા થાય છે. ત્યાંના સ્થાનિક લોકો નીમ કરોલી બાબાને હનુમાનજીનો જ અવતાર માને છે. તો ચાલો નીમ કરોલી બાબાના ચમત્કાર..

ચીપિયો જમીનમાં નાખ્યો તો થોભી ગઈ ટ્રેન

નીમ કરોલી બાબાના અમુક ચમત્કારો આગળ લોકો નમી જાય છે.

નીમ કરોલી બાબાના કેટલાક મોટા ચમત્કારો ઘણીવાર લોકોના મોઢેથી સાંભળવા મળે છે. આવો એક છે કે, એક વખત નીમ કરોલી બાબા ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરી રહ્યા હતા. એવું કહેવાય છે કે ટીટીએ તેમને નીમ કરોલી સ્ટેશન પર ઉતારી દીધા. પછી બાબા સ્ટેશન પાસે બેસી ગયા અને તેમનો ચીપિયો જમીનમાં દાટી દીધો. આ બાદ તમામ પ્રયત્નો પછી પણ ટ્રેન આગળ વધી નહીં. બાબાના મહિમાથી પરિચિત સ્થાનિક મેજિસ્ટ્રેટે અધિકારીઓને બાબાની માફી માંગવા કહ્યું. બાબાએ શરત મૂકી કે તે જગ્યાએ એક રેલ્વે સ્ટેશન બનાવવામાં આવે જેથી સ્થાનિક લોકોને સુવિધા મળી શકે. માફી માંગીને બાબા ટ્રેનમાં ચઢ્યા પછી, ટ્રેન તરત જ શરૂ થઈ. આ પછી સ્ટેશનનું નામ નીમ કરોલી રાખવામાં આવ્યું.

app promo3

નીમ કરોલી બાબાએ ભંડારો ચાલુ રાખ્યો

આ જ રીતે, એવું કહેવામાં આવે છે કે એક વાર કૈંચી ધામમાં ભંડારા દરમિયાન ઘીની ખૂટી ગયું હતું. ત્યારે બાબાએ તેમના ભક્તોને નજીકની નદીમાંથી પાણી લાવવા કહ્યું. જ્યારે ભક્તોએ તે પાણી ભોજનમાં રેડ્યું, ત્યારે તે ચમત્કારિક રીતે ઘીમાં ફેરવાઈ ગયું અને ભંડારો સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ કહાની તેમના ભક્તોમાં ખૂબ પ્રખ્યાત છે.

વધુ વાંચો: જુલાઇમાં 3 ગ્રહોની સિંહ રાશિમાં રહેશે જોરદાર હલચલ, તો આ રાશિવાળાઓ બચીને રહેજો

નીમ કરોલી બાબાના બુલેટપ્રૂફ ધાબળા બાબાની કહાની વધુ એક લોકપ્રિય ચમત્કાર છે. એવું કહેવાય છે કે બાબા ફતેહગઢના એક વૃદ્ધ દંપતીના ઘરે રોકાયા હતા. ત્યારે તેમનો પુત્ર આર્મીમાં હતો અને યુદ્ધમાં જાપાની સૈનિકોથી ઘેરાયેલો હતો. બાબા તે રાત્રે તેમના ઘરમાં ધાબળામાં ઢંકાઈને સૂઈ ગયા. તે જ રાત્રે તેમના દીકરાએ જોયું કે એક ધાબળો તેમને ગોળીઓથી બચાવી રહ્યો છે અને તે સુરક્ષિત રીતે બચી ગયો. પાછળથી દંપતીએ તેને બાબાનો ચમત્કાર માન્યો. આ ઘટના રિચાર્ડ અલ્પર્ટ ઉર્ફે રામદાસે તેમના પુસ્તક 'મિરેકલ ઓફ લવ'માં બુલેટપ્રૂફ ધાબળા નામથી નોંધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hanuman Ji Neem Karoli Baba Dharma
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ