ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:40 AM, 7 June 2025
ADVERTISEMENT
હિન્દુ ધર્મમાં રવિ પ્રદોષ વ્રતનું ખૂબ જ મહત્વ હોય છે. રવિ પ્રદોષ વ્રતનો દિવસ ભગવાન શિવ અને સુર્યને સમર્પિત હોય છે, જે આ વ્રતને વધુ વિશેષ ફળદાયી બનાવે છે. લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા અને વહેલા લગ્નની શક્યતા ઊભી કરવા માટે, આ દિવસે રુદ્રાભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પ્રદોષ વ્રતના દિવસે રુદ્રાભિષેક લગ્નની શક્યતા ઊભી કરવામાં મદદરૂપ થાય છે, પરંતુ કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય પહેલાં, તમારી કુંડળીનું વિશ્લેષણ કોઈ લાયક જ્યોતિષી પાસેથી કરાવો. તેઓ ગ્રહોની સ્થિતિ અનુસાર વધુ સચોટ ઉપાયો સૂચવી શકે છે.
ADVERTISEMENT

રવિ પ્રદોષ વ્રતનું શુભ મુહૂર્ત
ADVERTISEMENT
જેઠ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ રવિવાર, 8 જૂનના રોજ સવારે 07.17 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે, સોમવાર, 9 જૂનના રોજ સવારે 09.35 વાગે સમાપ્ત થશે. પ્રદોષ વ્રતની પૂજા માટે, રવિવાર, 8 જૂનના રોજ સાંજે 07.18 થી 09.19 વાગ્યા સુધીનો સમય રહેશે. આ પ્રદોષ કાળમાં અથવા શિવવાસના દર્શન કર્યા પછી દિવસ દરમિયાન રુદ્રાભિષેક કરી શકાય છે.
રુદ્રાભિષેતથી કેવી રીતે બને છે લગ્નના યોગ ?
ADVERTISEMENT
લગ્ન માટે જવાબદાર મુખ્ય ગ્રહો ગુરુ અને શુક્ર છે. રુદ્રાભિષેક ગુરુ અને શુક્રને મજબૂત બનાવે છે, જે લગ્નના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરે છે. જો કુંડળીમાં મંગળ દોષને કારણે લગ્નમાં મોડુ થઇ રહ્યુ હોય, તો રુદ્રાભિષેક (ખાસ કરીને શિવલિંગ પર પાણીનો પ્રવાહ) મંગળના નકારાત્મક પ્રભાવોને શાંત કરે છે. રુદ્રાભિષેક રાહુ-કેતુના કારણે લગ્નમાં આવતા અવરોધોને પણ ઘટાડે છે. ભગવાન શિવ રુદ્રાભિષેકથી પ્રસન્ન થાય છે અને ભક્તની વહેલા લગ્નની ઇચ્છા પૂર્ણ કરે છે.
રવિ પ્રદોષ વ્રત પર રુદ્રાભિષેકની વિધિ
ADVERTISEMENT
રુદ્રાભિષેક ઘરે અથવા મંદિરમાં કોઈ યોગ્ય પંડિતની મદદથી કરી શકાય છે. તમે આ પદ્ધતિને અનુસરીને તે જાતે કરી શકો છો.

ADVERTISEMENT
સામગ્રી:- ભગવાન શિવની મૂર્તિ અથવા શિવલિંગ, શુદ્ધ પાણી (ગંગાજળ સાથે મિશ્રિત), ગાયનું દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ (પંચામૃત), બીલીપત્ર (અખંડ 3 કે 5 પાન), ધતુરા, ભાંગ, આંકના ફૂલો, કરેણના ફૂલો, ચંદન, રોલી, અક્ષત (આખા ચોખા), અત્તર, જનોઈ, કપડાં, ધૂપ, દીવો, અગરબત્તી, ફળો, મીઠાઈઓ, પ્રસાદ અને દક્ષિણા.
ADVERTISEMENT
વધુ વાંચો: આજે તબિયત બગડશે! આ જન્મતારીખ વાળા લોકો માટે ખરાબ દિવસ
રુદ્રાભિષેકનું મહત્વ
હિન્દુ ધર્મમાં ભગવાન શિવની પૂજા માટે રુદ્રાભિષેક એક અત્યંત મહત્વપૂર્ણ અને શક્તિશાળી વિધિ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પ્રદોષ વ્રતના દિવસે રુદ્રાભિષેક કરવાથી વ્યક્તિના જાણ્યા-અજાણ્યા પાપોનો નાશ થાય છે. તે કર્મોનો ભાર હળવો કરે છે અને આધ્યાત્મિક શુદ્ધિકરણ પ્રદાન કરે છે. કુંડળીમાં હાજર વિવિધ ગ્રહ દોષોને શાંત કરવામાં રુદ્રાભિષેક ખૂબ અસરકારક માનવામાં આવે છે. રુદ્રાભિષેકને ઇચ્છા પૂર્ણ કરવાનું એક શક્તિશાળી સાધન માનવામાં આવે છે. તે બાળકોની ઇચ્છા રાખતા યુગલો માટે ખાસ કરીને ફળદાયી માનવામાં આવે છે. તે લગ્નમાં અવરોધો દૂર કરવામાં અને વહેલા લગ્નની શક્યતા ઊભી કરવામાં મદદરૂપ થાય છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો