બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : 'મહાકુંભમાં પણ 50-60 મર્યાં હતા', બેંગ્લુરુ નાસભાગ પર બોલ્યાં CM, પાછું કહ્યું- 'તુલના નથી કરતો'
Last Updated: 10:59 AM, 5 June 2025
બુધવારે બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે થયેલી ભાગદોડ બાદ, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે તેઓ કુંભ મેળા જેવી અન્ય જગ્યાએ બનેલી દુર્ઘટનાઓ સાથે સરખામણી કરીને આ દુર્ઘટનાને યોગ્ય ઠેરવશે નહીં.
ADVERTISEMENT
#WATCH | Bengaluru stampede | "Such incidents happened in many places; I am not going to defend it by comparing them and saying that it happened here and there... 50-60 people died in Kumbh Mela. I did not criticise. If Congress criticises, then that is a different matter. Did I… pic.twitter.com/pbvQZnO6Vm
— ANI (@ANI) June 4, 2025
'મહાકુંભમાં પણ ઘણા મર્યાં હતા'
ADVERTISEMENT
મીડિયા સાથે વાત કરતા, સિદ્ધારમૈયાએ કહ્યું કે જ્યારે મહાકુંભમાં ભાગદોડમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે તેમણે ટીકા કરી ન હતી. આવી ઘટનાઓ ઘણી જગ્યાએ બની છે. હું હવે તેની સરખામણી કરીને તેનો બચાવ કરવાનો નથી કે તે અહીં અને ત્યાં બન્યું. કુંભ મેળામાં 50-60 લોકો મૃત્યુ પામ્યા, મેં તેની ટીકા કરી નથી. હું આ ઘટનાનો બચાવ કરવા માંગતો નથી. અમારી સરકાર આના પર રાજકારણ નહીં કરે. મેં મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે અને 15 દિવસનો સમય આપ્યો છે. લોકોએ સ્ટેડિયમના દરવાજા પણ તોડી નાખ્યા. ભાગદોડ મચી ગઈ . કોઈને આટલી મોટી ભીડની અપેક્ષા નહોતી. સ્ટેડિયમમાં ફક્ત 35,000 લોકોની ક્ષમતા છે, પરંતુ 2-3 લાખ લોકો આવ્યા હતા.
Bengaluru stampede | Karnataka CM Siddaramaiah says, "11 d!ed and 33 injured in the stampede"
— Ghar Ke Kalesh (@gharkekalesh) June 4, 2025
pic.twitter.com/SVZXDhEN1z
ADVERTISEMENT
મૃતકો માટે 10 લાખનું વળતર
વિજય ઉજવણી દરમિયાન એક મોટી દુર્ઘટના બની. તે ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક બની. સરકારે મૃતકો માટે ₹ 10 લાખનું વળતર જાહેર કર્યું છે. સરકાર ઘાયલોને મફત સારવાર આપશે," મુખ્યમંત્રીએ કહ્યું. આ ઘટના પર દુખ વ્યક્ત કરતાં સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું, "નાસભાગમાં 11 લોકોના મોત થયા અને 33 લોકો ઘાયલ થયા. આ દુર્ઘટના ન થવી જોઈતી હતી. સરકાર આ ઘટના પર ઊંડો દુ:ખ વ્યક્ત કરે છે.
ADVERTISEMENT
શું બની ઘટના
ADVERTISEMENT
બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર આરસીબીની આઈપીએલ ટ્રોફી જીતની ઉજવણી કરવા માટે ભેગી થયેલી ભીડમાં નાસભાગ મચી હતી જેમાં 11 લોકોના મોત થયાં હતા તથા ઘણા ઘાયલ થયાં હતા. આ ઘટના બરાબર ત્યારે બની જ્યારે સ્ટેડિયમની અંદર ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમાર વિજેતા ટીમનું ટ્રોફી સાથે સન્માન કરતાં હતા જેમાં વિરાટ કોહલી પણ હાજર હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.