બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શ્રાવણ માસમાં શિવલિંગ પર ચઢાવો આ 5 વસ્તુઓ, ભોળાનાથ વરસાવશે કૃપા

ધર્મ / શ્રાવણ માસમાં શિવલિંગ પર ચઢાવો આ 5 વસ્તુઓ, ભોળાનાથ વરસાવશે કૃપા

Last Updated: 11:42 PM, 6 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન મહાદેવને દેવોના દેવ તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે મહાદેવ તેના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતાં. તેઓ થોડી ઘણી પૂજા અર્ચનાથી ખુશ થઈ અને ભક્તો પર પ્રસન્ન થઈ જાય છે. શિવને શ્રાવણ મહિનો અતિપ્રિય છે. આવો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે શિવલિંગ પર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે

ભારત દેશ એક આસ્થા અને શ્રદ્ધાથી ભરેલો દેશ છે. ભારતીય લોકોના જીવનમાં ભગવાનની ભક્તિ અને ભાવનું સ્થાન મોખરે રહ્યું છે. એવું કહેવાય છેકે ભારત દેશના કણ કણમાં શિવ એટલે કે ભગવાન વસે છે. આજે લોકો અલગ અલગ ભગવાનને તેના ઇષ્ટદેવ માની અને તેની પૂજા કરતાં હોય છે. પરંતુ ભગવાન શિવએ બધાના ઇષ્ટદેવ તરીકે ઓળખાય છે.

shiv-main

ભગવાન શિવની પૂજા અને નામજપ કરવાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. તેના ભક્તોનઆ આદિ, વ્યાયાદી અને ઉપાદી આ ત્રણેયનઆ દુખ ભાંગી ને ભુક્કો કરે છે. ભગવાન શિવને શ્રાવણ મહિનો અતિપ્રિય છે તેથી શિવભક્તો શ્રાવણ મહિનામાં શિવોપાસના કરતાં જોવા મળે છે. આવો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે શિવલિંગ પર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.

ગંગા જળ

હિંદુ ધર્મમાં ગંગાજળને અત્યંત પવિત્ર અને દિવ્ય ગણવામાં આવે છે. કહેવામાં આવે છે છે કે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ગંગા જળ ચઢાવવાથી ભગવાન શિવ દરેક મનોકામનાઓ પૂરી કરે છે.

ગાયનું દૂધ

હિન્દુ ધર્મમાં ગાયને માતા ગણવામાં આવે છે અને તેનું દૂધ શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે. શિવલિંગ પર દૂધ ચઢાવવાથી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

બીલીપત્ર

ત્રણ પાંદડાવાળું બીલીપત્ર માતા પાર્વતીનું પ્રતિક છે. શિવલિંગ પર 'ઓમ નિલકંઠાય નમઃ' મંત્ર ઉચ્ચારણ સાથે બીલીપત્ર ચઢાવવાથી આરોગ્ય અને દીર્ઘાયુ જીવન પ્રાપ્ત થાય છે.

SUGAR-CANE

શેરડીનો રસ

શિવજીને મીઠાશ અતિ પ્રિય છે. શિવલિંગ પર શેરડીનો રસ ચઢાવવાથી જીવનમાં મીઠાશ અને સુખ મળે છે. સાથે ‘ઓમ શંકરાય નમઃ’ મંત્રનો જાપ કરવો.

ધતૂરો

'ઓમ મહાકાલય નમઃ’ મંત્રનો જાપ કરીને સાથે ધતૂરો ચઢાવવાથી દુઃખોનો નાશ થાય છે અને નકારાત્મક ઊર્જાથી મુક્તિ મળે છે.

આકડાનું ફૂલ

આકડાનું ફૂલ શિવજી માટે પવિત્ર માનવામાં આવે છે. શિવલિંગ પર ‘ઓમ રુદ્રાય નમઃ’ મંત્રના જાપ સાથે આકડાનું ફૂલ ચઢાવવાથી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

vtv app promotion

ભાંગના લીલા પાન

શિવલિંગ પર 'ઓમ ત્ર્યંબકાય નમઃ’ મંત્ર સાથે ભાંગની પાંદડીઓ ચઢાવવાથી મન શાંત થાય છે અને શિવજીની કૃપા મળે છે.

વધુમાં વાંચો: ઈલેક્ટ્રિસિટી વગર સૂર્યના તાપથી મોબાઈલ ચાર્જ થઈ જશે, સાથે રાખો આ સસ્તુ ડિવાઈસ

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shivling worship Shravan mass Dharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ