બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:43 PM, 15 June 2025
હિન્દુ ધર્મમાં દરેક યુગની પોતાની ખાસ ઓળખ હોય છે. જેમ કે ત્રેતાયુગમાં ભગવાન રામનું જીવન મુખ્ય હતું, તેમ જ દ્વાપર યુગ મહાભારત માટે જાણીતો છે. આપણે હાલમાં જે યુગમાં જીવી રહ્યા છીએ તે કળિયુગ છે. પૌરાણિક ગ્રંથોમાં, કળિયુગને 'દુષ્ટતાનો યુગ' તરીકે વર્ણવવામાં આવ્યો છે. વિષ્ણુ પુરાણ, મહાભારત અને અન્ય ઘણા ધાર્મિક ગ્રંથોમાં કળિયુગ સંબંધિત ઘણી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે. આ ભવિષ્યવાણીઓ વાંચીને રુવાટા ઊભા થઈ જાય છે. જો આ બધું સાચું પડે તો વિશ્વની સ્થિતિ ખૂબ જ ખરાબ થવાની છે. એવામાં ચાલો જાણીએ કળિયુગની સૌથી ખતરનાક ભવિષ્યવાણીઓ વિશે.
ADVERTISEMENT

કલિયુગમાં બળવાન જ બધાનો રાજા બનશે
ADVERTISEMENT
વિષ્ણુ પુરાણ અનુસાર, કળિયુગમાં, બળવાન જ બધાનો માલિક હશે. શક્તિનો અર્થ ફક્ત શારીરિક શક્તિ જ નહીં, પરંતુ સંપત્તિ, ખ્યાતિ અને અધિકાર પણ શક્તિની ઓળખ બનશે. જેની પાસે પૈસા હશે તેને સમાજમાં ઉચ્ચ માનવામાં આવશે. જાતિ, કૌટુંબિક પ્રતિષ્ઠા જેવી બાબતોનો અંત આવશે. પૈસા અને શક્તિના આધારે કોઈપણ વ્યક્તિ કોઈપણ સાથે લગ્ન કરી શકશે.
12 વર્ષની ઉંમરમાં સફેદ વાળ અને બીમારી
ADVERTISEMENT
આજકાલ લોકોના વાળ યુવાનીમાં સફેદ થવા લાગે છે, પરંતુ વિષ્ણુ પુરાણ કહે છે કે કળિયુગના અંતિમ સમયમાં, બાળકોના વાળ 12 વર્ષની ઉંમરે સફેદ થવા લાગશે. 20 વર્ષની ઉંમર સુધીમાં, શરીરમાં એટલા બધા રોગો થશે કે લોકો વહેલા મૃત્યુ પામવા લાગશે. તે સમયે, લાંબુ જીવન જીવવું ખૂબ મુશ્કેલ હશે.

ADVERTISEMENT
કલિયુગમાં ધીમે ધીમે માણસોની ઉંમર ઘટી જશે
જૂના યુગોમાં વ્યક્તિઓ હજારો વર્ષ જીવતા હતા. મહાભારતના ભીષ્મની ઉંમર 150 થી વધુ કહેવામાં આવી છે. શ્રી કૃષ્ણની ઉંમર લગભગ 125 વર્ષ હતી. રામાયણમાં ભગવાન રામનું પણ જીવન કહેવામાં આવ્યું છે. પરંતુ કલિયુગમાં ધીમે-ધીમે ઉંમર ઘટતી જશે. વિષ્ણુ પુરાણ કહે છે કે અંતમાં માણસની સરેરાશ ઉંમર માત્ર 12 થી 20 વર્ષ રહી જશે.
ADVERTISEMENT
આંખો કમજોર થશે અને કદ નાનું
વિષ્ણુ પુરાણની ભવિષ્યવાણી મુજબ, કળિયુગના અંતિમ તબક્કામાં, મનુષ્યોની દૃષ્ટિ ખૂબ જ ઓછી થઈ જશે. દ્રષ્ટિ એટલી નબળી થઈ જશે કે લોકો નજીકમાં બેઠેલી વ્યક્તિને પણ યોગ્ય રીતે જોઈ શકશે નહીં. આના કારણે, લોકોનો પરસ્પર જોડાણ અને સંબંધ પણ નબળો પડી જશે.
ADVERTISEMENT
વધુ વાંચો: લાખણીમાં પાંચ સદી જૂનું હિંગળાજ માનું મંદિર, મૂર્તિને પીઠ પાછળ બાંધીને લાવ્યા હતા સાધુ, ઈતિહાસ રોચક
કલિયુગમાં 6 વર્ષની કન્યા અને 8-9 વર્ષની છોકરીઓ બાળકને જન્મ આપશે
સૌથી ચોંકાવનારી વાત એ છે કે કલિયુગમાં બાળકોની ઉંમરમાં જ બાળકને જન્મ આપવાની ક્ષમતા આવી જશે. 6 વર્ષની બાળકીઓ અને 8-9 વર્ષના બાળકો મા-બાપ બનશે. આનાથી કુદરતનું સંતુલન સંપૂર્ણ પણે ખબર થઈ જશે. સમાજમાં સંબંધો પૂરા થઈ જશે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.