બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શ્રીકૃષ્ણને અહીં લાગ્યું હતું ગૌહત્યાનું પાપ, તપ બાદ સજીવન થઈ ગાયો, 6000 વર્ષ જૂનો ઈતિહાસ

દેવ દર્શન / શ્રીકૃષ્ણને અહીં લાગ્યું હતું ગૌહત્યાનું પાપ, તપ બાદ સજીવન થઈ ગાયો, 6000 વર્ષ જૂનો ઈતિહાસ

Last Updated: 06:34 AM, 19 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શંખેશ્વર મહાદેવ મંદિરે એક સાથે બે શિવલિંગ સ્વયંભુ પ્રગટ થયા છે. કહેવાય છે કે આ બંને શિવલિંગની સ્થાપના કૃષ્ણ અને બલરામે કરી હતી.

સુરતના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામની સીમમાં ગાય પગલાં તીર્થ સ્થાન આવેલું છે જ્યાં 6 હજાર વર્ષથી પણ અતિ પૌરાણિક 6 અલગ અલગ દેવોના મંદિરો આવેલા છે. ગાયપગલા તીર્થ સ્થાને શંખેશ્વર મહાદેવનું અતિપ્રાચીન મંદિર આવેલું છે. શંખેશ્વર મહાદેવ મંદિરે એક સાથે બે શિવલિંગ સ્વયંભુ પ્રગટ થયેલા છે. જેના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટે છે. ગાય પગલાં તીર્થ સ્થાનનું મહત્વ અને ઇતિહાસ ખૂબ અનેરો છે તેથી જ આ સ્થાનકે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે.

બે સ્વયંભુ શિવલિંગ

શંખેશ્વર મહાદેવ મંદિરે એક સાથે બે શિવલિંગ સ્વયંભુ પ્રગટ થયા છે. કહેવાય છે કે આ બંને શિવલિંગની સ્થાપના કૃષ્ણ અને બલરામે કરી હતી. ગાય પગલા તીર્થ સ્થાને આવેલા શંખેશ્વર મહાદેવ મંદિરે બારેમાસ ભક્તોનો ભારે ઘસારો હોય છે અને મંદિરમાં બિરાજમાન શંખેશ્વર મહાદેવના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. શંખેશ્વર મહાદેવના દર્શન માટે ભક્તો દૂરદૂરથી મોટી સંખ્યા માં ઉમટે છે.

2

ગાય પગલા તીર્થ સ્થાનનો ઈતિહાસ

ગાય પગલા તીર્થ સ્થાનનો ઈતિહાસ રોચક છે. કૃષ્ણ ભગવાને યમુનાજીના જળમાં પ્રવેશ કરી કાળીયા નાગને જીતી બહાર આવ્યા યુદ્ધ બાદ થાકેલા કૃષ્ણને નિંદ્રા લેવાની ઈચ્છા થઈ એટલે બળદેવજીને પોતાનો પંચજન્ય શંખ સાચવવા આપ્યો.આ એ શંખ હતો જેના નાદથી વન વગડે ગયેલી ગાયો પરત ફરતી હતી. બલરામજીએ સાંજે શંખનાદ કર્યો , પહેલો અવાજ બરાબર નીકળ્યો પરંતુ બીજા શંખનાદનો અવાજ બદલાતા 10 હજાર જેટલી ગાયો યમુના નદીના પ્રવાહમાં તણાવા લાગી આથી બલરામજી પાસે રહેલો હળ તેમજ પંચજન્ય શંખ શ્રાપિત થતા બંને કાળા પડી ગયા. યમુના નદીમાં વહી ગયેલી ગાયોને કારણે કૃષ્ણ અને બલરામ પર ગૌ હત્યાનો દોષ લાગ્યો.. આ દોષ નિવારણની મુક્તિ માટે તેઓ ગર્ગ ઋષિ પાસે જતા તેમને તાપી તટે વૈશાખ સુદ અગિયારસથી વૈશાખ સુદ પૂનમ સુધી એમ પાંચ દિવસનું અખંડ તપ કરવા કહ્યું.ગર્ગ ઋષિના આદેશ મુજબ કૃષ્ણ અને બલરામજીએ પાંચ દિવસ સતત તપ કર્યું અને આ તપના પ્રતાપથી મૃત ગાયો સજીવન થઈ અને પંચજન્ય શંખ તેમજ હળ શ્રાપમાંથી દોષ મુક્ત થયા હતા.

3

મંદિરમાં એક સાથે બે શિવલિંગ સ્વયંભુ પ્રગટ

જે ગાયો જીવીત થઈ હતી તે ગાયોના પગલાં હાલ પણ આ સ્થળ પર જોવા મળે છે. કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે આવેલા આ અતિ પ્રાચીન ગાય પગલાં તીર્થ સ્થાન પર શ્રદ્ધાળુઓ ભરપૂર આસ્થા ધરાવે છે. મંદિરમાં બિરાજમાન શંખેશ્વર મહાદેવના દર્શન કરતાની સાથે જ ભક્તો ધન્યતા અનુભવે છે અને ભક્તોની જે મનોકામનાઓ છે તે અહીં પૂર્ણ પણ થાય છે. શ્રાવણ માસ અને દર સોમવારે અહીં મોટી સંખ્યામાં શિવભક્તો દુરદુરથી આવે છે અને મંદિરમાં બિરાજમાન શંખેશ્વર મહાદેવના શિવલિંગ પર જળાભિષેક કરી ધન્યતા અનુભવે છે. દર વર્ષે અનેક શ્રદ્ધાળુઓ કાવડ યાત્રા લઈને ગાયપગલા મંદિરે આવે છે. સુરત જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી પગપાળા આવતા શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરે છે. કાવડિયા સ્ત્રીઓ માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા વિશેષ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. કાવડ લઈને આવતા શ્રદ્ધાળુઓ માટે ચા પાણી અને ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે સાથે જ જે પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓ છે તેમના માટે આરામની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન અનેક શ્રદ્ધાળુ અહીં આવતા હોવાને કારણે જાહેર ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે.

4

આ પણ વાંચોઃ સાચી શ્રદ્ધાથી જે માંગો તે મળી જશે, અમદાવાદમાં છે મહાકાળી માતાજીનું ચમત્કારિક મંદિર

મોટું મંદિર બનવા જઈ રહ્યુ છે

ગાય પગલા તીર્થસ્થાને અતિ પ્રાચીન શંખેશ્વર મહાદેવ મંદિર, દત્ત ભગવાન મંદિર, બાળ કૃષ્ણ મંદિર, હિમાલયેશ્વર મંદીર, બળીયા કાકાની ડેરી, બાલકૃષ્ણ મંદીર પાસે ગાયના પગલાં, તેમજ ગૌ શાળા આવેલી છે. કામરેજના ગાય પગલાં તીર્થસ્થાને શ્રદ્ધાળુઓ અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને એટલે જ શ્રદ્ધાળુઓ આ તીર્થસ્થાને મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ સ્થળ પર પહેલા નાના-મોટા મંદિર બનાવ્યા હતા. હાલ ગુજરાત પવિત્ર યાત્રાધામના સહયોગથી અહીં મોટું મંદિર બનવા જઈ રહ્યુ છે. જ્યાં તાપી માતાની મૂર્તિ, શ્રીકૃષ્ણ અને બલરામની પૂજા તપ કરતી મૂર્તિ મુકવામાં આવશે. જેનો અલગથી ગર્ભદ્વાર બનાવવામાં આવશે અને અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે બગીચો, પાર્કિંગ અને જરુરિયાત પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gay Pagla Pilgrimage Krishna Balaram History Shankheshwar Mahadev
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ