બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Video: શ્રાવણમાં કરો છો ઉપવાસ?, તો રાખો આ વાતોનું ખાસ ધ્યાન

શ્રાવણ 2025 / Video: શ્રાવણમાં કરો છો ઉપવાસ?, તો રાખો આ વાતોનું ખાસ ધ્યાન

Published By: Jay Bhatt

Last Updated: 09:00 AM, 25 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુઓનો પવિત્ર શ્રાવણ મહિનો આજથી શરુ થઈ ચૂક્યો છે. ત્યારે ઘણા લોકો આ મહિનામાં ઉપવાસ રાખતા હોય છે. પણ શું તમને ખબર છે કે ઉપવાસ કરવાથી શરીર પર શું અસર થાય છે? ઉપવાસ કરતા સમયે આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Shravan Month: શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને ઘણા લોકો આખો મહિનો અથવા તો સોમવારે ઉપવાસ કરતા કરતા હશે. ઉપવાસ કરવાનું ધાર્મિક રીતે ઘણું મહત્વ છે, સાથે જ એવું પણ કહેવામાં આવે છે કે ઉપવાસ કરવાથી તબિયત સારી રહે છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં. પણ સવાલ એ છે કે ઉપવાસ કરવાથી આપના શરીરને ફાયદો થાય છે કે નુકસાન પહોંચે છે?

ઉપવાસથી શરીર પર શું અસર થાય છે?

હવે સામાન્ય રીતે ઉપવાસને લોકો આસ્થા, ભક્તિ અને શ્રદ્ધા સાથે જોડે છે અને તેની સામે અત્યારની જનરેશન વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે પણ ઉપવાસ રાખે છે પણ સવાલ એ જ છે કે ઉપવાસ કરવાથી શરીર પર શું અસર થાય છે? એક્સપર્ટના મતે દરેક લોકોએ અઠવાડિયામાં એક અથવા બે દિવસ તો ઉપવાસ કરવો જ જોઈએ. જો કે આ ઉપવાસ કરતાં સમયે થોડી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

હવે સામાન્ય રીતે ઉપવાસ દરમિયાન ઘઉં ચણાનો લોટ અને અનાજ ખવાતું નથી. આ રીતે ઉપવાસ શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ મળે છે પણ આ દરમિયાન સામાન્ય રીતે લોકો વધુ ફરાળી વસ્તુઓ ખાવાના ચક્કરમાં વધુ તેલવાળું કે તળેલી વસ્તુઓ આરોગવા લાગે છે. જો કે આ ન કરવું જોઈએ. જ્યારે પણ તમે ઉપવાસ કે કોઈ વ્રત રાખો છો ત્યારે તમારે ડ્રાયફ્રૂટ્સ, ફ્રૂટ્સ, જ્યુસ, પાણી, દૂધ વગેરેનું સેવન વધુ કરવું જોઈએ.

Shiv image

વધુ વાંચો : દુનિયાનું સૌથી મોટું પુણ્ય અને પાપ કયું? ભગવાન શિવે મા પાર્વતીને જણાવ્યું રહસ્ય

ઘણા લોકો નિર્જળા વ્રત કે ઉપવાસ કરતાં હોય છે તેના પર એક્સપર્ટનું કહેવું છે કે પાણી વગરનું વ્રત ક્યારેય ન કરવું જોઈએ, કારણ કે પાણી ન પીવાથી શરીરની અંદર રહેલા વેસ્ટ મટીરિયલ્સ હોય છે એ શરીરમાંથી બહાર નથી આવી શકતા જેના કારણે શરીર અનેક રોગોનો ભોગ બને છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shravan Month Lord Mahadev Dharm

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ