બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:00 AM, 9 September 2025
હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે. પિતૃપક્ષનો સમય પૂર્વજોને યાદ કરવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો સમય છે. કહેવાય છે કે આ સમયમાં પિતૃઓ ધરતી પર પોતાના વંશજોને મળવા આવે છે. કેટલીકવાર પિતૃપક્ષ દરમિયાન એવા સંકેતો જોવા મળે છે જે પિતૃઓની નારાજગી જણાવે છે.
ADVERTISEMENT
ધાર્મિક ગ્રંથો અને ગરુડ પુરાણ અનુસાર, જો ઘરમાં પિતૃપક્ષ દરમિયાન કેટલીક ઘટનાઓ વારંવાર થવા લાગે તો સમજવું જોઈએ કે પિતૃ નારાજ છે અને તેમને શ્રાદ્ધ કે તર્પણની જરૂર છે. જાણી લો પિતૃલોક સાથે જોડાયેલા એવા 7 સંકેતો, જેને અવગણવા ન જોઈએ.
કાગડાઓનું સતત કા-કા કરવું
ADVERTISEMENT
હિંદુ પરંપરામાં કાગડો પિતૃઓનો પ્રતિનિધિ માનવામાં આવે છે. જો પિતૃપક્ષ દરમિયાન ઘરની છત કે આંગણામાં કાગડાઓ વારંવાર આવીને કા-કા કરવા લાગે, તો એ સંકેત છે કે પિતૃઓ ભોજન અને તર્પણની રાહ જોઈ રહ્યા છે.
સપનામાં પિતૃઓ દેખાવા
ADVERTISEMENT
ગરુડ પુરાણમાં લખાયું છે કે જો સપનામાં વારંવાર પૂર્વજ દેખાય અને ભોજન કે પાણી માંગતા હોય, તો એનો અર્થ એ થાય છે કે તેઓ તૃપ્ત નથી થયા. આ ઘટના સ્પષ્ટ સંદેશ આપે છે કે તેમને તર્પણની જરૂર છે.

ADVERTISEMENT
અચાનક આર્થિક મુશ્કેલીઓ આવવી
જો પરિવારમાં કોઈ ગંભીર કારણ વિના ધનની હાનિ થવા લાગે અથવા અચાનક આર્થિક તંગી વધવા લાગે, તો તેને પણ પિતૃઓની નારાજગી સાથે જોડીને જોવામાં આવે છે. માન્યતા છે કે અસંતોષિત પિતૃ માતા લક્ષ્મીની કૃપામાં અવરોધ ઊભો કરે છે.
ADVERTISEMENT
સતત બીમારીઓ વધવી
જો ઘરના સભ્યો વારંવાર બીમાર પડવા લાગે અને સારવાર છતાં આરામ ન મળે, તો તેને પણ એક સંકેત માનવામાં આવે છે. શાસ્ત્રો કહે છે કે અસંતોષિત પિતૃ પોતાના વંશજોને બીમારી કે દુઃખ દ્વારા સંકેત આપે છે.
ADVERTISEMENT
દીવો જાતે જ ઓલવાય જવો
જો ઘરના મંદિરમાં કે શ્રાદ્ધકર્મ દરમિયાન પ્રગટાવેલો દીવો કારણ વગર જ ઓલવાય જાય, તો તેને પણ પિતૃઓના નારાજ હોવાનો સંકેત માનવામાં આવે છે. દીવો ઓલવાય જવો એટલે ઉર્જાના પ્રવાહમાં અવરોધનું પ્રતિક છે.

પૂજા-પાઠમાં વિઘ્ન આવવા
વારંવાર પૂજાના સમયે વિઘ્ન આવવો કે પૂજાની સામગ્રી ગાયબ થઈ જવી, શાસ્ત્રો અનુસાર પિતૃઓનો સંકેત છે. તેઓ પોતાના વંશજોને યાદ અપાવે છે કે તેમનું શ્રાદ્ધ પૂર્ણ થયું નથી.
તુલસીનું સુકાઈ જવું
જો ઘરના આંગણામાં તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે અથવા મંદિરમાં મૂકેલા ફૂલ કરમાઈ જાય, તો તે પણ પિતૃઓના નારાજ હોવાનો સંકેત છે. તેને ખૂબ ગંભીરતાથી લેવો જોઈએ.
આ સંકેતો દેખાય તો આટલું કરો
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો આ સંકેતો વારંવાર દેખાય તો પિતૃઓને તર્પણ કરવું જોઈએ. બ્રાહ્મણ ભોજન, ગૌદાન અને જળતર્પણ દ્વારા પિતૃઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ ફરીથી આવી જાય છે.
વધુ વાંચો : ષષ્ઠી પૂર્તિ પુજા શું છે? જાણો 60 વર્ષ પુર્ણ થાય ત્યારે કેમ કરાય છે આ ધાર્મિક અનુષ્ઠાન
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.