બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / પિતૃપક્ષમાં ભૂદેવોને ભોજન કરાવતી વખતે ન કરતા આવી ભૂલ, નહીંતર પુણ્ય નહીં, પાપ લાગશે!

ધર્મ / પિતૃપક્ષમાં ભૂદેવોને ભોજન કરાવતી વખતે ન કરતા આવી ભૂલ, નહીંતર પુણ્ય નહીં, પાપ લાગશે!

Shilpa Parmar

Last Updated: 03:25 PM, 15 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pitru Paksha 2025 : પિતૃપક્ષ ચાલી રહ્યો છે અને હિન્દુ પરંપરા મુજબ પિતૃપક્ષ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવવું અત્યંત શુભ માનવામાં આવે છે. જાણી લો ભૂદેવોને ભોજન કરાવતી વખતે કઈ ભૂલો ટાળવી જોઈએ?

પિતૃપક્ષની વિધિ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા વિના અધૂરી ગણાય છે. જો બ્રાહ્મણોને ભોજન ન કરાવવામાં આવે તો શ્રાદ્ધ પૂરું માનવામાં આવતું નથી. સાથે સાથે, જો બ્રાહ્મણ ભોજનમાં કોઈ ભૂલ થઈ જાય તો તે માત્ર બ્રાહ્મણ દેવતાઓને જ નહીં પરંતુ પિતૃઓને પણ રોષિત કરે છે.

બ્રાહ્મણ ભોજનનું મહત્વ

હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્ત્વ છે. આ સમયમાં પિતૃઓની યાદમાં શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. સાથે બ્રાહ્મણ ભોજન અને દાન-પુણ્ય પણ કરાય છે. આ દિવસોમાં દેવતાઓ, કાગડા, ગાય, કીડી અને કૂતરાને પણ ખાવાનું આપવામાં આવે છે.

brahamna-bhojan-last

માન્યતા છે કે આ 15 દિવસ પિતૃો પૃથ્વી પર આવેછે. આ વર્ષે 7 સપ્ટેમ્બરથી પિતૃપક્ષ શરૂ થયો છે અને 21 સપ્ટેમ્બર સુધી રહેશે. 21 સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાવસ્યા છે, આ દિવસે સૌથી વધુ શ્રાદ્ધ કરવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવવું અત્યંત શુભ માનવામાં આવે છે. તેનાથી પિતૃ પ્રસન્ન થાય છે અને દેવતાઓની પણ કૃપા મળે છે. પરંતુ બ્રાહ્મણ ભોજન કરાવતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

બ્રાહ્મણ ભોજનમાં આટલી ભૂલ ટાળવી

  • બ્રાહ્મણ ભોજનની થાળીમાં ભૂલથી પણ સીતાફળ કે કોબીનું શાક સામેલ ન કરો. માન્યતા છે કે પિતૃ આ બંને શાક ગ્રહણ કરતા નથી અને નારાજ થઈને ભોજન કર્યા વિના જ આશીર્વાદ આપવાના બદલે શ્રાપ આપી જતા રહે છે. તેથી શ્રાદ્ધકર્મમાં સીતાફળ અને કોબીનું શાક બનાવવાની મનાઈ છે.
  • ભેંસના દૂધથી બનેલી વાનગી કે મીઠાઈ બ્રાહ્મણ ભોજનમાં ન આપવી જોઈએ. ભેંસ યમરાજનું વાહન છે, તેથી ભેંસના દૂધની ખીર બનાવવાથી પિતૃને તાપ સહન કરવો પડે છે.
  • બ્રાહ્મણનું અપમાન ક્યારેય ન કરવું. એવું કરવું પાપ સમાન ગણાય છે.
brahman-bhojan

બ્રાહ્મણોને ભોજન કરાવવાની યોગ્ય રીત

  • બ્રાહ્મણોને ભોજન માટે સન્માનપૂર્વક આમંત્રણ આપો. નમ્રતાપૂર્વક વિનંતી કરો કે તેઓ તે દિવસે શ્રાદ્ધનું ભોજન તમારી પાસે જ કરે.
  • ભોજનના મેન્યુમાં માત્ર સાત્વિક જ વસ્તુઓ હોવી જોઈએ. ભૂલથી પણ ભોજનમાં લસણ-ડુંગળીનો ઉપયોગ ન કરવો.
  • બ્રાહ્મણોને ભોજન કરાવતા સમયે તેમને એ રીતે બેસાડો કે તેમનું મુખ દક્ષિણ દિશામાં રહે.
  • ભોજન પછી બ્રાહ્મણ દેવતાઓને દક્ષિણા જરૂર આપો. તમારી ક્ષમતા પ્રમાણે તેમને અનાજ, કપડાં, પૈસા વગેરે દાનમાં આપવું જોઈએ.

વધુ વાંચો : Pitru Paksha 2025: પિતૃપક્ષમાં અપનાવો આ સરળ ઉપાય, મળશે પિતૃદોષથી મુક્તિ, રહેશે પ્રસન્ન

હિન્દુ ગ્રંથોમાં જણાવાયું છે કે, બ્રાહ્મણ દેવતા ભગવાન વિષ્ણુના પ્રતિનિધિ છે. પિતૃના આત્માને શાંતિ મળે તે માટે બ્રાહ્મણોને સન્માનપૂર્વક ભોજન કરાવવું અનિવાર્ય ગણાયું છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Brahman Bhojan Pitru Paksha Pitru Paksha 2025 Pitru Paksha Shradh rules
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ