બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Pitru Paksha 2025: પિતૃપક્ષમાં અપનાવો આ સરળ ઉપાય, મળશે પિતૃદોષથી મુક્તિ, રહેશે પ્રસન્ન

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / Pitru Paksha 2025: પિતૃપક્ષમાં અપનાવો આ સરળ ઉપાય, મળશે પિતૃદોષથી મુક્તિ, રહેશે પ્રસન્ન

Last Updated: 09:16 AM, 15 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Pitru Paksha 2025 : પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયોથી ત્રણ પેઢીના પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે. જાણી લો પિતૃદોષથી મુક્તિ મેળવવાના સરળ ઉપાય.

1/8

photoStories-logo

1. પિતૃ પક્ષ

સનાતન ધર્મમાં અશ્વિન મહિનાનું વિશેષ મહત્વ છે. આ મહિનો 08 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂક્યો છે. અશ્વિન માસના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિથી લઈને અમાવસ્યા સુધી પિતૃ પક્ષ મનાવવામાં આવે છે. આ સમયગાળામાં પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ગરુડ પુરાણ

ગરુડ પુરાણમાં ભગવાન નારાયણે જન્મ અને મૃત્યુના ચક્ર વિશે વિસ્તૃત સમજ આપી છે. સાથે જ પિતૃ ઋણમાંથી મુક્તિ અને મોક્ષ પ્રાપ્ત કરવા માટેના ઉપાય પણ સમજાવ્યા છે. જો તમે પણ પિતૃઓને પ્રસન્ન કરવા માંગો છો, તો પિતૃ પક્ષ દરમિયાન આ ઉપાયો જરૂરથી કરો. આ ઉપાયો કરવાથી વ્યક્તિ અને તેના પૂર્વજો બંનેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. ભગવાન શિવનો અભિષેક કરો

જો તમે પિતૃ ઋણમાંથી મુક્તિ મેળવવા માંગો છો, તો પિતૃ પક્ષ દરમિયાન દરરોજ સ્નાન અને ધ્યાન કર્યા બાદ ગંગાજળ અથવા દૂધમાં કાળા તલ અને બીલીપત્ર મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો. આ ઉપાયથી પિતૃ ઋણ દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. કાળા તલનું દાન

જો તમે પિતૃઓને પ્રસન્ન કરવા માંગો છો, તો પિતૃ પક્ષ દરમિયાન કાળા તલનું દાન કરો. તમે કાળા તલનું દાન મંદિરમાં કરી શકો છો. આ ઉપાય કરવાથી પિતૃઓનો આશીર્વાદ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. ભગવાન શિવને બીલીપત્ર અર્પિત કરો

પિતૃ પક્ષ દરમિયાન સ્નાન-ધ્યાન કર્યા બાદ બીલીપત્ર પર ‘રામ’ લખીને ભગવાન શિવને અર્પિત કરો. આ ઉપાય કરવાથી કુંડળીમાં રહેલા અશુભ ગ્રહોના પ્રભાવનો અંત આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. વડીલોની સેવા કરો

પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓનું તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. તેથી શ્રાદ્ધ પક્ષ દરમિયાન ઘરના વડીલોની સેવા કરો, તેમનું સન્માન કરો. તેમને દુઃખ પહોંચાડશો નહીં અને તેમના માન-સન્માનને કદી ઠેસ પહોંચે તેવું વર્તન ન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. પિતૃઓને અર્ઘ્ય આપો

અશ્વિન માસના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિથી અમાવસ્યા સુધી દરરોજ સ્નાન-ધ્યાન કર્યા બાદ જળમાં કાળા તલ અને જવ મિક્સ કરીને પિતૃઓને અર્ઘ્ય આપો. આ ઉપાય કરવાથી પણ પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. Disclaimer:

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Pitru Paksha 2025 : Shradha Paksha Pitru Dosh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ