બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં શ્રાવણ મહિનો શરુ થઈ ગયો છે. ઠેર ઠેર મહાદેવના મંદિરે ભકતોનું ઘોડાપૂર જોવા મળ્યું છે. દેશમાં ગુજરાત પહેલા પંદર દિવસે શ્રાવણ મહિનાની શરુઆત થઈ છે. દેશમાં મહાદેવના અનેક મંદિર છે જ્યાં શ્રદ્ધાળુઓ દર્શનઅર્થે જતા હોય છે. દેશમાં એક એવું મંદિર પણ છે જે વીજળી મહાદેવ તરીકે પ્રખ્યાત છે. આ મંદિર સમુદ્ર સપાટીથી 7874 ફૂટની ઊંચાઈએ સ્થિત છે.
ADVERTISEMENT
દર 12 વર્ષે પડે છે વીજળી
હિમાચલ પ્રદેશમાં ઘણા ધાર્મિક સ્થળો છે, પરંતુ કુલ્લુ શહેરમાં બ્યાસ અને પાર્વતી નદીના સંગમ નજીક બિજલી મહાદેવ એક એવું ધાર્મિક અને સુંદર સ્થળ છે જે તેની સુંદરતા અને મનોહર દૃશ્યોથી લોકોને આકર્ષિત કરે છે. અહીં આજે પણ ભગવાન શિવ મંદિરના પૂજારીને દર વર્ષે આદેશ આપે છે. આ મહાદેવ મંદિરની અંદર, દર 12 વર્ષે પિંડીમાં વીજળી પડે છે, જેને કારણે શિવલિંગ ખંડીત થઈ જાય છે.
ADVERTISEMENT
વીજળી પડવાનો કોઈ નિશ્ચિત સમય નથી
આ પછી પૂજારીઓ ફરીથી ખંડીત શિવલિંગને જોડે છે અને માખણ લગાવે છે. વીજળી પડવાનો કોઈ નિશ્ચિત સમય નથી. તે ગમે ત્યારે પિંડીમાં પડે છે. થોડા મહિના પછી, શિવલિંગ એક નક્કર સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય છે. આ શિવલિંગ પર દર બાર વર્ષમાં શા માટે વીજળી પડે છે અને આ સ્થળનું નામ કુલ્લુ શા માટે છે તેની પાછળ એક દંતકથા છે. જો કે, શિવલિંગ પર પડતી વીજળી પાછળનું રહસ્ય હજી સુધી કોઇ વ્યક્તિ ઉકેલી શક્યું નથી.
ADVERTISEMENT
શું છે માન્યતા?
વીજળી શિવલિંગ પર પડવા અંગે કહેવામાં આવે છે કે ભગવાન ભોલેનાથ લોકોને બચાવવા માટે આ વીજળી પોતાના પર વરસાવે છે. આ જ કારણ છે કે ભગવાન શિવને અહીં બિજલી મહાદેવ કહેવામાં આવે છે. ભાદરવા મહિનામાં આ સ્થળે મેળો યોજાય છે. કુલ્લુ શહેરથી વીજળી માહાદેવ સુધી પહોંચવા 7 કિલોમીટરનું અંતર રહેલું છે. શ્રાવણ તેમજ શિવરાત્રી દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. શિયાળામાં અહીં બરફનું આવરણ જોવા મળે છે.
ADVERTISEMENT
કેવી રીતે પડ્યું કુલ્લુ નામ?
આ શિવલિંગ પર દર વર્ષે વીજળી કેમ પડે છે અને આ સ્થળનું નામ કુલ્લુ કેમ પડ્યું તેની પાછળ એક પૌરાણિક કથા છે. કુલાન્ત રાક્ષસે અજગરનું સ્વરૂપ લીધુ હતું. તે આ રૂપ ધારણ કરીને ધોગ્ધરધાર, લાહૌલા સ્પીતિ સેમથાણ ગામમાં ગયો હતો. દૈત્યરૂપી અજગર કોકડું વળીને બ્યાસ નદીમાં બેઠો જેથી નદીના પાણીને રોકી શકાય અને આ સ્થળને ડૂબાડી શકાય. ભગવાન શિવ કુલાન્તની આ યોજનાથી ચિંતિત થયા.
ADVERTISEMENT
અજગરને મહામહેનતે ભગવાન શિવે વિશ્વાસમાં લીધો અને ભગવાન શિવે તેના કાનમાં કહ્યું તારી પૂંછડીમાં આગ લાગી છે. શિવની આ વાતથી તે પાછળની તરફ વળ્યો અને ભગવાન શિવે તેના મસ્તક પર વાર કર્યો અને તેનું મોત થયું. કુલાન્તના મોત બાદ તેનું શરીર એક વિશાળ પર્વતમાં પરિવર્તીત પામ્યું આ સ્થળે કુલાન્ત પરથી કુલ્લુ થયું હતું.
ADVERTISEMENT
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને પ્રચલિત માન્યતાઓ અને સર્વસામાન્યા જાણકારીને આધારિત છે. VTV Digital તેની પુષ્ટિ કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.