બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજે મંગળા ગૌરી વ્રત, જાણો શ્રાવણ મહિનામાં તેનું શું છે ખાસ મહત્વ, જાણો પૂજાવિધિ

ધર્મ / આજે મંગળા ગૌરી વ્રત, જાણો શ્રાવણ મહિનામાં તેનું શું છે ખાસ મહત્વ, જાણો પૂજાવિધિ

Last Updated: 08:04 AM, 15 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળા ગૌરી વ્રત હિન્દુ ધર્મ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. માન્યતા એવી છે કે માતા ગૌરીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે કઠિન તપસ્યા કરી હતી. તેના પછી ભોળાનાથ પ્રસન્ન થયા હતા. જાણો વ્રતનું ખાસ મહત્વ અને પૂજાવિધિ.

મંગળા ગૌરી વ્રત

શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવ અને તેમના પરિવાર માટે ખૂબ ખાસ માનવામાં આવે છે. આ મહિનાના સોમવારે જ્યાં ભગવાન શિવની પૂજા-અર્ચના કરવામાં આવે છે, ત્યાં મંગળવાર માતા પાર્વતીને સમર્પિત કરવામાં આવ્યો છે, જેને માતા મંગળા ગૌરીનું નામ આપવામાં આવ્યું છે.

એવું કહેવામાં આવે છે કે મંગળા ગૌરી વ્રત રાખવાથી પતિની લાંબી આયુષ્ય થાય છે અને વિવાહિતાનું વૈવાહિક જીવન પણ સુખી બને છે. તેમજ, જેઓના લગ્ન નથી થતા, એવી યુવતીઓ પણ આ વ્રત રાખીને સારા વર માટે કામના કરે છે. આજે એટલે કે 15 જુલાઈએ પહેલું મંગળા ગૌરી વ્રત છે. હાલ ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. એ મુજબ આજે ત્યાં મંગલા ગૌરી વ્રત ઉજવવમાં આવે છે.

shiv-parvati

શા માટે ખાસ છે શ્રાવણનો મંગળવાર?

શ્રાવણ મહિનાના દરેક મંગળવારે મંગળા ગૌરી વ્રત રાખવામાં આવે છે. આ વ્રત જાતકના લગ્નમાં આવતાં વિઘ્નો દૂર કરે છે અને વિવાહિત લોકોના દાંપત્ય જીવનને સુખી બનાવે છે. ધાર્મિક માન્યતા છે કે આ વ્રત કરવાથી જાતકના કુંડળીમાં રહેલા મંગળ દોષનો પ્રભાવ પણ ઓછો થઈ જાય છે, જેના કારણે લગ્નમાં મોડું થવું કે વૈવાહિક જીવનમાં આવી રહેલી દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.

shiv-partvati

કેવી રીતે કરવી જોઈએ પૂજા?

  • સૌપ્રથમ મંગળા ગૌરીના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો.
  • ત્યારબાદ લાલ રંગના કપડા પહેરો.
  • પછી પૂજા ઘર સાફ કરો અને એક વેદી બનાવો અને તેના પર લાલ રંગનું કપડું પાથરો.
  • પછી તેના પર માતા મંગળા ગૌરીની પ્રતિમા અથવા તસવીર સ્થાપિત કરો. હવે વ્રતનો સંકલ્પ લો.
  • ત્યારબાદ માતા ગૌરીને 16 શૃંગારની સામગ્રી, સુકા મેવાં, ફળ-મિઠાઈ વગેરે ચઢાવો અને પ્રતિમા સામે એક દીવો પ્રગટાવો.
  • હવે મંગળા ગૌરી વ્રત કથા કહો અને “ઓમ ગૌરી શંકરાય નમઃ” મંત્રનો જાપ કરો. ત્યારબાદ અંતમાં વિધિવત રીતે માતા ગૌરીની આરતી કરો.

વધુ વાંચો: ત્રણ ગામના સીમાડે આવેલું છે મા ખોડિયારનું આ પ્રસિદ્ધ મંદિર, 200 વર્ષ જુનો છે ઇતિહાસ

મંગળા ગૌરી વ્રત માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં, પરંતુ વૈવાહિક જીવનમાં પ્રેમ, સમર્પણ અને સુખ-શાંતિ જળવાઈ રહે તે માટે પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શ્રાવણમાં આ વ્રત રાખવાથી માતા ગૌરીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, પતિની આયુષ્ય લાંબી થાય છે અને દાંપત્યજીવન આનંદમય બની રહે છે. જેઓના લગ્નમાં વિઘ્નો આવે છે, તેઓ માટે પણ આ વ્રત વિશેષ લાભદાયક ગણાય છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shravan month date Shravan month fasting rules Mangala Gauri Vrat 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ