બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:49 PM, 5 September 2025
સનાતન હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. આ વર્ષે આ તહેવાર 27 ઓગસ્ટ 2025થી શરૂ થયો હતો.
ADVERTISEMENT
ભક્તો દસ દિવસ સુધી વિધિપૂર્વક ગણેશજીની પૂજા-અર્ચના કરે છે. ત્યારબાદ ઘરમાં કે પંડાલમાં સ્થાપિત થયેલી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. માન્યતા છે કે વિસર્જન વખતે જો કેટલીક બાબતોની કાળજી રાખવામાં ન આવે અને તેના નિયમોનું પાલન કરવામાં ન આવે તો બાપ્પા નારાજ થઈ જાય છે.
જો તમે પણ તમારા ઘર કે પંડાલમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા જઈ રહ્યા છો તો આ નિયમો જાણી લો. તેનાથી ભગવાન ગણેશની કૃપા તમારા પરિવાર પર સદાય બનેલી રહે છે અને ભગવાન તમારી દરેક ઈચ્છા પૂરી કરે છે.
ADVERTISEMENT
ગણેશ વિસર્જનના નિયમો :
ADVERTISEMENT
ગણેશજીના વિસર્જન પહેલાં તેમની આરતી અને પૂજા કરવી જરૂરી છે. પૂજા દરમિયાન ફળ-ફૂલ, ચોખા, સોપારી, 21 દુર્વા, હળદર અને કંકુ અર્પણ કરવું. સાથે જ ભગવાનને લાડુ અને મીઠાઈનો ભોગ અવશ્ય ઘરો.
ADVERTISEMENT
વિસર્જન પહેલાં ભક્તોએ ગણેશજીને પાંચ મોદક અર્પણ કરવા જોઈએ. ત્યારબાદ આ મોદકને અન્ય ભક્તો વચ્ચે પ્રસાદ રૂપે વહેંચવા જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
પ્રતિમાના વિસર્જન પહેલાં ભક્તોએ ગણેશજીના ચરણોમાં નમન કરીને પોતાના પરિવાર માટે સુખ, શાંતિ, ધન-સમૃદ્ધિ અને સારા આરોગ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ અને બાપ્પાના આશીર્વાદ લેવા જોઈએ.
ગણપતિ બાપ્પાની પ્રતિમાને વિસર્જન માટે લઈ જતી વખતે તેમનું મુખ તમારા ઘર તરફ રાખવું જોઈએ. માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં ભગવાન ગણેશજીની કૃપા અને આશીર્વાદ સતત રહે છે.
વિસર્જન પહેલાં ભક્તોએ ઘડિયાળની દિશામાં ત્રણ વાર પરિક્રમા કરવી જોઈએ. ત્યારબાદ "ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે જલ્દી આવજો" જેવા જયકારા સાથે ગણેશ મંત્રનો જાપ કરતાં બાપ્પાને વિદાય આપવી.
વધુ વાંચો : આવતીકાલે અનંત ચતુર્દશી: તો નોટ કરી લેજો ગણેશ વિસર્જનની પૂજા વિધિથી લઇને શુભ મૂહુર્ત
જો તમે ઘરે જ ગણેશ વિસર્જન કરી રહ્યા છો તો સ્વચ્છ વાસણ કે ડોલમાં શુદ્ધ પાણી ભરો. વિધિ-વિધાનપૂર્વક ગણપતિ બાપ્પાનું વિસર્જન કરો અને ત્યારબાદ તે પાણી કોઈ વૃક્ષની નીચે અર્પણ કરી દો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.