બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:11 AM, 1 September 2025
દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીથી ગણેશોત્સવની શરૂઆત થાય છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનો આરંભ 27 ઓગસ્ટથી થયો હતો. આ ઉત્સવનું સમાપન ભાદરવા મહિનાની શુક્લ ચતુર્દશી તિથિએ થાય છે.
ADVERTISEMENT
એ જ દિવસે અનંત ચતુર્દશીનો પર્વ પણ ઉજવાય છે. 11 દિવસ સુધી ભગવાન ગણેશજીની ભક્તિપૂર્વક પૂજા કર્યા બાદ આ દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે અનંત ચતુર્દશી 6 સપ્ટેમ્બરે છે.

ADVERTISEMENT
ગણેશ વિસર્જનના દિવસે આખું શહેર જાણે થંભી જાય છે. આ તહેવાર ખૂબ જ ધૂમધામ અને ભક્તિભાવથી મનાવવામાં આવે છે. મોટાભાગે લોકો નદી કે દરિયા કિનારે જઈને વિધિ પ્રમાણે ગણેશ વિસર્જન કરે છે, પરંતુ નદી પ્રદૂષિત ન થાય તે માટે પ્રશાસને હવે તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેથી ઘરે જ ભગવાન ગણેશનું વિસર્જન કરવું શ્રેષ્ઠ છે.

ADVERTISEMENT
ઘરે ગણેશ વિસર્જન કેવી રીતે કરવું?
ઘરે વિસર્જન કરવા માટે એક ડોલ કે ટબમાં પાણી ભરો અને તેમાં થોડું ગંગાજળ ઉમેરો. વિસર્જન કરતા પહેલાં સંપૂર્ણ વિધિપૂર્વક ભગવાન ગણેશની આરતી કરો. પછી ગણેશજીને દુર્વા, મોદક, ફૂલ, ચંદન, પાન, સોપારી, ધૂપ અને દીવો અર્પણ કરો. ત્યારબાદ ફરીથી આરતી કરો અને ભગવાન પાસે સુખ-શાંતિ-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો. અંતે પોતાની ભૂલ-ચૂક માટે ભગવાન પાસે ક્ષમા માંગો.
ADVERTISEMENT

વિસર્જન સમયે ધ્યાનમાં રાખવાની બાબતો:
ADVERTISEMENT
વધુ વાંચો : લક્ષ્મી અને મહાલક્ષ્મી એક છે કે અલગ-અલગ? એક ક્લિકમાં દૂર કરો મૂંઝવણ
ADVERTISEMENT
આ રીતે વિધિપૂર્વક ઘરે જ ગણેશ વિસર્જન કરવાથી નદીનું પાણી પ્રદૂષિત થતું નથી અને શ્રદ્ધાપૂર્વક ગણેશજીની આરતી કરીને વિદાય આપવાથી ભગવાન ગણેશ દરેક ઈચ્છા પૂરી કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.