બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ઘરે ગણપતિના વિસર્જન દરમ્યાન ક્યારેય ન કરતા આવી ભૂલો, જાણો બાપ્પાની વિદાય વિધિ

ધર્મ / ઘરે ગણપતિના વિસર્જન દરમ્યાન ક્યારેય ન કરતા આવી ભૂલો, જાણો બાપ્પાની વિદાય વિધિ

Shilpa Parmar

Last Updated: 08:11 AM, 1 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે તમારા ઘરે ગણેશજીની સ્થાપના કરી છે તો દસ દિવસ બાદ ગણેશ વિસર્જન દરમ્યાન કેટલાક નિયમોને ધ્યાનમાં રાખીને ગણેશજીનું વિસર્જન કરવું. જાણી લો ગણપતિના વિસર્જનની વિધિ અને નિયમો.

દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીથી ગણેશોત્સવની શરૂઆત થાય છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનો આરંભ 27 ઓગસ્ટથી થયો હતો. આ ઉત્સવનું સમાપન ભાદરવા મહિનાની શુક્લ ચતુર્દશી તિથિએ થાય છે.

એ જ દિવસે અનંત ચતુર્દશીનો પર્વ પણ ઉજવાય છે. 11 દિવસ સુધી ભગવાન ગણેશજીની ભક્તિપૂર્વક પૂજા કર્યા બાદ આ દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે અનંત ચતુર્દશી 6 સપ્ટેમ્બરે છે.

ganesh-visarjan-3

ગણેશ વિસર્જનના દિવસે આખું શહેર જાણે થંભી જાય છે. આ તહેવાર ખૂબ જ ધૂમધામ અને ભક્તિભાવથી મનાવવામાં આવે છે. મોટાભાગે લોકો નદી કે દરિયા કિનારે જઈને વિધિ પ્રમાણે ગણેશ વિસર્જન કરે છે, પરંતુ નદી પ્રદૂષિત ન થાય તે માટે પ્રશાસને હવે તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેથી ઘરે જ ભગવાન ગણેશનું વિસર્જન કરવું શ્રેષ્ઠ છે.

ganesh-visarjan-2

ઘરે ગણેશ વિસર્જન કેવી રીતે કરવું?

ઘરે વિસર્જન કરવા માટે એક ડોલ કે ટબમાં પાણી ભરો અને તેમાં થોડું ગંગાજળ ઉમેરો. વિસર્જન કરતા પહેલાં સંપૂર્ણ વિધિપૂર્વક ભગવાન ગણેશની આરતી કરો. પછી ગણેશજીને દુર્વા, મોદક, ફૂલ, ચંદન, પાન, સોપારી, ધૂપ અને દીવો અર્પણ કરો. ત્યારબાદ ફરીથી આરતી કરો અને ભગવાન પાસે સુખ-શાંતિ-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો. અંતે પોતાની ભૂલ-ચૂક માટે ભગવાન પાસે ક્ષમા માંગો.

ganesh-visarjan-4

વિસર્જન સમયે ધ્યાનમાં રાખવાની બાબતો:

  • વિસર્જન પછી જે માટી રહે તેનાથી કોઈ છોડ લગાવો, પરંતુ ખાસ ધ્યાન રાખો કે એમાં તુલસીનો છોડ બિલકુલ ન લગાવવો.
  • વિસર્જન સમયે ગણેશજી માટે એક નાનકડી ખાવાની પોટલી તૈયાર કરો જેમાં એક લાડુ, ગોળ અને દુર્વા મૂકેલા હોય. એને પણ ગણેશજી સાથે વિસર્જિત કરો.
  • ત્યારબાદ ગણેશજીની મૂર્તિને તેમના સ્થાનેથી હળવેથી હલાવીને ખોળામાં લઈ લો અને આખા ઘરમાં ફેરવો.
  • બાપ્પાને ઘર બતાવ્યા પછી મુખ્ય દરવાજા પાસે પાણીથી ભરેલું ટબ કે ડોલ મૂકો.
  • વિસર્જન કરતા પહેલાં ભગવાનનો એક કાન ઢાંકીને બીજાં કાનમાં પોતાની ઇચ્છા કહો.
  • પછી બાપ્પાને બે વાર પાણીમાં ડૂબાડો અને ત્રીજીવાર પાણીમાં મૂકી દો.

વધુ વાંચો : લક્ષ્મી અને મહાલક્ષ્મી એક છે કે અલગ-અલગ? એક ક્લિકમાં દૂર કરો મૂંઝવણ

આ રીતે વિધિપૂર્વક ઘરે જ ગણેશ વિસર્જન કરવાથી નદીનું પાણી પ્રદૂષિત થતું નથી અને શ્રદ્ધાપૂર્વક ગણેશજીની આરતી કરીને વિદાય આપવાથી ભગવાન ગણેશ દરેક ઈચ્છા પૂરી કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Visarjan 2025 Ganesh Visarjan Rules Ganesh Visarjan at Home
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ