બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:15 PM, 5 September 2025
વર્ષ 2025માં 7 સપ્ટેમ્બરથી લઈને 21 સપ્ટેમ્બર સુધી પિતૃપક્ષની પૂજા કરવામાં આવશે. આ 15 દિવસ પિતૃઓની પૂજા, પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ જેવા કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
જોકે, આ સમયગાળા દરમિયાન કેટલાક ખાસ ઉપાયો કરીને પણ પિતૃઓને પ્રસન્ન કરી શકાય છે. જાણી લો પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને ખુશ કરવા માટેના અસરકારક ઉપાયો.
સનાતન ધર્મમાં પિતૃપક્ષના દરેક દિવસને વિશેષ મહત્વ અપાયું છે. દર વર્ષે ભાદરવા મહિનાની પૂર્ણિમાથી લઈને અશ્વિન મહિનાની અમાવસ્યા સુધી પિતૃપક્ષ ઉજવાય છે. આ વર્ષે પિતૃપક્ષ 7 સપ્ટેમ્બર 2025થી શરૂ થઈ રહ્યો છે અને 21 સપ્ટેમ્બર 2025, રવિવારે પૂર્ણ થશે.
ADVERTISEMENT

પિતૃદોષ
ADVERTISEMENT
ધાર્મિક માન્યતા પ્રમાણે જે લોકો પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની પૂજા, પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ જેવા કાર્ય કરે છે, તેઓને પિતૃઓની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. સાથે સાથે પિતૃદોષ દૂર થાય છે. કહેવાય છે કે, જેમના પર પિતૃ પ્રસન્ન હોય છે, તેમના કુટુંબનો સદા વિકાસ થાય છે. ઘરમાં રોજબરોજ ઝઘડા નથી થતા, પરિવારજનોમાં પ્રેમ અને સંતુલન જળવાય છે. પૂજા-પાઠ સિવાય પિતૃપક્ષમાં કેટલાક ખાસ ઉપાયો કરવાથી પણ લાભ મળે છે.
જ્યોતિષીઓના જણાવ્યા મુજબ, જન્મકુંડળીમાંથી પિતૃદોષ દૂર કરવા માટે પિતૃપક્ષનો સમય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પિતૃપક્ષના 15 દિવસ દરમિયાન પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમનો આશીર્વાદ મેળવવા માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવે છે.
ADVERTISEMENT

પિતૃદોષ દૂર કરવાના ઉપાય
ADVERTISEMENT
પિતૃઓના આશીર્વાદ સાથે સાથે પિતૃદોષ નિવારણ માટે પણ પિતૃપક્ષમાં કેટલાક ખાસ ઉપાય કરવાથી લાભ મળે છે:
ADVERTISEMENT
વધુ વાંચો : ચંદ્ર ગ્રહણ આ રાશિના જાતકો માટે ભારે, જીવનમાં અણધારી આફતથી ઉથલપાથલ
જો તમને લાગે કે તમારા પિતૃઓ તમારાથી નારાજ છે તો પિતૃપક્ષ દરમિયાન દરરોજ સાંજે પૂજા કર્યા પછી ઘરના એક ખૂણામાં છાણાં સળગાવો. છાણાં સળગાવતા પહેલા તેમાં ગોળ અને ઘી અવશ્ય ઉમેરો. આ સમયે પોતાની ભૂલો માટે ક્ષમા માંગી પિતૃઓને યાદ કરો. આવું કરવાથી તમને પિતૃદોષમાંથી મુક્તિ મળશે. સાથે સાથે તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિમાં પણ સુધારો થશે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.